આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે મેચ, ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

B INDIA અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. લાંબા સમય બાદ અમદાવાદમાં વન ડે ઈન્ટરનેશનલ મેચ યોજાશે. ગુજરાત બહારથી પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યાં છે. મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. -> ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં :- ભારત VS ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઇ ચુકી છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હતી. બીજી વન-ડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી હવે ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદમાં યોજાવાની છે. આ મેચને લઇને દર્શકોમાં ભારે ઉત્સુક્તા છે. સ્ટેડિયમમાંથી વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે. -> બુક માય શો પરથી પણ મળી શકશે ટિકિટ…

ઇમરાન હાશ્મીની આ બે ફિલ્મો તોડશે ‘સનમ તેરી કસમ’નો રેકોર્ડ, સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ રહી

દર્શકોના સ્વાદ પ્રમાણે બોક્સ ઓફિસનું ગણિત બદલાતું રહે છે. નવી ફિલ્મો બરબાદ થઈ રહી છે અને જૂની ફિલ્મો જે નિષ્ફળ ગઈ હતી તે હવે ફરીથી રિલીઝ થતાં ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી, બી-ટાઉનની ક્લાસિક કલ્ટ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ દિવસોમાં સનમ તેરી કસમનો જાદુ થિયેટરોમાં ચાલી રહ્યો છે.જ્યારે 2016 માં ‘સનમ તેરી કસમ’ રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. ૯ વર્ષ પછી, હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. માત્ર ચાર દિવસમાં, તેણે ૧૬ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને કમાણીનો આ સિલસિલો હજુ અટકવાનો નથી. હવે ચર્ચા થઈ રહી છે કે સનમ તેરી કસમ પછી, ઇમરાન હાશ્મીની બે ફિલ્મો ફરીથી…

પરીક્ષા પે ચર્ચા: દીપિકા પાદુકોણે પીએમ મોદીની પ્રશંસા કરી, વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે ટિપ્સ આપી

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’નો ભાગ બની છે. આ ખાસ પ્રસંગે, તેમણે માત્ર તેમના શાળાના દિવસોની યાદો જ શેર કરી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ પણ આપી. જેનો એક વીડિયો દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – ‘પરીક્ષા પે ચર્ચા’ તેની 8મી આવૃત્તિ સાથે પાછી આવી ગઈ છે, અને આ વખતે આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ મુદ્દા પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર. આ એપિસોડ લોન્ચ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ વીડિયોમાં, દીપિકા બાળકો સાથે નિખાલસ વાતચીત કરતી…

હાઈકોર્ટનું કડક વલણ, ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનારની હવે ખેર નહીં

હાઈકોર્ટે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામને લઈને લાલ આંખ કરી છે . અને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ કર્યો છે. કોર્ટ નોંધ્યું કે, રાજ્યમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. રાજ્યમાં ગેરકાયદેસર થયેલ ધાર્મિક બાંધકામ પર કોર્ટે લાલ આંખ કરતા તંત્રને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ગેરકાયદે બાંધકામ મુદ્દે અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા તંત્રને આદેશ કર્યો હતો. રાજ્યમાં આડેધડ ધાર્મિક બાંધકામ કરી નિર્દોષ નાગરિકોની જગ્યા પચાવી પાડવામાં આવે છે. પ્રજાની જગ્યાનો દુરુપયોગ ના થાય માટે કોર્ટે તંત્રને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો. તેમજ ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થાનો પર અનઅધિકૃત રીતે…

ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો, સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી

B INDIA ખેડા : ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ કેસમાં પરિણીત આરોપી કિશન પરમાર ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલામાં કોર્ટે દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને આધારે આરોપીને સજાનો હુકમ કર્યો હતો. આ મામલામાં કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે કપડવંજ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ મિનેષ પટેલ દ્વારા 13 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 8 જેટલા મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે. જજ કે.એસ. પટેલ એ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમારને સજાનો હુકમ કર્યો હતો. સરકારી…

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક, વધુ એક યુવાને આપઘાત કર્યો

B INDIA સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી છે. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. -> દવા પીને જીવન ટુંકાવ્યું :- વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. -> વ્યાજખોરોનો ત્રાસ :- મળતી માહિતી મુજબ વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા…

સુરતમાં RTO વિભાગની અંતે હડતાળ સમેટાઈ, પડતર પ્રશ્નોને લઈને કરાયો હતો વિરોધ

B INDIA સુરત : રાજ્યભરમાં RTO દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતાં આર.ટી.ઓના ટેક્નિકલ ઓફિસર કામ પરત ફર્યા છે. વિરોધ પ્રદર્શનનો અંત આવતાં અરજદારોને હાશકારો થયો છે. સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન અંતગર્ત આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા હતા. જેના લીધે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણની બાંહેધરી આપવામાં આવી હતી. જેના કારણે તમામ ઓફિસરો કામ પર પરત ફર્યા છે. સુરતમાં RTO વિભાગની હડતાલ સમેટાઈ છે. સરકાર દ્વારા ખાતરી આપતા છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાલ આખરે સમેટાઈ છે. આ…

રાજકોટમાં મધરાત્રે કરાઈ હત્યા, બે સગાભાઈઓેને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

B INDIA રાજકોટ : રાજકોટ શહેરના સંતકબીર રોડ પર બે સગા ભાઈઓની હત્યાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગાભાઈઓની પરપ્રાંતિય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. પરપ્રાંતિય યુવકે અદાવત રાખી બે ભાઈઓની ઘાતકી હત્યા કરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. -> બે સગાભાઈઓનાં મોત :-  બે સગાભાઈઓની હત્યાના સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બંને ભાઈઓના વિકી જૈન અને અમિત જૈન હોવાનું સામે આવ્યું. આ બંને ભાઈઓ છોટુ નામના શખ્સ સાથે રૂમ શેર કરીને રહે છે. ત્રણેય યુવાનો એક જ રૂમમાં રહી પોતાના કામ અર્થે દિવસ દરમ્યાન બહાર જતા હોય છે. આ દરમિયાન ગતરોજ વિકી જૈન અને અમિત જૈન બે સગાભાઈઓને સાથે રહેતા પરપ્રાંતીય…

એલોન મસ્કના એક ટ્વિટે મચાવ્યો હંગામો, માઇક્રોસોફ્ટ AI ખરીદવાની કરી ઓફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે. પીએમ મોદી પેરિસમાં AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે. જોકે, આ સમિટ પહેલા જ સ્ટારલિંકના માલિક એલોન મસ્કના એક ટ્વિટે હંગામો મચાવી દીધો છે. હકીકતમાં, મસ્કે માઇક્રોસોફ્ટ એઆઈ ખરીદવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક તેમના બોલ્ડ નિર્ણયો માટે જાણીતા છે અને તાજેતરમાં તેમણે ઓપન એઆઈને ફરીથી હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે. જે તેમણે સેમ ઓલ્ટમેન સાથે 2015 માં શરૂ કર્યું હતું. ઓપન એઆઈમાં મસ્કનો રસ તેમના ટ્વિટર સંપાદનની યાદ અપાવે છે, પરંતુ બંને કિસ્સાઓમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવતો છે. એલોન મસ્કનું ટ્વિટર ટેકઓવર એક મોટો અને લાંબો સંઘર્ષ હતો. આખરે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર $44 બિલિયનમાં ખરીદ્યું, જેનાથી…

ટ્રમ્પે આ કાયદો રદ કર્યો, અદાણી જૂથ સામેના બનાવટી આરોપોનો હવે આવશે અંત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અડધી સદી જૂના યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ 1977 ને રદ કર્યો. આ કાયદા હેઠળ અદાણી ગ્રુપની તપાસ ચાલી રહી હતી. આ કાયદાની નાબૂદી સાથે અદાણી જૂથ સામેના આ બનાવટી આરોપોનો અંત લાવવાનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. મંગળવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે આ કાયદાને અમેરિકન કંપનીઓને નબળી પાડતો ગણાવ્યો. યુએસ ન્યાય વિભાગને વિદેશી સરકારી અધિકારીઓને તેમના દેશોમાં વ્યવસાય મેળવવા માટે લાંચ આપવાના આરોપમાં અમેરિકનો સામે કાર્યવાહી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ કાયદો સારો લાગે છે, પરંતુ તેનાથી દેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન FCPA રદ કરવા માંગતા હતા. તેમણે તેને એક ભયંકર કાયદો ગણાવ્યો…