લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

પાટણ જિલ્લામાં શિક્ષણ પ્રત્યેની લાગણી અને જવાબદારીનો એક અનોખો પ્રસંગ સામે આવ્યો છે. રાધનપુર ખાતે શિવશક્તિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત નવનિર્માણ વિદ્યામંદિર કોલેજમાં યોજાયેલી સેમેસ્ટર-૨ની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓએ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે પણ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી સમાજ માટે આ  પ્રેરણાદાયક સંદેશ કેહવાય.

આ પણ વાંચો:ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર પિયુષભાઈ પોતાના લગ્ન ફેરા પૂર્ણ કર્યા બાદ સીધા પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે શિક્ષણ પ્રત્યેની આ લાગણી તેમને તેમના માતા-પિતાની પ્રેરણાથી મળી છે. એ જ રીતે રામેશ્વર ગામની સોલંકી હિરલબેન દિનેશભાઈ પણ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા પહોંચી હતી…આ અનોખા પ્રસંગે કોલેજના સંચાલક જયરાજસિંહ નાડોદા દ્વારા બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને “હરિ મંદિરમાં હોય થાળી” નામનું પ્રેરણાદાયક પુસ્તક અર્પણ કરીને તેમના આ સંકલ્પને બિરદાવવામાં આવ્યો હતો. ખુબ સરસ સમાજ માટે એક ઉતમ ઉદાહરણસાબિત કર્યું છે કેમકે શિક્ષણ પત્યે બહુજ સરસ લાગણી છે.

 #the_wedding _hall #exam #Newlywedsn #Radhanpur_prioritize #education #marriage

Follow us on

  • Related Posts

    ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

    ખેડા : નડિયાદના ચકલાસીમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.અરવિંદ વાઘેલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા.ચકલાસી PI, LCB, SOG અને DYSP સહિત ટીમો સ્થળે.FSL અને ડોગ સ્ક્વોડથી તપાસ તેજ, મહત્વના સૂત્રો મળ્યા.ઘટના સ્થળેથી તૂટેલો દંડો અને બળેલો મોબાઈલ મળી આવ્યો.પ્રેમપ્રકરણની આશંકા, 4 સગીરો શંકા હેઠળ, 1 ડિટેન, તપાસ ચાલુ

    VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

    સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.