ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Ahmedabad: અમિત શાહ કરશે બે મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચે સાંજે અમદાવાદ આવી પહોંચશે, અને 9 માર્ચે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની વર્તમાન ટર્મ પૂર્ણ થવાની છે. આ ટર્મ પૂરી થતી પહેલાં, 8 માર્ચે અમિત શાહ આગળના બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે, જે પૂર્વ અમદાવાદ માટે ખૂબ મહત્વના છે. પૂર્વ અમદાવાદ માટે આધુનિક સુવિધાઓ આ પ્રવાસ દરમિયાન, અમિત શાહ રૂ.61.67 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. આ કોમ્પ્લેક્સમાં રમતગમતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે યુવાનો અને ખેલાડીઓ માટે પ્રેરણાદાયી હશે. આ સિવાય, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ પણ કરવામાં આવશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા રૂટ પર ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી સ્થાનિક રહીશોને મોટા લાભ મળશે. ટર્મ પૂર્ણ…

ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે

તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિકાસ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે શહેરી વિકાસને એક તક તરીકે અપનાવી સર્વાંગી પ્રગતિના નવા આયામો સર કર્યા છે. સુવ્યવસ્થિત શહેર આયોજન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો કેન્દ્રિત શાસન ગુજરાતના વિકાસ મોડેલના મુખ્ય આધારસ્તંભો છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ કેરળના લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો આગળ વધારવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ પ્રવાસ ‘વિકસિત કેરળ’ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કેરળના પ્રતિનિધિઓએ…

ગુજરાત સરકારનો નગરપાલિકાને લઇ મોટો નિર્ણય : વિકાસ કામો માટે મળશે મફત જમીન, જાણો વિગત

ગુજરાત સરકારે શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. હવે નગરપાલિકાઓને સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા દર ચૂકવવાની જરૂર નહીં પડે. નિર્ણય પાછળનું કારણ અત્યારે નગરપાલિકાઓ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમને જંત્રીના નક્કી કરેલા દર મુજબ મોટી રકમ સરકારને ચૂકવવી પડતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર વિકાસપ્રોજેક્ટ્સમાં વિલંબ થતા હતા. નવા નિયમો હેઠળ નગરપાલિકાઓ પર આ ભારણ ઘટશે અને પાયાની સુવિધાઓ સમયસર નાગરિકોને ઉપલબ્ધ થશે. કઈ 11 સુવિધાઓ માટે જમીન મળશે મફતમાં? સરકાર દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર, નીચે મુજબની કામો માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવાશે: 1. નગરસેવા સદન (વહીવટી ઓફિસ) 2. ફાયર સ્ટેશન 3. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ…

BMC 2026: મહાયુતિ ગઠબંધનો ભવ્ય વિજય, 118 બેઠકો જીતી બહુમતી પાર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 227 બેઠકોમાંથી ગઠબંધે 118 બેઠકો જીતીને બહુમતી પાર કરી, અને શહેરની આગેવાની મેળવવા માટે જરૂરી 114 બેઠકો કરતાં વધુ સીટો મેળવી. બેઠકોનું વિભાજન: ભાજપ: 89 બેઠકો શિવસેના (એકનાથ શિન્દે ગ્રુપ): 29 બેઠકો શિવસેના (ઉદ્ધવ ભાઈ UBT) + MNS: 69 બેઠકો મહારાષ્ટ્રની બીજી મહાનગરપાલિકાઓમાં પણ મહાયુતિને સારા પરિણામો મળ્યા છે, જેમાં પુણે, નાગપુર અને નાશિકનો સમાવેશ થાય છે. BMC ની આ જીત રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ શહેરને રાજકીય દિશા માટે મોટા પાયે પ્રભાવશાળી ગણવામાં આવે છે. 2026ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “લોકોએ અમને આગામી પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. તેમનો વિશ્વાસ…

PM મોદીએ ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હવે મેટ્રો સેવા સીધી ગાંધીનગરના હૃદય સમાન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી શરૂ થઈ ગઈ છે. 5.36 કિમીનો નવો મેટ્રો રૂટ આ નવો મેટ્રો રૂટ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી કુલ 5.36 કિમી લાંબો છે. આ રૂટ શરૂ થતા ગાંધીનગરના મહત્વના વિસ્તારો હવે મેટ્રો અને રેલવે નેટવર્ક સાથે સીધા જોડાઈ ગયા છે. નવા રૂટમાં આવતાં મેટ્રો સ્ટેશનોમાં સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે મુસાફરો મેટ્રો દ્વારા સીધા ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે.…

ગુજરાત : રાજ્યની મહાનગર અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની સહાય

અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ…

ગુજરાતના શહેરોમાં હવા પ્રદૂષણ પર કડક પગલાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાની તત્કાલ અસર

શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતના મહાનગરોમાં હવા પ્રદૂષણ વધવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાનમાં રાખી, શહેરી વિકાસ વિભાગ દ્વારા માત્ર ત્રણ જ દિવસમાં 17 મહાનગરપાલિકાની 2600થી વધુ બાંધકામ સાઈટોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન 541 સાઈટોને દંડ કરી કુલ રૂ. 123 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે. રાજ્ય પહેલેથી જ સાવચેત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વિસ્તૃત એક્શન પ્લાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી કે હવા પ્રદૂષણના ભવિષ્યના ગંભીર અસરોને અટકાવવા માટે રાજ્યના તમામ વિભાગો સાથે સંકલિત પ્રયત્નો કરવાની જરૂર છે. શહેરી વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં મુખ્યમંત્રીની સૂચનાને અનુરૂપ, શહેરી વિકાસ…

હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં થશે વિકાસ અમદાવાદમાંમ જમીન-મકાનના ભાવ આસમાને આંબશે 3 લાખ નોકરી સર્જાશે, કોમનવેલ્થથી બદલાશે શહેરની સુરત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કર્ણાટક સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રખડતા શ્વાનના હુમલામાં મૃત્યુ થાય તો પરિવારને ₹5 લાખનું વળતર

કર્ણાટકમાં વધી રહેલા રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માનવતાપૂર્વકનો મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં રખડતા શ્વાન કરડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો મૃતકના પરિવારને કર્ણાટક સરકાર તરફથી ₹5 લાખનું વળતર આપવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય કેબિનેટની તાજેતરની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રખડતા ઢોર અને શ્વાનોની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. પરંતુ અકસ્માતની ઘટનામાં પીડિત પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી મળે તે હેતુથી આ નવી વળતર નીતિ અમલમાં મૂકી છે. ઈજાઓ માટે પણ સહાયની જાહેરાત – મૃત્યુની સાથે–સાથે શ્વાન કરડવાથી થતા ઈજાઓ માટે પણ સરકાર દ્વારા વળતરની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી નીતિ મુજબ: – જો વ્યક્તિને રખડતા શ્વાન કરડે અને…