દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ ચાલુ, PM મોદી અને ડોભાલ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત
ભારત સરકાર 7 મે, બુધવારે સમગ્ર દેશમાં મોક ડ્રિલ (Mock Drill) યોજી રહી છે, જેનો મુખ્ય હેતુ છે આપત્તિના સમયે નાગરિક સુરક્ષા અને તાકીદના પ્રતિસાદની તૈયારીની સમીક્ષા કરવી. આ કવાયત ખાસ કરીને પાકિસ્તાન સાથે વધતી તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયત અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્વની બેઠક પણ યોજાઈ હતી. બંનેએ મિલિટરી અને સિવિલ પ્રતિસાદ, એનડીઆરએફ, હોમગાર્ડ અને સ્થાનિક તંત્રોની ભૂમિકા અંગે સમીક્ષા કરી. મોક ડ્રિલ શું છે? મોક ડ્રિલ એ સિમ્યુલેટેડ કવાયત છે જેમાં નકલી આપત્તિઓ જેવી કે હવાઈ હુમલો, ભૂકંપ, રાસાયણિક હુમલો, અથવા કોઈ મોટી દુર્ઘટનાના સંજોગોમાં સરકાર અને નાગરિક સંસ્થાઓ કેવી રીતે પ્રતિસાદ આપે છે તેની તૈયારી કરવામાં આવે છે. રાજ્યવાર…
સિંધુ જળ કરાર મુદ્દે પહેલીવાર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સાઇન થયેલી સિંધુ જળ સંધિ વિશે હવે ભારત સરકારનો વલણ બદલાયો છે. પહેલગામ આતંકી હુમલા પછી ભારત સરકારે આ સંધિનો અમલ સ્થગિત કરવાનો નિર્ણાયક પગલાં ભર્યું છે. આ પગલાં બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ મુદ્દે જાહેર પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીની મહત્વપૂર્ણ ટિપ્પણી પીએમ મોદીએ જણાવ્યું કે “ભારતનું પાણી પહેલાં બહાર જતું હતું, હવે તે માત્ર દેશના હિત માટે જ વપરાશે.” તેમણે સ્પષ્ટ કર્યો કે, દેશપ્રથમ ની નીતિ હેઠળ ભારત હવે એ પાણી રોકશે જે અગાઉ પાકિસ્તાનમાં વહેતું હતું. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, ભારતનો વિકાસ હવે GDP નહીં, પણ GEP – Gross Empowerment of People પર આધારિત હશે. સિંધુ જળ સંધિ શું છે? 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સંધિ…
India-UK FTA: ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર થયા હસ્તાક્ષર, જાણો શું છે વેપાર કરાર?
6 મે, 2025ના રોજ ભારત અને યુકે (યુનાઇટેડ કિંગડમ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર સહમતી થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારની ઘોષણા કરી હતી. આ કરાર બંને દેશોની આર્થિક પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મુખ્ય લાક્ષણિકતાઓ: – બ્રિટિશ વ્હિસ્કી અને કારો પર ડ્યુટીમાં ઘટાડો બ્રિટિશ વ્હિસ્કી અને વાઇન પરની આયાત ડ્યુટી 150%માંથી ઘટાડી પ્રથમ તબક્કે 75% કરવામાં આવશે અને ધીમે ધીમે 10 વર્ષમાં 40% સુધી લાવવામાં આવશે. ઓટોમોબાઈલ્સ (કારો) પરની ડ્યુટી પણ 100%માંથી ઘટાડી 10% નિશ્ચિત ક્વોટા હેઠળ રહેશે. – ભારતીય નિકાસકારોને મોટો લાભ કાપડ, ચામડાના ઉત્પાદનો અને મશીનરી જેવી ભારતીય ઉત્પાદનો પર યુકેમાં કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે. – વ્યાવસાયિક વિઝા સરળ બનાવશે…
ગાંધીનગર: આવતીકાલે સાંજે 07:30થી 08:00 દરમિયાન બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા કલેક્ટરની અપીલ
ગાંધીનગર જિલ્લામાં, આગામી 7:30 થી 8:00 વાગ્યા દરમિયાન, 30 મિનિટ માટે સ્વયંભૂ બ્લેક આઉટ (અંધારપટ) કરવા માટે જિલ્લા કલેકટર મેહુલ કે. દવે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ પગલું, દેશની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આપાતકાલીન પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને નાગરિકોની સહભાગિતાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. સુરક્ષા અને સલામતી માટેના પગલાં: બ્લેક આઉટ દરમિયાન: ઘર, દુકાન, ઓફિસ, કારખાના વગેરેમાં લાઇટો બંધ રાખવી અને પ્રકાશ ઉત્પન્ન કરતા ઉપકરણોનો ઉપયોગ ન કરવો. સહભાગિતાની મહત્વતા: આ અભિયાનમાં નાગરિકોની સ્વયંભૂ સહભાગિતા જરૂરી છે જેથી આપાતકાલીન પરિસ્થિતિમાં તંત્રને યોગ્ય રીતે પ્રતિસાદ આપી શકાય. તૈયારી અને સમીક્ષા: આ અગાઉ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આર્મી, એન.