ગ્રાઉન્ડ ઝીરો ટીઝર: ઇમરાન હાશ્મી આર્મી મેનના રૂપમાં તમારા હોશ ઉડાવી દેશે, ‘ગ્રાઉન્ડ ઝીરો’નું અદ્ભુત ટીઝર જુઓ

બોલિવૂડમાં સિરિયલ કિસર તરીકે પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિનેતા પહેલીવાર આર્મી મેનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેજસ દેઓસ્કર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નરેન્દ્ર નાથ દુબેની ભૂમિકા ભજવશે. તે શુક્રવાર, 28 માર્ચે એક્સેલ મૂવીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું હતું, જેની માહિતી એક્સેલ મૂવીઝ દ્વારા તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શેર કરવામાં આવી હતી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું – બહાદુરી, બલિદાન અને એક મિશન જેણે બધું બદલી નાખ્યું. ‘ગ્રાઉન્ડ ઝીરો’નું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે. હવે હુમલો થશે.ફિલ્મનું ટીઝર ૧ મિનિટ ૧૨ સેકન્ડ લાંબુ છે, જે એક આતંકવાદીના અવાજથી શરૂ થાય છે જે કહે છે, “ભારતના…

Amreli : અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા, કાપા મારવાનું કારણ અકબંધ

અમરેલીના મુંજિયાસર જેવી ઘટના બનાસકાંઠાના ડીસામાં બની હતી. જેમાં સાત થી આઠ બાળકોએ બ્લેડ વડે હાથ પર કાપા માર્યા છે,જેના કારણે બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે કેમ કાપા માર્યા તેનું કારણ સામે આવ્યું નથી. જો કે, મોબાઇલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા શાળાના સંચાલકો સેવી રહ્યાં છે,તો શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. હાથ પર બ્લેડ મારતા બાળકોનું શાળામાં કાઉન્સેલિંગ કરાયું હતુ,તો બાળ સુરક્ષા અધિકારીની હાજરીમાં બાળકોનું કાઉન્સેલિંગ કરાયું છે.ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથધરી છે અને શાળા પાસે રીપોર્ટ પણ માંગ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર અમરેલીમાં પણ બની હતી આવી ઘટના :- અમરેલીના મોટામુંજિયાસરની શાળામાં 40 વિદ્યાર્થીઓએ હાથ…

Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર

સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રત્નકલાકારોની હડતાળના બેનર પણ લાગ્યા છે. કતારગામ દરવાજા ફલાય ઓવર બ્રિજ નીચે રત્નકલાકારો ભેગા થશે. જેના બાદ બ્રિજ નીચે ભેગા થયેલ રત્નકલાકારો રેલી કાઢશે. DWUG દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલી માટે પોલીસની મંજૂરી પણ માગી છે. રવિવારે સવારે 9.30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે. આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી રત્નકલાકારોની એકતા રેલી :- ગાંધી ચિંધ્યા માર્ગે રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. ગત વર્ષની દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મહામંદી જોવા મળી.હીરા બજારમાં મોટી કીમત…

Rajkot : રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો, 10 વર્ષથી ફાયર-એનઓસી નથી લીધી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડિંગની BU પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ થયો છે. મનપા TP વિભાગે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે તો આજે સમગ્ર તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાશે અને બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી નથી સાથે સાથે બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ કાર્યરત નથી. આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી બિલ્ડિંગના રીપોર્ટમાં થયો ખુલાસો :- રાજકોટ મનપા TP વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપવામાં આવ્યો છે. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું…

GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી

ગીર સોમનાથ જિલ્લામાં મત્સ્યબંદરોનો વિકાર થશે. વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદર વિશે વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વેરાવળ ખાતે મત્સ્યબંદર વિકસાવવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ચાર જેટલા મોટા મત્સ્યબંદરોનો વિકાસ થશે.આ અંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરખેડૂ સંમેલન-૨૦૧૨ દરમિયાન રાજયમાં નવાં મત્સ્યબંદરો વિકસાવવા માટે જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર નવા બંદરોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ મંત્રીએ વિગતવાર માહિતી આપતા કહ્યું કે, વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદરમાં જરૂરી આધુનિક વ્યવસ્થાઓ જેવી કે લેન્ડિંગ-બર્થિંગ ફેસેલિટી, ઓક્શન હોલ, બ્રેકવોટર તથા મત્સ્ય પકડાશનાં જથ્થાને આરોગ્યપ્રદ સ્થિતિમાં…

Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત થઈ રહી છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમા જેને મીની મહાકુંભ કહેવામાં આવી રહી છે, જે શનિવારથી ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહીની પરિક્રમા છે જેને લઇને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ :- પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.અને ગત વર્ષે કામચલાઉં પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો જેના કારણે આ વખતે મોટા ભુંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે. શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ…

Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચ મહિનામાં હવામાનમાં અનેક બદલાવ આવ્યા છે. જેના કારણે થોડા દિવસ ગરમી તો થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. આ પણ વાંચો :- વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ…

Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. કડીમાં 2 વિદ્યાર્થિની પરીક્ષા આપ્યા બાદ ગુમ થઈ હતી.ત્યાર બાદ પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવામાં આવી છે. આ બંને વિદ્યાર્થિની સગીરવયની હોવાનું સામે આવ્યું છે. જેમાં બે અલગ-અલગ જગ્યાએથી સગીરા ગુમ થઈ છે. પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ઘરે પરત ફરી ન હતી. અને તેના કારણે પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો :- પાટણમાં વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની ટીમે જપ્ત કર્યો સામાન વિદ્યાર્થિનીઓ ગુમ થતા પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં બે સગીરાનું અપહરણ થયું છે. જેમાં 24 માર્ચે પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ગુમ ગઈ હતી. સગીરા ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને…

SRH vs LSG: પેટ કમિન્સે એમએસ ધોની અને નિકોલસ પૂરનનો રેકોર્ડ બનાવ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની સાતમી રોમાંચક મેચ ગયા ગુરુવારે (27 માર્ચ) હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. જ્યાં SRH ટીમને પાંચ વિકેટના માર્જીનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મેચ દરમિયાન કેપ્ટન પેટ કમિન્સે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે ખાસ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે જેણે આઈપીએલમાં પોતાના પહેલા ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી છે. તેના પહેલા આ મોટી સિદ્ધિ માત્ર સુનીલ નારાયણ, નિકોલસ પુરન અને એમએસ ધોનીના નામે નોંધાયેલી હતી. પરંતુ એલએસજી સામેની તેની છેલ્લી મેચમાં તે પ્રથમ ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને પણ આ વિશેષ યાદીમાં સામેલ થઈ ગયો છે. આ પણ વાંચો :- જસપ્રીત બુમરાહ નહીં, રિકી પોન્ટિંગે આ બોલરને…

‘જે વ્યક્તિ બોલી શકતો નથી, તે કેવો કેપ્ટન હશે?’, મોહમ્મદ રિઝવાન પર ગુસ્સે થયા પાકિસ્તાની દિગ્ગજ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન મોહમ્મદ રિઝવાન હાલમાં તેની કેપ્ટનશીપ અને અંગ્રેજી ભાષા માટે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. લોકો દરરોજ તેમની ટીકા કરતા જોવા મળે છે. આ સીરીઝમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર સિકંદર બખ્તે હવે તેના પર નિશાન સાધ્યું છે. 67 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીનું માનવું છે કે હું સમજી શકતો નથી કે તે શું કહે છે. એટલું જ નહીં, બખ્તે તેની વધુ ટીકા કરતા કહ્યું કે જે કેપ્ટન પોતાના વિચારો વ્યક્ત કરી શકતો નથી અને બોલી શકતો નથી તે સારો કેપ્ટન કેવી રીતે બની શકે? સિકંદર બખ્તે કહ્યું, ‘જ્યારે પણ તે બોલે છે, ત્યારે હું સમજી શકતો નથી કે તે શું બોલી રહ્યો છે. એવી વ્યક્તિ જે બોલી શકતી નથી કે પોતાની જાતને…