સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ અને નિવૃત્તજનોને સીધો ફાયદો મળશે.

નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું હાલના 58 ટકાથી વધીને હવે 60 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો 1 જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં માન્ય રહેશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં વધારો થશે અને પેન્શનરોને પણ વધારાની રકમ મળશે.

આ નિર્ણયની ખાસ વાત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા વધારાનો તફાવત (એરિયર) જૂન મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને એકમૂષ્ટ રકમ મળવાની હોવાથી તેમની ખુશીમાં વધારો થયો છે.

રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી સામે આર્થિક રાહત આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. નાણા વિભાગે તમામ સંબંધિત વિભાગોને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા સૂચનાઓ આપી છે.

આ જાહેરાતથી રાજ્યભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે અને તેમની ખરીદી શક્તિમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    પશ્ચિમ એશિયામાં તણાવ ફરી વધ્યો: UAE પર ઈરાનના મિસાઈલ-ડ્રોન હુમલા, 3 ભારતીયો ઘાયલ

    પશ્ચિમ એશિયામાં ફરી એકવાર પરિસ્થિતિ ગંભીર બની છે. સંયુક્ત આરબ અમીરાત (સંયુક્ત આરબ અમીરાત) પર ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હોવાનો દાવો સામે આવ્યો છે, જેના કારણે…

    મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ: ઈઝરાયેલ–ઈરાન વચ્ચે યુદ્ધની ભીતિ, વિશ્વભરમાં ચિંતા

    મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ અત્યંત ગંભીર બની રહ્યો છે, કારણ કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધી સૈન્ય અથડામણની શક્યતાઓ વધી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઈઝરાયેલે ઈરાન સામે સંભવિત…