ચૂંટણી પહેલા શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ, જાણો વિગત

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરા નગર પાલિકા (જિલ્લો: પંચમહાલ) અને ડભોઈ નગર પાલિકા (જિલ્લો: વડોદરા)માં થયેલા વિસ્તારના ફેરફારોને કારણે અનામત બેઠકોની ફાળવણી (Reservation Allocation) તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્ણય મુજબ, આ બંને નગરપાલિકાઓની બેઠકો હવે નવેસરથી નક્કી કરવામાં આવશે અને નવો આદેશ બહાર પાડાયા પછી જ આગામી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. શહેરા નગર પાલિકા વિસ્તારનો ફેરફાર પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાલિકામાં હવે નીચેના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરિઆલ, ઝોઝ, મીઠાપુર, ખરેડિયા ગૃપ, લાભી, હાંસેલાવ, ભદ્રાલા, વાંટા-વછોડા જૂથ ગ્રામ પંચાયત. આ વિસ્તારો ઉમેરાતા શહેરા નગરપાલિકાની હાલની અનામત બેઠકોની ફાળવણી અમાન્ય ગણવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નવો વિસ્તાર મુજબની બેઠક…

મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણને મંજૂરી

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણ માટે મંજૂરી આપી છે. આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયો છે અને દેશમાં અનેક પરિવારોના “ઘરનું સપનું” સાકાર થવામાં મદદ કરશે. આ મંજૂરી કઈ જગ્યાએ માટે છે? આ મકાનોના નિર્માણ માટેની મંજૂરી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે, જેમાં સમાવિષ્ટ છે: આસામ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, મેઘાલય, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ. યોજના શું છે? PMAY-Urban 2.0 નો ઉદ્દેશ છે કે શહેરી ગરીબ, મધ્યમ અને નબળા વર્ગના લોકોને પાયાની સુવિધાઓ સાથે પાકા ઘરો મળી રહે.…

ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ કટોકટી’ ઊભી કરીને બિનજરૂરી ઉતાવળ દેખાડવાનો આરોપ મૂક્યો અને તેમના વકીલની વર્તણૂકને ‘શરમજનક’ ગણાવી.1987માં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા બનાવવામાં આવેલા આ એપાર્ટમેન્ટમાં 132 ફ્લેટ છે. આમાંથી 110 ફ્લેટ ધારકોએ પુનઃવિકાસ માટે સંમતિ આપી, જે કાયદેસર રીતે જરૂરી સંખ્યા પૂરી કરે છે. GHB’એ પણ 2022થી આ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે. પરંતુ 34 ફ્લેટ ધારકોએ વિરોધ કર્યો. આ 34 અરજદારોએ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જ્યાં 2 સપ્ટેમ્બરે રિડેવલપમેન્ટ રોકવાની અરજી ફગાવાઈ. આ પછી તેઓ 15 સપ્ટેમ્બરે હાઈકોર્ટ પહોંચ્યા અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી. કોર્ટનો કડક અભિગમ…