ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઇને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, લોકોને ખાસ અપીલ કરી

LoC પર પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને ભારતે તેના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. હવે શુક્રવારે સાંજે પણ જમ્મુ, સાંબા અને પૂંછમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને જાસૂસીના ઈરાદાથી મોકલવામાં આવ્યો હતો. આ પહેલા પાકિસ્તાને જમ્મુ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો, જેને ભારતના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ઓમર અબ્દુલ્લાએ લોકોને પોતાના ઘરોમાં રહેવા અને રસ્તાઓ પર ન આવવાની અપીલ કરી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે કૃપા કરીને રસ્તાઓ પર ન આવો,…

પાકિસ્તાને ભારત પર હુમલો કરવા ઉપયોગ કર્યા આ શસ્ત્રો, વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં થયો મોટો ખુલાસો

ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન દ્વારા ગઈકાલે રાત્રે અનેક શહેરોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓ વિશે વિગતવાર માહિતી આપી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 8 મેની રાત્રે ભારતીય શહેરો પર થયેલા હુમલામાં પાકિસ્તાની સેનાએ તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. ભારતના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવેલા ડ્રોનના કાટમાળની પ્રારંભિક ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે તુર્કીમાં બનેલા ‘એસિસગાર્ડ સોંગર’ મોડેલ હતા, જે સામાન્ય રીતે દેખરેખ અને સટીક હુમલા માટે ઉપયોગમાં લેવામાં આવી છે. ભારતમાં 36 સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવાયા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું…

સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડનારની ખેર નથી… કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની સૂચના

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે,. આ દરમિયાન ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં સેનાનું મનોબળ તોડવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે…

યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફ્યુઅલના સ્ટોકની સ્થિતિ શું છે? જાણો શું કહ્યું તેલ કંપનીઓએ

ભારતની સૌથી મોટી તેલ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ LPG ની પૂરતી ઉપલબ્ધતા છે. આવી સ્થિતિમાં, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપની બહાર લાઇનોમાં ઉભા રહેલા લોકોને દર્શાવતી પોસ્ટ્સનો છલકાઇ રહ્યો છે. ભારત પાકિસ્તાન સરહદ પર ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને લઈને, ઘણો ગભરાટ ફેલાયો છે અને લોકો પેટ્રોલ પંપની બહાર ઇંધણ ખરીદવા માટે લાઇનોમાં ઉભા છે. IOC એ કહ્યું, ‘શાંત રહીને અને બિનજરૂરી ભીડ ટાળીને અમને વધુ સારી સેવા પૂરી પાડવામાં મદદ કરો.’ આનાથી આપણી સપ્લાય લાઇન…

21 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, હત્યાના ગુનામાં ગયો હતો જેલમાં

ઇમરાન કુરૈશી, અમદાવાદ/ અમદાવાદ પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. 21 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર થયેલ પાકા કામના કેદીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે શાહીબાગ પોલીસ સ્ટેશન મુજબ મર્ડરના ગુનાના કામે સાબરમતી જેલમાં કેદ રહેલ પાકા કામનો કેદી છેલ્લા 21 વર્ષથી ફર્લો રજા પર છુટી ફરાર થઇ ગયેલ હતો. જે ફર્લો ફરારી પાકા કેદી ઈનાયતભાઈ કાલુમીયા ગવલી રહે-કેમ્પ સદર બજાર શાહીબાગ અમદાવાદ શહેરને શાહીબાગ આગળથી ઝડપી પાડી ડીટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલવા તજવીજ કરેલ છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

શું આજે લખનૌમાં યોજાનારી LSG vs RCB મેચ પણ રદ થશે? આ વિશે નવીનતમ માહિતી જાણો અહીં

LSG vs RCB IPL 2025 અપડેટ્સ: આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. પણ શું આ મેચ પણ રદ થશે? આ વિશે નવીનતમ માહિતી જાણો.   IPL 2025: આજે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે LSG vs RCB મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ સાંજે 7:30 વાગ્યે રમવાની છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું ગુરુવારે પંજાબ વિરુદ્ધ દિલ્હી મેચની જેમ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ મેચ પણ રદ થશે? IPLના ચેરમેન અરુણ ધુમલે લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે.   પહેલગામ હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આનાથી પાકિસ્તાની સેના ઉશ્કેરાઈ ગઈ અને સરહદ…

ભારતનો કાઉન્ટર એટેક: સલાલ ડેમના દરવાજા ખોલાતા POKમાં પૂરની શક્યતા, પાકિસ્તાનમાં ફફડાટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે હાલ સ્થિતી યુદ્ધસમાન બની ગઈ છે. પાકિસ્તાનના ડ્રોલ અને મિસાઇલ હુમલાઓનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે હવે માત્ર સુરક્ષા નથી, પણ પાણીની નીતિમાં પણ આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન તરફ વહેતું પાણી રોકી રાખવા માટે ભારતીય રાષ્ટ્રપતિએ અગાઉ સિંધુ જળ સંધિ રદ કરવાનું મોટું પગલું ભર્યું હતું. હવે એના અનુસંધાનમાં, ભારતે ચિનાબ નદી પર આવેલા રિયાસીના સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલી દીધા છે, જેના કારણે પીઓકે (પાક ઓક્યુપાઈડ કાશ્મીર)માં પૂર આવવાની શક્યતા વધી ગઈ છે.   શું છે સલાલ ડેમને ખોલવાનો અર્થ?:- અત્યારે સુધી ભારતે આ ડેમના દરવાજા બંધ રાખીને પાકિસ્તાન તરફ પાણી છોડતું ન હતું. પણ હવે, જ્યારે ભારતે જણાવ્યું છે કે “જળ સંધિ હવે લાધુ…

પાકિસ્તાનને લોન આપવા અંગે આજે IMFની બેઠક, ભારત કરશે વિરોધ

ભારત સાથે સંઘર્ષ કરી રહેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ફરી એકવાર પતનની આરે છે. ઊંડા આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે શુક્રવારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ની બેઠક છે. ભારત, IMF મેનેજમેન્ટનો ભાગ હોવાથી, આ બેઠકમાં પણ ભાગ લેશે અને અહીં પણ પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાની કોઈ તક છોડશે નહીં. જયપ્રકાશ રંજન, નવી દિલ્હી. ભારત સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ફરી એકવાર પતનની આરે છે. ઊંડા આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે શુક્રવારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ની બેઠક છે. પેકેજ મેળવવાના પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની પૂરી શક્યતા છે:- ભારત, IMF મેનેજમેન્ટનો ભાગ હોવાથી, આ બેઠકમાં પણ ભાગ લેશે અને અહીં પણ પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાની કોઈ તક છોડશે નહીં. જોકે, ભારતના વિરોધ છતાં, પાકિસ્તાનને પેકેજ આપવાના…

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

–:ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર ટ્રમ્પનું નિવેદન, કહ્યું- અમે કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છીએ:-   ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે ટ્રમ્પે કહ્યું કે તે ખૂબ જ ભયાનક છે. મારો મત એ છે કે મારા બંને દેશો સાથે સારા સંબંધો છે અને હું ઇચ્છું છું કે તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવે. હું ઈચ્છું છું કે તેઓ તેને બંધ કરે. ઓવલ ઓફિસમાં ચીનમાં યુએસ એમ્બેસેડર તરીકે ડેવિડ પરડ્યુના શપથ ગ્રહણ સમારોહ પછી તેમણે આ નિવેદન આપ્યું હતું.   “આ ભયંકર છે,” ટ્રમ્પે કહ્યું:- ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરવામાં આવ્યા બાદ ટ્રમ્પની આ ટિપ્પણી આવી છે. “આ ભયંકર છે,” ટ્રમ્પે કહ્યું. મારો મત એ છે કે મારા…

ઇસ્લામાબાદ, લાહોર, સિયાલકોટ..! ભારતના હુમલાઓએ પાકિસ્તાનના આ શહેરોમાં તબાહી મચાવી

પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોન હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ રાત્રે પાકિસ્તાની શહેરોમાં તબાહી મચાવી દીધી. પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ આપતા, ભારતે ઇસ્લામાબાદ, લાહોર, સિયાલકોટ અને રાવલપિંડી શહેરોમાં હુમલા કર્યા છે. પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલી નાશ પામી છે. ઇસ્લામાબાદ: પાકિસ્તાને જમ્મુ, જેસલમેર અને પઠાણકોટ સહિત ભારતીય શહેરો પર અનેક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા. આ પછી, પાકિસ્તાનના નાપાક કૃત્યના જવાબમાં, ભારતીય સેનાએ કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પણ ભારતની કાર્યવાહીથી બચી શકી નહીં. આ સાથે, લાહોર, સિયાલકોટ અને રાવલપિંડીને પણ ભારતીય સેનાએ નિશાન બનાવ્યા છે. તે જ સમયે, ભારતીય શહેરો પર પાકિસ્તાનના નિષ્ફળ હુમલા પછી, જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર, જમ્મુ અને રાજૌરી, પંજાબમાં અમૃતસર અને જલંધર, ગુજરાતના ભૂજ અને સરહદને અડીને આવેલા…