US ઉપરાષ્ટ્રપતિ J.D. Vance નો ભારત પ્રવાસ, PM મોદીની હાજરીમાં થશે દ્વિપક્ષીય ચર્ચા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 22 એપ્રિલથી 4 દિવસ માટે ભારતના ઐતિહાસિક પ્રવાસે આવી રહ્યા છે. તેમના સાથે તેમના પત્ની ઉષા વાન્સ (ભારતીય મૂળની) અને ત્રણ સંતાનો પણ છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. પ્રવાસનો શરૂઆતનો દિવસ  જેડી વાન્સ પરિવાર સોમવારે સવારે પાલમ એરબેઝ પર પહોંચશે. અહીં તેમનું સ્વાગત એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી કરશે. દિલ્હીમાં, વેન્સ પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. તેઓ પરંપરાગત હસ્તકળાના શોપિંગ કોમ્પ્લેક્સ પણ જોઈ શકે છે. PM મોદીના સાથે મહત્વપૂર્ણ બેઠક અને રાત્રિભોજન સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદીની હાજરીમાં દ્વિપક્ષીય ચર્ચા યોજાશે, જેમાં વેપાર, ટેરિફ, ટેક્નોલોજી સહકાર, અને આંતરરાષ્ટ્રીય મામલાઓ પર ચર્ચા થશે. ત્યારબાદ PM મોદીના નિવાસસ્થાને વિશિષ્ટ…

અમદાવાદ : નરોડા વિસ્તારમાં સર્જાયો અકસ્માત, બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 2 ઘાયલ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં શનિવારે સાંજના સમયે લિફ્ટ તૂટી પડવાની ઘટના ઘટી હતી. લિફ્ટ તૂટીને સીધા બેઝમેન્ટમાં પટકાતા આશરે 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા થવા પામી છે, જ્યારે લિફ્ટમાં ફસાયેલા મહિલાઓ અને બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાએ રહીશો અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ઘટનાનો ક્રમ અને તાત્કાલિક રાહત કાર્ય પ્રાથમિક માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટમાં અનેક લોકો સવાર હતા. લિફ્ટ કામ કરતી વખતે અચાનક તેની કેબલ તૂટી ગઈ હોવાનું મનાય છે, જેના કારણે લિફ્ટ સીધી નીચે બેઝમેન્ટમાં પટકાઈ ગઈ. દુર્ઘટના સમયે અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતા. દરવાજા લોક થઇ જતા લોકોએ અવાજ કરી બચાવની અપીલ કરી હતી. બિલ્ડિંગના રહીશો અને સુરક્ષા કર્મચારીઓએ…

નર્મદા : સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, કાકી પાસે ભત્રીજાની બિભત્સ માંગણી

સંબંધો આજે નિષ્ઠુર બની રહ્યા છે એનો જીવતો પુરાવો બની ગયો છે નર્મદા જિલ્લાના પીપલોદ ગામનો આ હૃદયવિદારક બનાવ, જ્યાં ભત્રીજાએ પોતાની કાકી પાસેથી બિભત્સ માંગણી કરી, અને તેણીએ ના પાડી તો ગળું દબાવીને તેનો જીવ લીધો. 48 વર્ષીય મહિલાની ઘર આંગણે જ હત્યા ઘટનામાં મૃતક રમીલાબેન વસાવા (ઉ. વ. 48) નું શવ તેમના ઘરે આંગણામાં મળતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. પુત્રીના ફરિયાદ બાદ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હત્યા બીજા કોઈએ નહીં, પણ તેમના જ ભત્રીજા મહેશભાઈ રૂમાભાઈ વસાવાએ કરી હતી. માઘરેલા સંબંધોને કટોકટીનો અંજામ આરોપી મહેશે પોલીસ સામે કબુલાત આપી છે કે, તેણે પોતાની કાકી સામે અશ્લીલ માંગણી રાખી હતી. જ્યારે રમીલાબેન એ માંગણી માની ન હતી, ત્યારે ગુસ્સામાં…

RR vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું, અવેશ ખાને કરી ધમાકે દર બોલિંગ

IPL 2025ની શનિવારે રમાયેલી થ્રિલર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રોમાંચક જીત નોંધાવી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં LSG એ અવેશ ખાનની ઘાતક બોલિંગના દમ પર રાજસ્થાન રોયલ્સ (RR) સામે માત્ર 2 રનથી વિજય મેળવ્યો. લખનૌ માટે આ સિઝનમાં પાંચમી જીત રહી છે, જેનાથી તેઓ અંકતાલિકા (પોઇન્ટ ટેબલ)માં ચોથા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે સતત હાર સાથે રાજસ્થાન 8મા ક્રમે ખસી ગયું છે. પ્રથમ બેટિંગ: લખનૌ સુપર જાયન્ટ્સ – 180/5 (20 ઓવરમાં) ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરનાર લખનૌ સુપર જાયન્ટ્સ માટે એડન માર્કરામ (55) અને આયુષ બદોની (58) એ મજબૂત પ્લેટફોર્મ ઊભું કર્યું. બંને ખેલાડીઓએ મિડલ ઓવર્સમાં દબાણ સર્જી વિરુદ્ધ બોલર્સને દબાવી દીધા. તેમના વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારીથી ટીમ 180 રન સુધી…

રાજકોટમાં સામસામે ગાડીઓ અથડાતા 4 લોકોનાં મોત

શહેરમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-સરધાર રોડ પર બે કાર વચ્ચે સામસામે અથડાતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના જીવ જતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માત રાજકોટના સરધાર પાસે ભાડલા રોડ પર થયો હતો, જ્યાં બંને વાહનો વચ્ચે ઝડપથી સામસામે અથડામણ થઈ. અથડામણ એટલી ગંભીર હતી કે બંને કાર તાત્કાલિક ભડભડીને સળગી ઉઠી હતી અને થોડી જ વારમાં બળીને ખાક થઈ ગઈ. લોકોના જણાવ્યા મુજબ, ચાર વ્યક્તિઓ અકસ્માત સમયે કારમાં ફસાઈ ગઈ હતી અને તેઓ જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતની…

Amreli: દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિને જિલ્લા ભાજપ અધ્યક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

દામનગર નગર પાલિકાની મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયા વિવાદાસ્પદ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે પગલું ભરતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. અતુલ દલોલીયા પર આરોપ છે કે તેમણે દામનગરમાં કેટલાક નિર્દોષ લોકોને માર મારી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટના બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થતાં તેઓ હાલમાં ફરાર છે. અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં દામનગર નગર પાલિકાના ઉપપ્રમુખના પતિ અતુલ દલોલીયા પહેલાથીજ વિવાદોમાં રહ્યા છે. દારૂના સેવન સાથેના વીડિયો વાયરલ થયા હતા તેમજ પોલીસ મથક બહાર રોફ છાંટતા વાયરલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. વારંવાર થતા આવા કૃત્યોને પગલે હવે ભાજપે ગંભીર પગલું…

વિશ્વ લીવર દિવસ 2025: ‘ખોરાક એ દવા છે’ થીમ સાથે યકૃતના આરોગ્ય અંગે જાગૃતિનો સંદેશ

દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ છે લોકોમાં યકૃત (લીવર)ના સ્વાસ્થ્ય અને સંભવિત રોગો અંગે જાગૃતિ લાવવી. 2025ની થીમ છે: “Food is Medicine” ખોરાક એ દવા છે, જે જણાવે છે કે યોગ્ય આહાર લાવ્યા વિના આરોગ્યમય યકૃત શક્ય નથી. શરીરમાં લીવરની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે? લિવર આપણા શરીરનું એક અત્યંત જરૂરી અંગ છે, જે: – લોહીને શુદ્ધ કરે છે – પાચનમાં મદદ કરે છે – પોષક તત્વો સંગ્રહ કરે છે – ટૉક્સિન દૂર કરે છે – દવાઓને બ્રેકડાઉન કરે છે  ડૉ. અજિતાભ શ્રીવાસ્તવ (HPB સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ડિરેક્ટર, મેક્સ હોસ્પિટલ) કહે છે,”લીવર વારંવાર કોઇ લક્ષણો વિના નુકસાન પામે છે, અને જ્યારે લક્ષણો દેખાય છે ત્યારે બહું મોડું થઈ ગયું…

અંક જ્યોતિષ/19 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ : 19 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ષષ્ટિ (છઠ્ઠ) 06:24 PM નક્ષત્ર મૂળ 10:21 AM કરણ વાણિજ 06:24 PM પક્ષ કૃષ્ણ યોગ શિવ +00:50 AM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:52 AM ચંદ્રોદય +00:41 AM ચંદ્ર રાશિ ધનુ સૂર્યાસ્ત 06:48 PM ચંદ્રાસ્ત 09:54 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ 12:56 PM વિક્રમ સંવત…

રાશિફળ/19 એપ્રિલ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધન ના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ। ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. આજે, તમે ટીવી અથવા…