રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ અને નિવૃત્તજનોને સીધો ફાયદો મળશે.
નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું હાલના 58 ટકાથી વધીને હવે 60 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો 1 જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં માન્ય રહેશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં વધારો થશે અને પેન્શનરોને પણ વધારાની રકમ મળશે.
આ નિર્ણયની ખાસ વાત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા વધારાનો તફાવત (એરિયર) જૂન મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને એકમૂષ્ટ રકમ મળવાની હોવાથી તેમની ખુશીમાં વધારો થયો છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી સામે આર્થિક રાહત આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. નાણા વિભાગે તમામ સંબંધિત વિભાગોને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા સૂચનાઓ આપી છે.
આ જાહેરાતથી રાજ્યભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે અને તેમની ખરીદી શક્તિમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





