સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક, વધુ એક યુવાને આપઘાત કર્યો

B INDIA સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી છે. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

-> દવા પીને જીવન ટુંકાવ્યું :- વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

-> વ્યાજખોરોનો ત્રાસ :- મળતી માહિતી મુજબ વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા પરત કર્યા હતાં છતાં ગણેશ પટેલ મહેશ પાસેથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતો. ગણેશ પટેલ અવાર નવાર પોતાના માણસો મોકલી મહેશને ધમકી આપતો હતો. ગણેશ પટેલના માણસ મહેશ ઉપરાંત તેમના પરિવારને પણ હેરાન કરવા લાગ્યા હતાં. આખરે વ્યાજખોરોનો ત્રાસ વધતા મહેશ કાનેટિયા નામનો યુવાન કંટાળી ગયો અને અંતિમ પગલું ભરતાં આત્મહત્યા કરી હતી.

Related Posts

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *