ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી
મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. વધતા વિવાદ વચ્ચે અભિનેતા મનોજ બાજપેયીએ આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ બાજપેયીએ કહ્યું, “હું લોકોની લાગણીઓને સમજી શકું છું. કોઈની આસ્થા કે વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી. આ ફિલ્મ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી એક બુરાઈ પર આધારિત કહાણી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે કળાનો હેતુ સમાજની હકીકતો સામે લાવવાનો હોય છે, કોઈને નિશાન બનાવવાનો નહીં.અભિનેતાએ આગળ કહ્યું કે જો કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો સંવાદ અને સમજદારીથી તેનો ઉકેલ લાવવામાં આવવો જોઈએ. બીજી…
પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા મુદ્દાઓ પર તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષાને જીવનનો અંત ન માનવો જોઈએ. પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, દબાણ નહીં પરંતુ તક તરીકે જોવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે વાંચતી વખતે મન એકાગ્ર રાખો, સમજ સાથે અભ્યાસ કરો—માત્ર રટણ પર ભાર ન આપો.ગેમિંગ અને ઈન્ટરનેટ અંગે તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અતિઉપયોગ નુકસાનકારક બની શકે છે. સમયનું આયોજન કરો, પોતાને જાતે શિસ્તમાં રાખો અને ડિજિટલ ડિટોક્સ અપનાવો.તણાવ દૂર કરવા માટે પીએમ મોદીએ યોગ, ધ્યાન, નિયમિત ઊંઘ અને સકારાત્મક…
અમદાવાદમાં શરૂ થશે ‘પ્રાકૃતિક કૃષિ માર્કેટ’: ખેડૂતોને મળશે નવી આવક, શહેરીજનોને રસાયણમુક્ત પેદાશો
અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર રિસોર્સ પર્સન તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સતત ગહન પ્રયત્નોના ફળસ્વરૂપે, મિશન અને નોન-મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 8300 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે. પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધે અને વધુમાં વધુ ખેડૂતો આ મિશન હેઠળ જોડાઈને આર્થિક રીતે સમૃદ્ધ બને તથા જિલ્લાના શહેરીજનોને રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીની પેદાશો એક જ જગ્યાએથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને પ્રગતિશીલ ખેડૂતો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત…
ગુજરાતમાં : GSEB HSC 2026 હોલ ટિકિટ – પ્રેક્ટિકલ પરીક્ષા માટે એડમિટ કાર્ડ કરી શકાશે ડાઉનલોડ, જાણો વિગત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ગાંધીનગર દ્વારા બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ એડમિટ કાર્ડ ધોરણ 12ના તે વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ રહી છે. શાળા દ્વારા નોંધાયેલા અને પાત્ર ઉમેદવારો તેમના હોલ ટિકિટ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ — sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org — પરથી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) તા. 27/01/2026 થી બોર્ડની વેબસાઇટ્સ –sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. શાળાઓ પોતાના સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને લોગિન કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ…
અમદાવાદમાં ફરી ઝડપાઇ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી, 81 લોકો ઝડપાયા
અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીનો કિસ્સો સામે આવ્યો છે. સાણંદ તાલુકાના નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમ ખાતે ચાલી રહેલી દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે રેડ પાડી 81 યુવક-યુવતીઓને રંગેહાથે ઝડપી લીધા છે. પોલીસને બાતમી મળી હતી કે નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમમાં ખાનગી રીતે દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતાં ત્યાં 11 ટેબલ પર કેક, હુક્કા અને મોંઘા દારૂની બોટલો પીરસવામાં આવી રહી હતી. રેડ દરમિયાન 10થી વધુ હુક્કા તેમજ મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. 81 લોકોની કરાઇ અટકાયત પોલીસે કુલ 38 યુવતીઓ અને 43 યુવકો સહિત 81 લોકોની અટકાયત કરી છે. ધરપકડ કરાયેલા પૈકી મોટા ભાગના લોકોની ઉંમર 35થી 40 વર્ષથી વધુ…
અમદાવાદ: MG ફાર્મમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ફૂડ કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી
સેટેલાઈટ વિસ્તારમાં આવેલા MG ફાર્મમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસંગ દરમિયાન ફાર્મમાં મહેમાનો હાજર હતા, જેના કારણે હાજર લોકોમાં અફરાતફરી અને ફફડાટ મચી ગયો. ઘણા લોકો જિવ બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી, જે થોડીવાર માટે ભયજનક વાતાવરણ સર્જી ગયેલું હતું. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાયટર્સે મહેનત અને ઝડપી પગલાં સાથે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. તેના કારણે આગ વધુ ફેલાતા પહેલા જ રોકી દીધી. જાણકારી અને તપાસ સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા અથવા જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસ મુજબ, ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.…
India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. વૈશ્વિક બજારો માટે નવા દ્વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને…
પી.એમ.કિસાન પોર્ટલમાં ફાર્મર રજિસ્ટ્રેશન મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, મળી આટલા કરોડની ગ્રાન્ટ
ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રૂ.206 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ ગુજરાતના ખેડૂતોએ કરેલ ફાર્મર રજીસ્ટ્રીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને…
રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી આગામી તા. 21 ફેબ્રુઆરીથી થશે શરૂ, જાણો વિગત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન…
