ડી.આર.એફ., ફાયર સેફ્ટી, ફોરેસ્ટ, આર એન્ડ બી, પોલીસ, ટોરેન્ટ, જીઇબી વગેરે વિભાગોના…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રીલ અંગે આપી વિસ્તૃત જાણકારી, જાણો કાલે ક્યારે થશે બ્લેકઆઉટ
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા.7 મે ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે…
ભારતીય વાયુસેના પાકિસ્તાન સરહદ નજીક કરશે હવાઈ અભ્યાસ, ભારતે જારી કર્યું NOTAM
ભારત સરકારે પાકિસ્તાન સાથેની દક્ષિણ સરહદ નજીક 7 અને 8 મેના રોજ મોટા પાયે હવાઈ સૈન્ય કવાયત માટે ‘એરમેનને નોટિસ’ (NOTAM) જારી કરી છે. આ માહિતી ભૂ-ગુપ્તચર નિષ્ણાત ડેમિયન સિમોને મંગળવારે આપી હતી. ભારતીય વાયુસેના આવતીકાલે, 7 મેથી ભારત-પાકિસ્તાન સરહદ પર રણ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં કવાયત કરશે. રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 સહિત તમામ ફ્રન્ટલાઈન વિમાનો આ કવાયતમાં ભાગ લેશે. આ અંગે ભારત દ્વારા NOTAM જારી કરવામાં આવ્યું છે. જોકે આ કવાયત વિશેની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ NOTAM દ્વારા સ્પષ્ટ સંકેતો છે કે આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધ રહેશે. આ ભારતીય વાયુસેના દ્વારા એક વિશાળ લશ્કરી કવાયતની તૈયારીઓ દર્શાવે છે. આ પણ વાંચો: ગામતળની બહાર તથા વાડી…
સુરત: મિશન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે
રાજ્યમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાને લઈને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતના અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 15 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ લાગવાને પગલે હોસ્પિટલમાં નાસભાગ અને દોડધામ મચી છે. આગની ઘટનાને લઈને હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.…
ગામતળની બહાર તથા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ 24 કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલા રહેણાક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફકત 03 કિલોવોટ (KW)ના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે. આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા રૂ. 1 લાખ,…
ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’ ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા ખડગેએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે…
ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી. આ બેઠકોના પરિણામે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મેના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવાનું નક્કી કર્યું છે. ભારતમાં છેલ્લી મોકડ્રીલ વર્ષ 1971માં યોજાઇ હતી. અને હવે દેશના 244 જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે. વર્ષ 1971 માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું , ત્યારે ભારતમાં આટલી વ્યાપક મોક ડ્રીલ યોજાઈ હતી. તે સમયે મોકડ્રીલ યુદ્ધ દરમિયાન નાગરિક સલામતી સુનિશ્ચિત કરવા માટે યોજવામાં આવી હતી. હવે આ મોક ડ્રીલમાં, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે, બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે અને સામાન્ય લોકોને હુમલાની…
















