જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરશે મગફળીના બિયારણનું વેચાણ, આજથી આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન નોંધણી

આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળીના બિયારણનું વેચાણ ચાલુ કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની GJG-22 અને OJG-32 તેમજ સોયાબીનની GS-4 ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી આજથી શરુ થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર 27/03/2025 થી 7/04/2025 સુધી નોંધણી કરાવી શકાશે.

ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જ જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી જરૂરી છે. એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે. તે જ પાક અને જાતનું બિયારણ મળવાનું રહેશે. જેમની અરજી મંજૂર થશે, તેમને અરજીમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ અથવા વિતરણ અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. બિયારણ લેવા માટે ખેડૂતમિત્રોએ સીડ હબ ગોડાઉન (યુનિવર્સિટી ગેટ નંબર-3), બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે જવું પડશે.

ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં, પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતના જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી, વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળી માટે 10 બેગ (300 કિ.ગ્રા. દોડવા) મળવાપાત્ર થશે. સોયાબીનમાં અરજીદીઠ 5 બેગ (125 કિ.ગ્રા) મળવાપાત્ર થશે. જેમની અરજી મંજૂર થશે, તેવા ખેડૂતમિત્રોને તેમના રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ/વિતરણની માહિતી SMS દ્વારા મોકલવામાં આવશે.

રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND સક્રિય હશે તો SMS મળતા નથી. આ માટે, મોબાઈલમાંથી DND સુવિધા દૂર કરવી. ક્યારેક નેટવર્ક સમસ્યા અથવા અન્ય કારણોથી પણ SMS ન મળે. આ સ્થિતિમાં, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર મંજૂર થયેલ અરજીઓની યાદી મૂકાશે. જો તમારું નામ યાદીમાં હોય અને SMS ન મળ્યો હોય, તો સૂચિત તારીખે બિયારણ લેવા આવી જવાનું રહેશે. બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in દરરોજ તપાસતા રહેવાનું રહેશે.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *