લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

પાટણ જિલ્લામાં શિક્ષણ પ્રત્યેની લાગણી અને જવાબદારીનો એક અનોખો પ્રસંગ સામે આવ્યો છે. રાધનપુર ખાતે શિવશક્તિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત નવનિર્માણ વિદ્યામંદિર કોલેજમાં યોજાયેલી સેમેસ્ટર-૨ની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓએ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે પણ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી સમાજ માટે આ  પ્રેરણાદાયક સંદેશ કેહવાય.

આ પણ વાંચો:ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર પિયુષભાઈ પોતાના લગ્ન ફેરા પૂર્ણ કર્યા બાદ સીધા પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે શિક્ષણ પ્રત્યેની આ લાગણી તેમને તેમના માતા-પિતાની પ્રેરણાથી મળી છે. એ જ રીતે રામેશ્વર ગામની સોલંકી હિરલબેન દિનેશભાઈ પણ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા પહોંચી હતી…આ અનોખા પ્રસંગે કોલેજના સંચાલક જયરાજસિંહ નાડોદા દ્વારા બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને “હરિ મંદિરમાં હોય થાળી” નામનું પ્રેરણાદાયક પુસ્તક અર્પણ કરીને તેમના આ સંકલ્પને બિરદાવવામાં આવ્યો હતો. ખુબ સરસ સમાજ માટે એક ઉતમ ઉદાહરણસાબિત કર્યું છે કેમકે શિક્ષણ પત્યે બહુજ સરસ લાગણી છે.

 #the_wedding _hall #exam #Newlywedsn #Radhanpur_prioritize #education #marriage

Follow us on

  • Related Posts

    એથેન્સમાં જંગલની આગ ઓલવતા બે હેલિકોપ્ટર હવામાં અથડાયા: એક પાયલટનું મોત

    ગ્રીસની રાજધાની એથેન્સ નજીક જંગલમાં લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા બે અગ્નિશામક હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાતા એક પાયલટનું મોત થયું છે, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઘાયલ થયા છે. આ અકસ્માત એથેન્સના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાઈથા વિસ્તારમાં થયો હતો. બંને હેલિકોપ્ટર જંગલની આગ પર પાણીનો છંટકાવ કરીને તેને કાબૂમાં લેવાના મિશનમાં સામેલ હતા. દુર્ઘટના બાદ ગ્રીસની સેના, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જંગલની આગ ઓલવતા સમયે થયો અકસ્માત મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર Bell 214ST મોડેલના હતા. આગની ગંભીર સ્થિતિને કારણે ઘણા હેલિકોપ્ટર એક જ વિસ્તારમાં ઉડાન ભરી રહ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે…

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ: 7ના મોત, 18 ઘાયલ

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક મોટી વિસ્ફોટની ઘટના સામે આવી છે. સ્વાત જિલ્લામાં આયોજિત એક શાંતિ રેલી દરમિયાન થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનમાં પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોરો અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન અચાનક થયો વિસ્ફોટ પાકિસ્તાનમાં મળતી માહિતી અનુસાર, આ રેલી સ્થાનિક આદિવાસી સંગઠન ‘સ્વાત અમન જિરગા’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સ્વાત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિને લઈને…