સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ અને નિવૃત્તજનોને સીધો ફાયદો મળશે.

નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું હાલના 58 ટકાથી વધીને હવે 60 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો 1 જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં માન્ય રહેશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં વધારો થશે અને પેન્શનરોને પણ વધારાની રકમ મળશે.

આ નિર્ણયની ખાસ વાત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા વધારાનો તફાવત (એરિયર) જૂન મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને એકમૂષ્ટ રકમ મળવાની હોવાથી તેમની ખુશીમાં વધારો થયો છે.

રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી સામે આર્થિક રાહત આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. નાણા વિભાગે તમામ સંબંધિત વિભાગોને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા સૂચનાઓ આપી છે.

આ જાહેરાતથી રાજ્યભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે અને તેમની ખરીદી શક્તિમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!

    ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો…

    અફઘાનિસ્તાન–પાકિસ્તાન વચ્ચે તણાવ તેજ : સરહદી વિસ્તારોમાં હુમલાઓના અહેવાલો, ISIS મથકોને નિશાન બનાવ્યાનો દાવો

    અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર સરહદી વિસ્તારોમાં હિંસક અથડામણો અને હવાઈ હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં બંને પક્ષો એકબીજા પર…