PSI–LRD શારીરિક કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શારીરિક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરી 2026થી શારીરિક કસોટી શરૂ થશે, જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આજે 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે. PSI અને LRD માટે અરજી કરનાર ઉમેદવારો હવે પોતાનું કોલ લેટર સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. શારીરિક કસોટી પ્રથમ અને મહત્વપૂર્ણ તબક્કો ભરતી પ્રક્રિયાનો શારીરિક કસોટી તબક્કો અત્યંત મહત્વનો છે. દોડ સહિતના તમામ શારીરિક માપદંડોમાં પાસ થનાર…

કંડલા દીનદયાળ પોર્ટ પર 733 કરોડના ખર્ચે નવો સુપર કાર્ગો બર્થ, પીપીપી મોડલ હેઠળ પ્રોજેક્ટ

કચ્છમાં આવેલ કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ બંદરની ક્ષમતા વધારવા માટે 733 કરોડ રૂપિયાના ખર્ચે નવા મલ્ટી-પર્પઝ કાર્ગો બર્થની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટની વિશેષતાઓ નવી બર્થ કંડલાના ટુના ટેકરા વિસ્તારમાં સ્થાપિત થશે અને વાર્ષિક 7.20 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે. આ કાર્ગો બર્થ ડ્રાય બલ્ક અને બ્રેક બલ્ક સહિત વિવિધ પ્રકારના કાર્ગોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ‘બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર’ (BOT) મોડલ હેઠળ 30 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે, જેથી બંદરના આધુનિકીકરણ અને સંચાલન બંનેને સુનિશ્ચિત કરી શકાય. બિડ અને અમલ દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ નવા કાર્ગો બર્થ માટે બિડ આમંત્રિત કર્યા છે. એકવાર બિડ પ્રક્રિયા પૂર્ણ થાય, ત્યારે કાર્યકારી કંપની બર્થના નિર્માણ…

Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે દૈનિક વેતનમાં 50%નો મોટો વધારો

રાજ્યના ટ્રાફિક વ્યવસ્થાપનના હિરાઓ ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી માંગણીઓને ધ્યાનમાં લઈને હવે TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વેતન વધારો: રૂ. 150 વધુ રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ, અગાઉ TRB જવાનોને દૈનિક રૂ. 300 મળતું હતું, હવે તેમાં રૂ. 150નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી TRB જવાનોને દરરોજ રૂ. 450 ચૂકવવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે, જેને કારણે જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 10,000થી વધુ પરિવારોને લાભ આ વધારો રાજ્યના અંદાજે 10,000 TRB જવાનો અને તેમના પરિવારો માટે આર્થિક સહારો બનશે. મોંઘવારીના સમયમાં વેતન વધારાનો આ નિર્ણય જવાનોના જીવનધોરણ સુધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકારે જણાવ્યું…

મકરસંક્રાંતિ 2026: એકાદશી સંયોગમાં ખીચડી કે દહીં-ચૂડા?

આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને ભક્તોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. કારણ કે આ વખતે મકરસંક્રાંતિ પર એકાદશી તિથિનો સંયોગ સર્જાયો છે. પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને ખીચડી ખાવાની રીત છે, જ્યારે બિહારમાં દહીં-ચૂડા ખાવાની પરંપરા પ્રચલિત છે. જોકે એકાદશી તિથિમાં ચોખા ખાવા મનાઈ હોવાથી લોકોમાં ગૂંચવણ છે કે આ વખતે ખીચડી ક્યારે બનાવવી? એકાદશી તિથિ ક્યારે છે? પંચાંગ અનુસાર, ષટતિલા એકાદશી તિથિ 13 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:17 વાગ્યે શરૂ થશે અને 14 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5:52 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિને માન્ય ગણવામાં આવતી હોવાથી, ષટતિલા એકાદશીનું વ્રત બુધવાર 14 જાન્યુઆરી 2026ના રોજ રહેશે. મકરસંક્રાંતિ ક્યારે છે? જ્યોતિષ ગણતરી મુજબ, 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:07 વાગ્યે સૂર્ય મકર રાશિમાં…

સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 57 વર્ષના શખ્સની ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં 57 વર્ષના આધેડે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની દુકાનમાં બાળકી સાથે આ કૃત્ય કર્યું હતું. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7 વાગ્યે એક વૃદ્ધ દાદા પોતાના પૌત્ર અને પૌત્રીને ઘરની બહાર રમાડવા લઈ ગયા હતા. આ દરમિયાન પૌત્ર રડવા લાગતા દાદા તેને ઘરે મુકવા ગયા હતા. તે સમયે સરથાણામાં આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની દુકાન ચલાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (ઉંમર 57, મૂળ રહેવાસી હડમતીયા ગામ, પાલીતાણા, જી. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવી પૌત્રીને દુકાનમાં બેસાડવાની વિનંતી કરી હતી. દાદા પૌત્રને ઘરે મુકવા ગયા…

Banaskantha : શિવસેવા સમિતિ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

હરેશ ઠક્કર, બનાસકાંઠા/ આજરોજ ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવનદર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી અતુલભાઈ દૈયા અને રમેશભાઈ જેઠવા, અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપુત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી રણજીતભાઈ વાઘેલા, વર્ધાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી. હરેશભાઈ ઠક્કર (મીડિયા કન્વીનર), વિનોદભાઈ બાંડીવાલા, મયુરભાઈ ખત્રી અને તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો. “ઉઠો,…

PM મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને કરાવ્યો IKF-2026નો પ્રારંભ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી તેમજ જર્મન ચાન્સેલર મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ…

અમદાવાદ: વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં વડાપ્રધાનની મુલાકાતને પગલે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગાંધી આશ્રમ નજીક ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિગતવાર સમીક્ષા કરી અને સમગ્ર પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવી. વડાપ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ …

અમદાવાદ: મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વની જાણકારી, આજે આ રૂટ રહેશે બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોવાથી શહેરની મેટ્રો સેવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે મેટ્રો ટ્રેન સેવાના એક રૂટ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રો સેવા બંધ આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમો યોજાવાના કારણે સવારે 9:45 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો મેટ્રો રૂટ બંધ રહેશે. ચાલુ રહેતા રૂટ્સ: – વસ્ત્રાલથી શાહપુર સુધી મેટ્રો સેવા યથાવત રહેશે – જૂની હાઈકોર્ટથી થલતેજ ગામ સુધીનો રૂટ પણ ચાલુ રહેશે મેટ્રો તંત્ર દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી પહેલાં સમયપત્રક ચકાસી લે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. Follow us On Social…

અમદાવાદ: જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગુજરાતની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ, નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની…