મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણને મંજૂરી

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણ માટે મંજૂરી આપી છે. આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયો છે અને દેશમાં અનેક પરિવારોના “ઘરનું સપનું” સાકાર થવામાં મદદ કરશે.

આ મંજૂરી કઈ જગ્યાએ માટે છે?
આ મકાનોના નિર્માણ માટેની મંજૂરી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે, જેમાં સમાવિષ્ટ છે:
આસામ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, મેઘાલય, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ.

યોજના શું છે?
PMAY-Urban 2.0 નો ઉદ્દેશ છે કે શહેરી ગરીબ, મધ્યમ અને નબળા વર્ગના લોકોને પાયાની સુવિધાઓ સાથે પાકા ઘરો મળી રહે.

યોજનાની વિશેષતાઓ:
– 1 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવી
– આગામી 5 વર્ષમાં 1 કરોડ નવા ઘર બનાવવાનો લક્ષ્યાંક
– EWS, LIG, MIG કેટેગરીના પરિવારોને લાભ
– ₹2.5 લાખ સુધીની કેન્દ્રીય સહાય
– ખાસ ધ્યાન મહિલાઓના નામે મકાનના માલિકી અધિકાર પર

કોણ છે પાત્ર?
– યોજનાનો લાભ એવા પરિવારોએ લઈ શકશે:
– જેમની વાર્ષિક આવક નીચે મુજબ હોય:
– EWS: ₹3 લાખ સુધી
– LIG: ₹6 લાખ સુધી
– MIG: ₹9 લાખ સુધી
– પરિવારના કોઈ સભ્યના નામે પાકું મકાન ન હોવું જોઈએ
– 8 લાખ સુધીની લોન પર 4% વ્યાજ સબસિડી
– કુલ રૂ. 1.80 લાખ સુધીની રાહત મળી શકે છે

કેન્દ્ર સરકારની ભાવિ યોજના અને અસર
સરકારે જણાવ્યું હતું કે આ વધારાની મંજૂરીથી PMAY (Urban) અંતર્ગત કુલ મકાનોની સંખ્યા હવે 1.18 કરોડને પાર પહોંચી ગઈ છે. આ ઘરો શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબો અને મધ્યમ વર્ગ માટે રાહત લાવશે. સાથે જ, રોજગાર, ઇન્ડસ્ટ્રીલ ગ્રોથ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ વેગ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…