વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ

B INDIA વડોદરા :-  વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર કલાસરૂમમાં ગંદા ઈશારા કરતો હતો. અને વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી વિદ્યાર્થિનીને બદનામ કરવાની ધમકી આપતો હતો. સાથે સાથે મુસ્લિમ ધર્મ સ્વીકારવા બ્રેઇન વોશ કરતો હોવાની વાત પણ સામે આવી છે.

-> ગઈકાલે પ્રોફેસરની ઓફિસ કરાઈ હતી સીલ :- વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થિની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે પ્રોફેસરનો જવાબ લઇને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

-> શું હતો સમગ્ર કેસ :- વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હિન્દીના પ્રોફેસર મોહમદ અઝહર ઢેરીવાલા 4 ડિસેમ્બર 2024ના રોજ યુવતી પાસે જઈને તેને પોતાના રૂમમાં લઈ જવા માટે જણાવી હાથથી ઈશારા કર્યા કરતો હતો. યુવતીએ ઇન્કાર કરતાં પ્રોફેસરે તેનું કરિયર ખતમ કરી દેવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં પ્રોફેસર યુવતીના ઘર સુધી પીછો કરીને પહોંચી ગયો હતો. આ સાથે જ પ્રોફેસર યુવતીને વારંવાર સોશિયલ મીડિયા પર મેસેજ કરી પરેશાન કર્યા કરતો હતો.આ મામલે યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોહમંદ અઝહર ઢેરીવાલા સામે ધમકીઓ આપવી, પીછો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પોલીસે આજે પ્રોફેસર મોહમંદ અઝહરની ધરપકડ કરી છે

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *