પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ધમકી આપી છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે અથવા તેની સિંધુ નદીનો પાણી પુરવઠો બંધ કરશે, તો પાકિસ્તાન માત્ર પરંપરાગત જ નહીં પરંતુ પરમાણુ શસ્ત્રોથી પણ જવાબ આપશે. રશિયન ટેલિવિઝન ચેનલ આરટી સાથે વાત કરતા, પાકિસ્તાની રાજદૂતે કહ્યું કે અમારી પાસે ભારતની લશ્કરી કાર્યવાહીની યોજનાઓ વિશે મજબૂત સંકેતો છે. ખાલિદ જમાલીએ દાવો કર્યો હતો કે કેટલાક લીક થયેલા દસ્તાવેજોમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હુમલો કરવાની યોજના છે. આનાથી આપણને એવું લાગે છે કે હુમલો નજીક છે અને ગમે ત્યારે થઈ શકે છે. સિંધુ જળ સંધિ…







