દુનિયાના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા મુકેશ અંબાણી, જો કે હજુ પણ ભારતના સૌથી ધનિક વ્યક્તિ
ગયા વર્ષની સરખામણીમાં દેવા વધવાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ કારણે તેઓ વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ માહિતી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 માં આપવામાં આવી છે. આ યાદી અનુસાર, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ આશ્ચર્યજનક રીતે ૮૨% અથવા $૧૮૯ બિલિયન વધીને $૪૨૦ બિલિયન થઈ ગઈ છે. આ પણ વાંચો :- ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં દર્શનનાં સમયમાં ફેરફાર, મંદિરના ટ્રસ્ટે સમય પત્રક કર્યુ જાહેર રોશની નાદર વિશ્વની પાંચમી સૌથી ધનિક મહિલા છે :- બીજી તરફ, HCLની રોશની નાદર, જેમના પરિવારની કુલ સંપત્તિ 3.5 લાખ કરોડ રૂપિયા છે, તે વિશ્વની પાંચમી સૌથી ધનિક મહિલા બની છે.…
ગુજરાતમાં સતત બે દિવસથી ગરમીથી આંશિક રાહત, તાપમાન 2 ડિગ્રી સુધી ઘટ્યું
ગુજરાતમાં સતત બે દિવસથી ગરમીથી આંશિક રાહત મળી છે. જ્યારે આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ આગામી સમયમાં થોડું તાપમાન ઘટશે અને ત્યારબાદ ગરમી જોર પકડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યને હવામાનના બેવડા પ્રકોપનો સામનો કરવો પડશે. અમરેલી અને તાપી સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 27 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ,…
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા ભારતનો કેપ્ટન રહેશે કે નહીં? BCCI આ મોટો નિર્ણય લેશે
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર સવાલો ઉઠ્યા હતા, જે બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો સામે આવવા લાગી હતી. એવી અટકળો પણ કરવામાં આવી હતી કે રોહિત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી (IND vs ENG, ટેસ્ટ સિરીઝ)નો ભાગ નહીં હોય અને કેપ્ટનશિપ પણ ગુમાવશે. પરંતુ આ તમામ બાબતો બાદ હવે BCCI એક મોટો નિર્ણય લેવાનું વિચારી રહી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં વરિષ્ઠ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, તેમ છતાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી અને ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં રોહિતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જ્યાં તેણે 3 મેચમાં માત્ર 31 રન જ…
જસપ્રીત બુમરાહ નહીં, રિકી પોન્ટિંગે આ બોલરને દુનિયાનો મહાન બોલર ગણાવ્યો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગે તે બોલર વિશે વાત કરી છે જેને તે વિશ્વનો મહાન બોલર માને છે. જ્યારે પોન્ટિંગ રમતા હતા ત્યારે શોએબ અખ્તર, વકાર યુનિસ, એલન ડોનાલ્ડ, ગ્લેન મેકગ્રા અને વસીમ અકરમ જેવા બોલરોને સૌથી ખતરનાક બોલર માનવામાં આવતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને આ તમામ બોલરો સામે બેટિંગ કરી છે. હવે પોન્ટિંગે આ બોલરોમાંથી એક એવા બોલરને પસંદ કર્યો છે જેને તે સૌથી ખતરનાક બોલર માને છે. પોન્ટિંગે વસીમ અકરમને તેના સમયનો સૌથી ખતરનાક ઝડપી બોલર ગણાવ્યો હતો અને પોન્ટિંગ અકરમને સર્વકાલીન મહાન માને છે. અકરમ વિશે વાત કરતાં પોન્ટિંગે કહ્યું, વસીમ અકરમ વિશ્વનો સૌથી મહાન ફાસ્ટ બોલર છે જેની સામે મને રમવાની તક મળી. વસીમનો રિવર્સ…
વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો
વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ચોર મુદ્દામાલ સાથે ઝડપાયો છે.આ મામલે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મધ્યપ્રદેશથી વડોદરા ચોરી કરવા આવતો હતો. અને સમગ્ર ઘટનામાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકાસને પકડયો:- આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અલગ-અલગ ટ્રેનોમાં રાત્રીના સમયે ઘુસી જતો અને મહિલાના સામાનને ટાર્ગેટ કરતો હતો ત્યારે આરોપી પાસેથી 438 ગ્રામ સોના-ચાંદીના દાગીના મળી આવ્યો છે. સુરત રેલવે પોલીસે કુલ અલગ-અલગ 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્રમાં પણ આરોપી સામે ગુના નોંધાયા છે. પોલીસ રિમાન્ડ માંગી આરોપીની વધુ તપાસ કરી શકે…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરશે મગફળીના બિયારણનું વેચાણ, આજથી આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન નોંધણી
આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળીના બિયારણનું વેચાણ ચાલુ કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની GJG-22 અને OJG-32 તેમજ સોયાબીનની GS-4 ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી આજથી શરુ થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર 27/03/2025 થી 7/04/2025 સુધી નોંધણી કરાવી શકાશે. ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જ જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી જરૂરી છે. એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે. તે જ પાક અને જાતનું બિયારણ મળવાનું રહેશે. જેમની અરજી મંજૂર થશે, તેમને અરજીમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ અથવા વિતરણ અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. બિયારણ લેવા માટે ખેડૂતમિત્રોએ સીડ હબ ગોડાઉન (યુનિવર્સિટી ગેટ નંબર-3), બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ,…
વિક્રમ ઠાકોર નારાજગીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું………
વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છતાં વિધાનસભા ન પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર અંગે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપી છે. જેમાં ઋષિકેશ પટેલનું કહેવું છે કે, વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે તો આવતીકાલે ગૃહનો અંતિમ દિવસ છે. ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા:- વિક્રમ ઠાકોરની ગેરહાજરી મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે,શંકર ચૌધરીના ક્રમશહ લોકશાહી સમા મંદીર પ્રમાણે સૂચન હતું અને લોકશાહીની સમજણના ઉમદા આશયથી આમંત્રણ આપ્યું હતું,મોબાઈલ થકી ઈલેક્ટ્રોનિક રીતે આમંત્રણ અપાયું હતું,વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે અને આવતીકાલે અંતિમ દિવસ છે હાજરી આપે તેવી અમારી ઈચ્છા છે. ફિલ્મ કલાકાર ભાવિની જાનીનું નિવેદન:- ફિલ્મ કલાકાર ભાવિની જાનીએ કહેવું છે કે, વિક્રમભાઈ રીસાયા તેની પાછળ કારણો હશે અને બધું સારું થઈ જશે એવો…
પાટણમાં વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની ટીમે જપ્ત કર્યો સામાન
પાટણની SOGની ટીમે સિદ્ધપુરના રસુલપૂર ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી કે, રસુલપુર ગામમાં દવાખાનું ચલાવનાર ડોક્ટર પાસે ડિગ્રી નથી છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો છે. SOGની ટીમે દવાખાના પર દરોડા પાડી મેડિકલ સાધનો સહિત કુલ 3211નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડોક્ટર પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ માગતા આ શખ્સ બોગસ તબીબ હોવાનો પર્દાફાશ થયો હતો. બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ:- મળતી માહિતી મુજબ, પાટણના સિદ્ધપુરમાં SOGની ટીમને ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરતી હોવાની ફરિયાદ મળી હતી. જેના બાદ SOGએ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા અને રસુલપુરમાં બની બેઠેલા બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ પાડી હતી. બોગસ ડોકટર પાસે કોઈ પણ જાતની ડિગ્રી ના હોવા છતાં બીમાર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું…
અમદાવાદમાં યુવકને માર મારવા મામલે ખુલાસો, યુવક માનસિક અસ્થિર હોવાનું આવ્યું સામે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના ડંડા વડે મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો. યુવકની હકીકત સામે આવતા મહીલાઓએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તપાસમાં થયો ખુલાસો:- શાહિબાગ પોલીસની તપાસમાં સિવિલ હોસ્પિટલના વાયરલ થયેલ વિડિયોને લઇને નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં યુવક કેમ આવું વર્તન કરતો હોવાની સમગ્ર હકીકત સામે આવી. યુવક માનસિક અસ્થિર હોવાના કારણે જાતે જ કપડા કાઢી નાખી નગ્ન થયો હતો. યુવકના પરિચિત એક શખ્સે યુવકમાં થયેલ આ બદલાવનું કારણ આપ્તા જણાવ્યું કે બાળક જન્મતાની સાથે જ 3 વખત મૃત્યુ પામ્યા હોવાથી તે ભાંગી પડ્યો. ત્રણ-ત્રણ વખત સંતાન ગુમાવતા યુવકની…
















