ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી

B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાળોત્રા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.

-> 12થી વધુ ગામને મળશે સિંચાઈનો લાભ :- આ અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી. પરંતુ વાળોત્રા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, ડેમનું પાણી છોડવાથી વાળોત્રા ગામને નુક્સાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતી દર્શાવી હતી. આમ ધારાસભ્ય કાંધલ જાડેજાની મદદ અને તંત્રના પ્રયાસોના કારણે સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. રવિપાકને પાણી મળતા સારા ઉત્પાદનની પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.

-> પાણી માટે ખેડૂતોનો વિરોધ :- રાણા ખીરસરા ડેમની અંદરના ભાગે ખેડૂતો વિરોધ કરવા બેસી ગયા હતા. જેના કારણે ડેમના અધિકારીઓએ પોલીસને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો. વિરોધ કરનાર લોકો સાથે મીટિંગ કર્યા બાદ, સમજાવટથી મામલો થાળે પાડી ડેમમાંથી પાણી છોડતા 12થી વધુ ગામના ખેડૂતોની સિંચાઈની ચિંતા હળવી થઈ છે.

Related Posts

અમદાવાદના સાણંદ GIDCમાં ભીષણ આગ, કંપનીમાં મોટું નુકસાન

અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ GIDC વિસ્તારમાં રવિવાર (3 મે)ના રોજ ભીષણ આગની ઘટના સામે આવી છે. Ahmedabad નજીક આવેલા આ ઉદ્યોગ વિસ્તારની વન્ડર ગેટ પાસે સ્થિત IPD નામની ખાનગી કંપનીમાં…

ગુજરાતમાં આકરી ગરમી યથાવત્, India Meteorological Department દ્વારા યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *