ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી

B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાળોત્રા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.

-> 12થી વધુ ગામને મળશે સિંચાઈનો લાભ :- આ અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી. પરંતુ વાળોત્રા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, ડેમનું પાણી છોડવાથી વાળોત્રા ગામને નુક્સાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતી દર્શાવી હતી. આમ ધારાસભ્ય કાંધલ જાડેજાની મદદ અને તંત્રના પ્રયાસોના કારણે સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. રવિપાકને પાણી મળતા સારા ઉત્પાદનની પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.

-> પાણી માટે ખેડૂતોનો વિરોધ :- રાણા ખીરસરા ડેમની અંદરના ભાગે ખેડૂતો વિરોધ કરવા બેસી ગયા હતા. જેના કારણે ડેમના અધિકારીઓએ પોલીસને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો. વિરોધ કરનાર લોકો સાથે મીટિંગ કર્યા બાદ, સમજાવટથી મામલો થાળે પાડી ડેમમાંથી પાણી છોડતા 12થી વધુ ગામના ખેડૂતોની સિંચાઈની ચિંતા હળવી થઈ છે.

Related Posts

કેરળ 2026 : KERALA RAIN TRAGEDY: કેરળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વરસાદી દુર્ઘટનાઓમાં 15 લોકોના મોત, 7 લાપતા!

કેરળમાં સતત ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓમાં 15 લોકોના મોત અને 7 લોકો ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. કેરળમાં મેઘરાજાનો કહેર, અનેક જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ ફરી એકવાર ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ જોખમી સપાટીથી ઉપર વહે રહી છે, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય…

વરસાદની આફત: TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી, હવે આ તારીખે યોજાશે મેગા ટેસ્ટ : 2026 Urgent

TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી: ભારે વરસાદને કારણે હવે 8 ઓગસ્ટે યોજાશે પરીક્ષા  ભારે વરસાદની આગાહી અને IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી રાખી છે. હવે પરીક્ષા 8 ઓગસ્ટે યોજાશે. જાણો સંપૂર્ણ વિગતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા ટેટ (ઉચ્ચ માધ્યમિક) મુખ્ય પરીક્ષા (TAT-HS Main Examination) મુલતવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા 2 ઓગસ્ટના રોજ યોજાવાની હતી, પરંતુ હવે તે 8 ઓગસ્ટના રોજ યોજાશે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો ઉમેદવારોને રાહત મળી છે, કારણ કે ભારે વરસાદને કારણે મુસાફરી, પરીક્ષા કેન્દ્ર સુધી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *