રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસા પૂર્વે અનોખો ડબલ ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં એક તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 12થી 14 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, 8થી 14 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિનો વ્યાપ વધીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ દરમિયાન 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે 12થી 14 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો 15થી 20 નોટ્સની ઝડપે ફૂંકાશે, જે ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા તાપમાન મુજબ રાજકોટ અને અમદાવાદમાં 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી અને વીવીનગરમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાના આગમન અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં ચોમાસા પૂર્વે રાજ્યમાં ગરમી અને વરસાદના મિશ્ર માહોલને કારણે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમી વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોવાથી ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોને હવામાનના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 

 

 

  • Related Posts

    અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

    ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…

    ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

    વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…