મુંબઈના સિંગર હાર્દિલ પંડયા પર અમદાવાદમાં જીવલેણ હુમલો, મોઢામાં ટાંકા અને કાનના પડદા ફાટ્યા
અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડયા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખને કારણે થયો હોવાનું કહેવાય છે. હાર્દિલને આ હુમલામાં મોઢાના ભાગે ટાંકા લાગ્યા છે અને કાનનો પડદો ફાટી ગયો, જેના કારણે તેઓ આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. બીજી તરફ, શ્યામ સિધાવતની પત્નીએ પણ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યા હોવાના આરોપમાં ફરિયાદ નોંધાવી છે. હાર્દિલે આપેલી વિગતો હાર્દિલ પંડયાએ જણાવ્યું કે, “એક વર્ષ પહેલાં મેં મારા મિત્રને એક સોંગ આપ્યો હતો. તે સોંગમાં મને યોગ્ય ક્રેડિટ ન મળવાને કારણે મેં લીગલ નોટિસ મોકલી…
ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો
ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં રિ-સર્વે રેકોર્ડનું પ્રમોલગેશન થયા બાદ અનેક ખેડૂતો દ્વારા ખાતા નંબર, ક્ષેત્રફળ, હદબંધી, માલિકીના નામો સહિતની વિગતોમાં ભૂલો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોને આવી વહીવટી અને ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય અનુસાર હવે ખેડૂત ખાતેદારો 31 ડિસેમ્બર 2026 સુધી રિ-સર્વે બાદની ક્ષતિઓ સુધારવા અરજી કરી શકશે. અગાઉની સમય મર્યાદા પૂર્ણ થવાના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નહોતા, પરંતુ હવે તેમને પૂરતો સમય મળતાં મોટી રાહત મળી છે. આ નિર્ણયથી ખાસ…
જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કરાયો સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના ચર્ચિત 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ કેસમાં હવે સૌથી મોટી વહીવટી કાર્યવાહી સામે આવી છે. કેસમાં સંડોવાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ બાદ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શનનો આદેશ બહાર પાડ્યો છે. મળતી માહિતી મુજબ, EDએ મની લોન્ડરિંગ સહિતના ગંભીર આરોપો હેઠળ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી હાલ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ જમીન કૌભાંડમાં સરકારી જમીનના ગેરકાયદેસર હસ્તાંતરણ, ખોટી ફાઇલો અને ખોટા દસ્તાવેજો દ્વારા મોટા પાયે નાણાકીય લાભ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે. તપાસ એજન્સીઓ મુજબ આ સમગ્ર કૌભાંડની રકમ અંદાજે 1500 કરોડ રૂપિયા જેટલી છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી આ…
તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ, નોંધાયા આટલા કેસ
ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા તા. 02 અને 03 જાન્યુઆરી-2026ના રોજ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર…
યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, જાણો વર્ષ 2024-25 માં અંદાજે કેટલા પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન
સમગ્ર વિશ્વમાં આશરે 9000 જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી 1200 જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી 400 થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે. રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી યાયાવર પક્ષીઓ અને પ્રાણીઓ માટે સૌથી વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા તેમના સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી…
‘નમો શ્રી યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ, રાજ્ય સરકારે ચુકવ્યા આટલા કરોડ રૂપિયા
રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-2024થી અત્યાર સુધી 7 લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.437.32 કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ સુધી લાભ લઇ શકે છે. જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની મેડીકલ ઓફિસર ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર-અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે. જે અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2000 અને કેન્દ્ર સરકાર રૂ.3000ની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.2000નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં 6 માસ પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિમાં રૂ.3000 જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2000નો ચોથો હપ્તો…
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે
ગુજરાતના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપી છે. હાલ તેઓ સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહ્યા હતા. ‘પ્રિમેચ્યોર રિપેટ્રિએશન’ને મંજૂરી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, સક્ષમ સત્તાધિકારીએ શમશેર સિંઘની પ્રિમેચ્યોર રિપેટ્રિએશનની વિનંતી મંજૂર કરી છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાણ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને પણ કરી દેવામાં આવી છે. ઇન્ચાર્જ DGP કરતા એક વર્ષ સિનિયર – શમશેર સિંઘની ગુજરાત વાપસી બાદ રાજ્યના પોલીસ બેડામાં સમીકરણો બદલાઈ શકે છે. – શમશેર સિંઘ…
ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે ભવ્ય રીતે ઉજવાશે
ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ખેડબ્રહ્મા મંદિર વહીવટકર્તાઓના જણાવ્યા અનુસાર, આ મહોત્સવને લઈને તત્પરતા અને ઉત્સાહનો મહોલ ગાજવે છે. મંદિરની શણગાર અને દર્શન સમય મંદિરને ફૂલો અને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 6:30થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મહોત્સવના દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જે દરેક વયના ભક્તો માટે આત્મિક આનંદ અને આનંદનો સ્રોત બનશે. કાર્યક્રમોની વિગત – સવારે 6:30 વાગ્યે મંગળા આરતી – સવારે 6:45 વાગ્યે માતાજી માટે 56 ભોગનો ભવ્ય અન્નકૂટ – સવારે 8:00 વાગે આરતી મંડળ દ્વારા 25 કિલોની કેક કાપી – ત્યારબાદ માતાજીની શોભાયાત્રા સુમધુર શરણાઈના સંગીત સાથે સાંજે ભવ્ય ઉજવણી –…
અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર થયો ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ
ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થતાં લોકોમાં ભારે ચિંતાનું માહોલ છે. એ વચ્ચે અમરેલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયા છે. પોલીસ તેમની શોધખોળ માટે કાર્યવાહી કરી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયા પ્રાપ્ત વિગતો અનુસાર, રવિ પાનસુરિયા પર વ્યાજખોરોના દબાણ અને ઉઘરાણીઓનો ગંભીર ત્રાસ હતો. રવિએ ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11.25 કરોડ રૂપિયાની વ્યાજ દેવામાં લીધી હતી. તેમણે અત્યાર સુધીમાં 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસ મારફત ચૂકવ્યા હતા, પરંતુ વ્યાજખોરોએ 2.97 કરોડના બાકી રકમ સામે 15 કરોડની ઉઘરાણીનો દબાણ કર્યું. CCTVમાં દ્રશ્યો અને વીડિયો વાયરલ 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યા હતા, અને…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં
સુરેન્દ્રનગર: બહુમુખી ચર્ચામાં રહેલા જમીન બિનખેતી (NA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટી સફળતા મળી છે. શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વર્ષ 2015 બેચના આ IAS અધિકારી હવે આગામી 7 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી ED ની કસ્ટડીમાં રહેશે. મુખ્ય વિગતો અને તપાસ ED દ્વારા કોર્ટમાં કલેક્ટરના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસ માટે મંજૂરી આપી. તપાસ એજન્સીનો આરોપ છે કે રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ખેતીની જમીન બિનખેતી (NA) માટે બદલવામાં આવતી વ્યવસ્થા દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. ડિસેમ્બર મહિનામાં પડેલા દરોડામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી ₹67.5 લાખ રોકડ મળી આવી હતી, જે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે સમાવિષ્ટ છે.…
















