ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા

ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્નોને લઈ 7 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે.

આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે.

કર્મચારીઓની હડતાળ યથાવત્:- રાજ્યભરના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા અને ફિલ્ડ કામગીરી સાથે જોડાયેલા મેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર સહિતના 1200થી વધુ કર્મીઓ અલગ પ્રશ્નો સરકાર દ્વારા લાંબા સમયથી પડતર રાખ્યા હોવાથી હડતાળ પર ઉતરી ગયા હતા અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલા કે બાળકોના વેક્સિનેશન કામગીરી તેમજ સગીરોના આરોગ્ય ચકાસણી મેલેરિયા અટકાવવા માટે થતી ફિલ્ડ કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.

Related Posts

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *