ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર: નવી કારોબારી યાદી જાહેર, 79 સભ્યોને સ્થાન
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવી પ્રદેશ કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. નવા કાફલામાં કુલ 79 સભ્યોનો સમાવેશ છે, સાથે 26 આમંત્રિત સભ્યોને પણ સ્થાન મળ્યું છે. યાદીમાં રાજકીય મજબૂતી અને અનુભવી નેતાઓનો સમાવેશ નવાં સભ્યોમાં ખાસ કરીને રાજકોટથી ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા અને રાજુ ધ્રુવને સ્થાન આપવામાં આવ્યું છે. આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ જિલ્લા પ્રમુખોનો સમાવેશ છે. જુના જોગીઓ અને કોંગ્રેસથી જોડાયેલા નેતાઓ સુરતથી દર્શનાબેન જરદોશ, પંચમહાલથી નિમિષાબેન સુથાર, અમદાવાદથી યોગેશ ગઢવી સહિતના નેતાઓને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,…
સુરત: કોબ્રા સાપના ઝેરનું મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું, 7 આરોપીઓ ઝડપાયા
સુરત પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ 6.5 મિલીલીટર કોબ્રા ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેના આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્યનો અંદાજ 5.85 કરોડ રૂપિયા છે. પોલીસે 7 આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે અને અન્ય 5 વડોદરાના રહેવાસી છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી હતી. જપ્ત કરાયેલ ઝેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમ કે: – બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક માટેની દવા – લોહી ગંઠાવાની દવા – એન્ટી વેનોમ – કેન્સર ઉપચાર માટેની દવા – કેટલીક વખત રેવ પાર્ટીમાં નશાના…
અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા
દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા બેઠક યોજી હતી. આ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુચારુ, શિસ્તબદ્ધ અને ગૌરવસભર આયોજન માટે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદન સમારોહ, પરેડ વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ, આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા, ટેબ્લો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉપસ્થિત રહેનારા નાગરિકોને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા…
વિરમપુરમાં રાજ્યપાલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો, પ્રાકૃતિક ખેતીને આપ્યું પ્રોત્સાહન
બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલએ વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિધાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો..આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે વિદ્યામંદિર તથા તાલીમ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા…
વિરમપુરની GSTES કન્યા શાળામાં રાજ્યપાલનો સાદગીપૂર્ણ રોકાણ અને યોગાભ્યાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં રાત્રી નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલ ગ્રામ્ય જીવનની સહજતા, આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવનપદ્ધતિને નજીકથી અનુભવી, શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું. રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલએ શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. રાજ્યપાલએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે રાજ્યપાલએ જણાવ્યું હતું કે,“યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા વિકસે છે.” રાજ્યપાલએ બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો…
Morbi : હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો, સર્ચ ઓપરેશન શરૂ
રમેશ ઠાકોર, મોરબી/ હળવદ તાલુકાના કોઈબા ગામના પાટીયાથી આગળ આવેલી નર્મદા કેનાલમાં અદાણી પાવર લાઈનના કામમાં સંકળાયેલા એક યુવાન કામદાર ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, પોલીસ તથા બચાવ ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અદાણી પાવર લાઈનના કામ માટે આવેલા કામદારો રહેતા રૂમ પર ટોયલેટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે યુવાન પાણી ભરવા માટે નર્મદા કેનાલમાં ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા અથવા કેનાલના તેજ પ્રવાહમાં ફસાતા તે પાણીમાં ડૂબી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. યુવક પરપ્રાંતીય હોવાની વિગત આવી સામે ડૂબી ગયેલો યુવાન બિહાર રાજ્યનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમ…
‘તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત રાજ્યમાં રૂ. 104 કરોડથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત કરાઈ, અનક્લેમ્ડ રકમ છે આટલી
‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી શ્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૫માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ કુલ રૂ. 104.61 કરોડની રકમ એટલે કે, તેમની મહામૂલી મૂડી સ્વમાનભેર પરત કરાવામાં આવી છે. રાજ્યમાં આ અભિયાનના પ્રારંભથી ડિસેમ્બર-2025 સુધીમાં કુલ 26,874 દાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ દાવાઓની નિયમ મુજબની ખરાઈ કરીને સંબંધિત બેંકો દ્વારા ખાતેદારોને તેમની રકમ પરત કરવામાં આવી છે. આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ. વધુમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન ફક્ત કાગળ પરની એન્ટ્રીઓ…
આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં SAPTIની નોંધનીય ભૂમિકા, ડિસેમ્બર 2025 સુધીમાં સંસ્થામાંથી 674 ઉમેદવારો થયા સ્નાતક, કરે છે આટલી કમાણી
ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત SAPTI એટલે કે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને વેગ આપી રહ્યું છે. આ સંસ્થા પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવા સાથે યુવાનોને આત્મનિર્ભર બનાવી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં, કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી સ્નાતક થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા સ્થાપિત SAPTI સંસ્થા રાજ્યના શિલ્પકળા ઉદ્યોગની સંભાવનાઓનો ઉપયોગ કરે છે અને પથ્થરકલા અને શિલ્પ-સ્થાપત્યના મૂલ્યવાન વારસાને આગળ ધપાવે છે. રાજ્યમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો) અને ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર જિલ્લો) ખાતે- એમ બે આર્ટિઝન પાર્ક્સની સ્થાપના કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સ્થિત SAPTI-અંબાજી આરસના…
Ahmedabad : રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકની ઓળખ ઉજાગર કરશે CCTV અને AI, જાણો શું છે મામલો
ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026 : ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે. અમદાવાદમાં રખડતી ગાયોના લીધે ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારોમાં રખડતી ગાયોના ફોટા લીધા બાદ, તેમાં લાગેલી માઇક્રો ચીપ અને RFID ટેગના…
















