પંચાંગ /06 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ષષ્ટિ (છઠ્ઠ) 01:49 PM નક્ષત્ર પૂર્વભાદ્રપદ 04:08 PM કરણ : વાણિજ 01:49 PM વિષ્ટિ ભદ્ર 01:49 PM પક્ષ કૃષ્ણ યોગ સૌભાગ્ય 03:50 PM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:28 AM ચંદ્રોદય 11:15 PM ચંદ્ર રાશિ કુંભ સૂર્યાસ્ત 07:22 PM ચંદ્રાસ્ત 11:00 AM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…

ટ્રમ્પના ‘એક ગોળી’ નિવેદનથી ઈરાનમાં રોષ, અમેરિકાને આપ્યો કડક જવાબ

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં એકત્ર થયેલા ઈરાની નેતાઓનો ઉલ્લેખ કરતાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધુ ગાઢ બન્યો છે. ટ્રમ્પના નિવેદનથી વિવાદ અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે ખામેનીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ઈરાની નેતાઓ અંગે કહ્યું હતું કે, “બધા નેતાઓ એક જ જગ્યાએ છે, એક ગોળીથી બધું સમાપ્ત થઈ શકે, પરંતુ અમે એવું નહીં કરીએ કારણ કે પછી વાતચીત કરવા માટે કોઈ નહીં રહે.” ટ્રમ્પે એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે અલી ખામેનીના નિધન બાદ આટલી મોટી સંખ્યામાં લોકો શોક…

અયોધ્યા બાદ હવે બદ્રીનાથ ધામમાં દાન વિવાદ, CCTV તપાસ માટે 4 સભ્યોની કમિટી રચાઈ

અયોધ્યાના રામ મંદિરના ચઢાવા અને દાનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાન વ્યવસ્થાને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર કથિત ગેરરીતિઓના દાવા વાયરલ થયા બાદ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને ચાર સભ્યોની વિશેષ તપાસ સમિતિની રચના કરી છે. 7 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ BKTCના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) સોહન સિંહ રાંગડે જણાવ્યું કે સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીના નિર્દેશ પર ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. સમિતિને સમગ્ર મામલાની તપાસ કરીને 7 દિવસની અંદર રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મંદિર પરિસરના CCTV ફૂટેજ, સંબંધિત કર્મચારીઓના નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે હકીકતોની ચકાસણી કરવામાં આવશે. સોશિયલ…

PM મોદી ત્રણ દિવસીય ઇન્ડોનેશિયા પ્રવાસે, બ્રહ્મોસ મિસાઇલ ડીલ પર લાગી શકે છે મહોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઈથી ઇન્ડોનેશિયાના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વ્યૂહાત્મક, સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંરક્ષણ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમની ખરીદી અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે અને કરારને અંતિમ સ્વરૂપ મળવાની પણ શક્યતા છે. માત્ર મિસાઇલ નહીં, સંપૂર્ણ ડિફેન્સ સિસ્ટમ પર ચર્ચા માહિતી અનુસાર, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની ચર્ચા માત્ર બ્રહ્મોસ મિસાઇલના વેચાણ સુધી મર્યાદિત નહીં રહે. સંભવિત કરારમાં કોસ્ટલ અને મોબાઇલ લોન્ચર્સ, રડાર સિસ્ટમ, ઓપરેશનલ ટ્રેનિંગ, જાળવણી અને ટેક્નિકલ સપોર્ટ પેકેજ જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થઈ શકે છે. આ ડીલ સાકાર થાય તો ઇન્ડોનેશિયાને…

ટ્રમ્પની ફરી શાંતિ પહેલ: પુતિન અને ઝેલેન્સકી સાથે અલગ-અલગ વાતચીત, યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા મદદની ઓફર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ફરી એકવાર રાજદ્વારી પહેલ હાથ ધરી છે. ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે અલગ-અલગ ફોન પર લાંબી ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ વાતચીત તુર્કીમાં યોજાનારા નાટો (NATO) શિખર સંમેલન પહેલાં થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. અમેરિકાની 250મી વર્ષગાંઠના અવસરે થયેલી આ ચર્ચામાં ટ્રમ્પે યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે અમેરિકા તરફથી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. જોકે, રશિયાએ પોતાના વલણમાં કોઈ ફેરફારના સંકેત આપ્યા નથી. પુતિન સાથે લગભગ દોઢ કલાક ચર્ચા ક્રેમલિનના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે આશરે 90 મિનિટ સુધી ફોન પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીતને હકારાત્મક અને વ્યવહારિક ગણાવવામાં આવી છે. ચર્ચા દરમિયાન ટ્રમ્પે યુદ્ધનો અંત…

દિલ્હીમાં ભારે વરસાદથી હવાઈ સેવાઓ પ્રભાવિત, 15 ફ્લાઇટ ડાયવર્ટ

રવિવારે દિલ્હીમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને તેજ પવનને કારણે રાજધાનીમાં લાંબા સમયથી અનુભવાતી ઉકળાટ અને ભેજવાળી ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. જોકે, ખરાબ હવામાનની સીધી અસર દિલ્હી એરપોર્ટ પર હવાઈ સેવાઓ પર પણ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે 15 ફ્લાઇટ ડાયવર્ટ દિલ્હીમાં ભારે વરસાદ અને તેજ પવનને કારણે એરપોર્ટ પર લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતા 15 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરાઈ છે. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ, ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં 10 સ્થાનિક અને 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સને જયપુર અને લખનૌ એરપોર્ટ તરફ મોકલવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સના સંચાલનમાં વિલંબ પણ નોંધાયો હતો. વરસાદથી તાપમાનમાં ઘટાડો ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ…

મહેસાણામાં ભારે વરસાદનો કહેર: દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ માસૂમ બાળકનું મોત

ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં ભારે વરસાદને કારણે એક કરુણ અકસ્માત સર્જાયો છે. શહેરના પટ્ટાવાળાની ચાલી વિસ્તારમાં જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈને એક માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી મહેસાણા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. પાણી ભરાવા અને ભેજના કારણે પટ્ટાવાળાની ચાલી વિસ્તારમાં આવેલી એક જૂની અને જર્જરિત દીવાલનો પાયો નબળો પડી ગયો હતો. સ્થાનિક માહિતી મુજબ, આ દીવાલ નજીક એક બાળક રમતું હતું ત્યારે અચાનક દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. કાટમાળ નીચે દબાઈ ગયું બાળક દીવાલ ધરાશાયી થતાં જ મોટો અવાજ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે કાટમાળ નીચે બાળક…

અમરેલીમાં ભારે વરસાદનો કહેર: 5 તાલુકાની શાળાઓમાં રજા જાહેર, ધારીમાં 68 લોકોનું સફળ રેસ્ક્યૂ

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં નવા નીરની આવક અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે પાંચ તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. પાંચ તાલુકાની તમામ શાળાઓ રહેશે બંધ જિલ્લામાં સતત ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી તાલુકાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં રાત્રિ દરમિયાન વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે. ધારીના મીઠાપુર ડુંગળી ગામમાં પૂર…

મુંબઈમાં ઓરેન્જ એલર્ટ: ભારે વરસાદની આગાહી વચ્ચે આજે તમામ સ્કૂલો-કોલેજો બંધ, BMCએ નાગરિકોને ચેતવ્યા

મુંબઈમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ સોમવાર, 6 જુલાઈ 2026ના રોજ શહેરની તમામ સરકારી અને ખાનગી સ્કૂલો તેમજ કોલેજોમાં રજા જાહેર કરી છે. જો કે, સરકારી અને ખાનગી કચેરીઓ નિયમિત સમય મુજબ ચાલુ રહેશે. થાણે અને નવી મુંબઈમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ મુંબઈ ઉપરાંત થાણે જિલ્લા પ્રશાસને પણ સોમવારે જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તે જ રીતે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC)એ પણ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી છે. પ્રશાસને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને હવામાન સંબંધિત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. વૃક્ષો અને જોખમી ઇમારતોથી દૂર રહેવાની…

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈ એલર્ટ પર, રાજ્યમાં સરેરાશ 15.26% વરસાદ

ગુજરાતમાં ચોમાસું 2026 હવે સંપૂર્ણ તાકાત સાથે સક્રિય બન્યું છે. રાજ્ય સરકાર અને હવામાન વિભાગના સંકલિત અહેવાલ મુજબ આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં કુલ સરેરાશ 138.75 મિમી (આશરે 5.5 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે રાજ્યના કુલ સરેરાશ વાર્ષિક વરસાદના 15.26 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 196 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજના દિવસ દરમિયાન નોંધાયેલ વરસાદ (સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધી): – રાજુલા: 216 મિમી (8.5 ઇંચ) – ખાંભા: 135 મિમી (5.31 ઇંચ) – લીલીયા: 103 મિમી (4.06 ઇંચ) – સાવરકુંડલા: 94 મિમી…