ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી

અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખ (IAS) દ્વારા આજે મતદાનના દિવસે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

ચૂંટણી નિરીક્ષક એ સવારે એસ.પી. સ્ટેડિયમની વિદ્યાનગર હાઇસ્કૂલ, ઉસ્માનપુરાના વિવિધ બુથ, નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ, નવરંગપુરાની એ.જી. ટીચર્સ હાઇસ્કૂલના બુથ તેમજ સી.એન. વિદ્યાલયના વિવિધ બુથની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે મતદાન મથકો પર મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. ચૂંટણી નિરીક્ષકએ મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

  • Related Posts

    પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ, 30 વર્ષ બાદ મળ્યો શુભ અવસર; જાણો પૂજા-દાનનું મહત્ત્વ

    હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. પિતૃ તર્પણ, દાન, સ્નાન અને ભગવાનની ઉપાસના માટે અમાસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ…

    LRD લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો હાજર, OMR શીટ ઓનલાઈન મળશે

    ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક…