જૂનાગઢમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિક વિધિના નામે પરિણિતા પર આચર્યું દુષ્કર્મ
B INDIA જૂનાગઢ :- એક તરફ ડિજિટલ યુગની મોટી મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી બેસી રહ્યું છે. અંધશ્રદ્ધામાં કેટલાય લોકોના જીવ ગયા છે. તો બીજી તરફ ઢોંગી બાબાઓ તાંત્રિક વિધિઓના નામે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે કેશોદના ગામ્ય પંથકમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે. કેશોદના ગામ્ય પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાં આર્થિક સુખ શાંતિ બાબતે આરોપી સાથે તાંત્રિક વિધી કરવા વાત કરી હતી. ત્યારે બાદ આરોપીએ ગેરકાયદેસર મહિલાના ઘરમાં પ્રવેશ કરી, તાંત્રિક વિધીના નામે તાંત્રિક રણજીત પરમારે દિવો પ્રગટાવી રૂમ બંધ કર્યો હતો. ત્યાર બાદ મહિલાને માર મારી દુષ્કર્મ આચર્યું હતું. આ…
દ્વારકામાં બીજા દિવસે ડિમોલિશન યથાવત્, કરોડોની ગેરકાયદેસર જમીન પર દૂર કરાયું દબાણ
B INDIA દ્વારકા :- દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે.ગઈકાલે 63 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે તો આજે પણ 50 ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મરીન પોલીસની બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રખાઈ રહી છે.બેટ દ્વારકામાં ડિમોલિશન સામે મુસ્લિમ જમાતના ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.અરજદારનો આક્ષેપ છે કે, HCમાં અરજી પેન્ડિંગ છતા ડિમોલિશન કેમ કરવામાં આવ્યું તે સમજવામાં નથી આવતું ત્યારે અરજીમાં અરજન્ટ સુનાવણી કરવા અરજદારે રજૂઆત કરી છે. તો 20 જાન્યુઆરીના રોજ દ્વારકા ડિમોલિશન મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. -> બેટ દ્વારકામાં કરાયું હતું ડિમોલિશન :- દેવભૂમિ દ્વારકાના…
ઉત્તરાયણને લઈને તંત્રની તૈયારી, પક્ષીઓને બચાવવા 87 એમ્બ્યુલન્સ રહેશે તૈનાત
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીનાં દિવસ જ બાકી છે. ત્યારે પતંગ રસિયાઓની પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે. ત્યારે ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન દ્વારા 13 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે. આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે. આજે અને ઉત્તરાયણમાં કરુણા હેલ્પલાઇન 1962 પર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચી જશે. -> 87 એમ્બ્યુલન્સ રહેશે તૈનાત :- સામાન્ય દિવસોમાં રાજ્યમાં 37 એમ્બ્યુલન્સ જ હોય છે પણ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મલી કુલ 87 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. માત્ર રાજ્ય સરકાર દ્વાર જ નહિ આ ઉપરાંત અનેક પક્ષી પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ ઉત્તરાયણમાં પક્ષી…
વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ
B INDIA વડોદરા :- વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર કલાસરૂમમાં ગંદા ઈશારા કરતો હતો. અને વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી વિદ્યાર્થિનીને બદનામ કરવાની ધમકી આપતો હતો. સાથે સાથે મુસ્લિમ ધર્મ સ્વીકારવા બ્રેઇન વોશ કરતો હોવાની વાત પણ સામે આવી છે. -> ગઈકાલે પ્રોફેસરની ઓફિસ કરાઈ હતી સીલ :- વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થિની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી.…
ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી
B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાળોત્રા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. -> 12થી વધુ ગામને મળશે સિંચાઈનો લાભ :- આ અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી. પરંતુ વાળોત્રા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, ડેમનું પાણી છોડવાથી વાળોત્રા ગામને નુક્સાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતી દર્શાવી…
ઉત્તરાયણમાં કાચવાળી દોરી વાપરવા પર પ્રતિબંધ, આ નિર્ણય પર પંતગ રસિકો બોલ્યા.
-> ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી રહ્યો છે : -> અલગ-અલગ સામગ્રી વાપરી બને છે દોરી :- ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ રસિકો આકાશમાં પતંગ ઉડાવીને એકબીજાના પતંગનો પેચ કાપીને ઉજવણી કરતા હોય છે. જોકે, આ વખતે ગુજરાત હાઇકોર્ટે કાચ વાળી દોરી વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈને માર્કેટમાં કાચ વિનાની દોરી રંગવામાં આવી રહી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશનો કડકાઇથી પાલન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે વિક્ર્તાઓ દોરી રંગવા માટે ગ્રાહકોના આગ્રહ છતાં પણ કાચનો ઉપયોગ કરવાનો ટાળી રહ્યા છે. -> પતંગ રસિકોએ કાર્ટનાં નિર્ણયને આવકાર્યો :-…
અમરેલીમાં પાટીદાર દિકરી મુદ્દે રાજકીય ખેંચતાણ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું-જે થયું તે યોગ્ય નથી
B INDIA અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, જે થયું તે યોગ્ય નથી અને આવું ના થવું જોઈએ.પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢયું છે તે ના થવું જોઈએ.આ ઘટનાને પુરષોત્તમ રૂપાલાએ વખોડી હતી. સાથે સાથે કહ્યું કે, એસપી દ્વારા જે કમિટી નીમાઈ છે તેમાં તપાસ થવી જોઈએ. સાંસદે કહ્યું કે, પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી. સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે. -> પાયલ ગોટીનો વિવાદ કેમ…
રાજ્યમાં આજે વરસાદ થશે કે નહીં? શું કરી હવામાન વિભાગે આગાહી
B INDIA નલિયા :- ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે. ઉત્તર પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની ઉત્તરે રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. -> આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્ :- પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્ રહેશે. હવામાન વિભાગે સાથે જ આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટા સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતાની આગાહી કરી છે. આજથી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની દિશા બદલાતા જ તાપમાનમાં વધારો થયો છે. લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી સુધી ઊંચું નોંધાયું છે. -> ક્યાં…
અમેરિકાની ભીષણ આગ બાદ ફરી એકવાર એક સવાલ ચર્ચામાં, જંગલોમાં આગ કેવી રીતે લાગે છે ?
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં લાગેલી આગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલોમાં ફેલાઈ રહેલી આ આગ ભયાનક બની રહી છે. આગનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તે છ જંગલો સુધી પહોંચી ગઇ છે. આગ ઘણા રહેણાંક વિસ્તારોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. આ આગમાં અત્યાર સુધીમાં લગભગ 10 લોકોના મોત થયા છે અને લગભગ 1 લાખ લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે.જંગલમાં આગ લાગવાના આવા સમાચાર પહેલા પણ ઘણી વખત પ્રકાશમાં આવ્યા છે. ગયા વર્ષે, ભારતના ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગમાં આવી જ વિનાશ થયો હતો. અલ્મોડાના જંગલોમાં આગ 41 દિવસ સુધી ભડકી રહી હતી, જે દરમિયાન અનેક હેક્ટર પાકનો નાશ થયો હતો. હવે પ્રશ્ન એ છે કે લીલાછમ જંગલોમાં…
















