તાઇવાનની સ્વતંત્રતાની તરફેણ કરતા લોકોમાં ભય ફેલાવતું ચીનનું નવું હુકમનામું, કહ્યું બસ નામ આપો…

બેઇજિંગે તાજેતરમાં એક એવુ હુકમનામું બહાર પાડ્યું છે જે તાઇવાન સમર્થકો અને સ્વતંત્રતાના પક્ષમાં રહેલા લોકોમાં ભયનું વાતાવરણ પેદા કરી શકે છે. ચીન સરકારે બુધવારે એક નવી “માહિતી ચેનલ” શરૂ કરી છે, જેમાં જનતાને વિનંતી કરવામાં આવી છે કે જો તેમની પાસે કોઈ વ્યક્તિ કે જૂથ વિશે માહિતી હોય જે તાઇવાનની સ્વતંત્રતાની તરફેણમાં કામ કરી રહ્યું છે અથવા ચીન સાથે શાંતિમાં અવરોધ ઉભો કરી રહ્યું છે તો તેઓ બેઇજિંગને જાણ કરે. ચીનનો આરોપ છે કે તાઇવાનની શાસક ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP) લોકો પર દમન અને અત્યાચાર કરી રહી છે. બુધવાર, 26 માર્ચના રોજ, ચીનની સ્ટેટ કાઉન્સિલના તાઇવાન બાબતોના કાર્યાલયે આ ચેનલની જાહેરાત કરતું એક હુકમનામું બહાર પાડ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક તાઇવાનના રાજકારણીઓ, સરકારી…

સંસ્કૃતિ કેન્દ્રે બ્રિટનમાં દુર્લભ સપ્ત માતૃકાની વાર્તા પર નૃત્ય રજૂ કર્યું

લંડનમાં કલા માટે અગ્રણી સંસ્થા ધ ભવન ખાતે સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખિત માતા દેવીઓની શક્તિશાળી વાર્તાનું નૃત્યમય રજૂકરણ કરવામાં આવ્યું. ‘માતૃ વંદના’ નામનો આ વિશિષ્ટ કાર્યક્રમ યુકેમાં માતૃદિનની ઉજવણી સાથે સંકળાયેલો હતો, જે સદીઓ જૂની ભારતીય અને બ્રિટિશ પરંપરાઓને સમાવી માતાઓ અને માતૃત્વનું સન્માન કરતો એક અનોખો સમારંભ હતો.આ પ્રસંગે બકિંગહામ પેલેસ દ્વારા મહામહિમ રાજા ચાર્લ્સ વતી મોકલાયેલા અભિનંદન સંદેશનું વાચન કરવામાં આવ્યું. શ્રોતાઓએ એક ભવ્ય શાસ્ત્રીય નૃત્ય જોયું, જેમાં સપ્ત માતૃકાઓ – સાત દિવ્ય માતાઓ – ને રક્તબીજની રાક્ષસી સેનાની સામે યુદ્ધ રત યોદ્ધાઓ તરીકે દર્શાવવામાં આવી હતી. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેના સંઘર્ષનું પ્રતીક હતું.કાર્યક્રમની ઉજવણી માટે લંડન યુનિવર્સિટીના પ્રોફેસર પીટર ઓસ્ટિન, બાફ્ટા સભ્ય પોલ બ્રેટ, પુરસ્કાર વિજેતા…

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત રાહત મળશે. આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ફરી ગરમી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે. આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન:- હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની…

ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા

ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્નોને લઈ 7 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે. કર્મચારીઓની હડતાળ યથાવત્:- રાજ્યભરના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા અને ફિલ્ડ…

GT vs PBKS: કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, કોણ છે ગુજરાત સામેની જીતનો અસલી હીરો

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે પંજાબની ટીમ 20 ઓવરમાં 243 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ ગુજરાત ટાઇટન્સ ટીમ ટાર્ગેટનો પીછો કરતા 232 રન જ બનાવી શકી હતી અને પંજાબનો 11 રને વિજય થયો હતો. ભલે પંજાબ કિંગ્સની ટીમની જીતમાં ઐયરની સદીએ મહત્વની ભૂમિકા ભજવી અને તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો, પરંતુ ખુદ કેપ્ટનને લાગે છે કે તે જીતનો અસલી હીરો નથી. અય્યરે સ્વીકાર્યું કે ગુજરાતની ઇનિંગ્સની છેલ્લી કેટલીક ઓવરો દરમિયાન, વિજય કુમાર વૈશાખે, પ્રભાવશાળી ખેલાડી તરીકે, શાનદાર બોલિંગ કરી જેણે મેચ બદલી નાખી. અય્યરે છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ કરનારા વિજયકુમાર વૈશાખ અને અર્શદીપ સિંહના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેણે…

‘શું તે સારો રોલ મોડલ નથી..’, સુનીલ ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પુરસ્કાર અંગે ગૌતમ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર, BCCIએ ટીમના ખેલાડીઓ અને કોચમાં ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. હવે સુનીલ ગાવસ્કરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. ગાસ્કરે ટીમના કોચ ગૌતમ ગંભીર પર સવાલ ઉઠાવ્યા છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાના જણાવ્યા અનુસાર, સહાયક કોચ અને સહાયક સ્ટાફને 50-50 લાખ રૂપિયા મળશે, જ્યારે અધિકારીઓને 25-25 લાખ રૂપિયા મળશે. મહાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે અને પૂછ્યું છે કે શું ગંભીર ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડની જેમ તેના પગલે ચાલશે અને તેના સપોર્ટ સ્ટાફ પાસેથી વધુ પૈસા લેવાનો ઇનકાર કરશે. વાસ્તવમાં, 2024 માં ભારતની T20 વર્લ્ડ કપ જીત પછી, દ્રવિડે તેના બાકીના સપોર્ટ સ્ટાફની બરાબરી પર રોકડ…

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો, કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે કરી ધરપકડ

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને અપહરણ અને પોક્સોના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. લાજપોર જેલમાં બંધ આરોપી કલ્પેશ ગલસાણીયા ફર્લો રજા ઉપર મુક્ત થયો હતો. ત્યાર બાદ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો. પોલીસને મળી સફળતા:- પોલીસની યાદીમાં જેલમાંથી ફરાર થયેલ માથાભારે ગુંડો કલ્પેશનું મોખરે હતું. પોલીસે આવા જેલની સજા બાદ ફરાર થઈ ગયા હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ગોડદારામાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગોડાદરાનો શોપિંગ સેન્ટર પર રેડ પાડી આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કરી છે. આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ…

કાજલ હિન્દુસ્થાનીનો દાવો, ભાજપનાં જ ધારાસભ્ય ચલાવે છે ધર્માતરણનો ધંધો?

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના વ્યારાની હોવાનો તેણે દાવો કર્યો છે. ઉપરાંત ધર્માંતરણના આ ખેલમાં ભાજપના જ ધારાસભ્ય મોહન કોંકણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે. કાજલ હિન્દુસ્થાનીના ટ્વીટથી ખળભળાટ:- સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસ્વીરો પણ શેર કરી છે. જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ…

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા. અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે. હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે…

નીતેશ રાણે માને છે કે તેમના કારણે હિન્દુ ધર્મ સુરક્ષિત છે, ઉદ્ધવ જુથના નેતાના પ્રહાર

શિવસેના MLC અનિલ પરબે મંગળવારે મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણે પર પ્રહારો કર્યા, અને તેમના પર વિભાજનકારી અને ખતરનાક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં, પરબે નિતેશ રાણે પર “પોતાને હિન્દુ ધર્મના રક્ષક કહેવા” બદલ પણ પ્રહાર કર્યા અને કહ્યું કે તેઓ લોકોને શું ખાવું તે નક્કી કરી શકતા નથી. રાણેનું નામ લીધા વિના, શિવસેના (UBT) નેતાએ કહ્યું, “મહારાષ્ટ્રમાં એક નેપાળી મંત્રી છે જે માને છે કે તેમના કારણે હિન્દુ ધર્મ સુરક્ષિત છે. હું તેમને સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણે આપણા ધર્મનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ.” તેમણે કહ્યું કે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેએ તેમને અન્ય કોઈ ધર્મ સાથે અન્યાય કર્યા વિના હિન્દુત્વના મૂલ્યો જાળવવાનું શીખવ્યું છે.. રાણેએ મલ્હાર સર્ટિફિકેટ શરૂ કર્યું હતું:-…