સુરત: રાજ ટેક્સટાઇલ માર્કેટમાં 14 કલાકની આગ કાબૂમાં, FSL બિલ્ડિંગની મજબૂતી તપાસશે
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ આશરે 14 કલાકની સતત જહેમત બાદ આખરે શાંત પડી ગઈ છે. ગઈકાલે સવારે 7:15 વાગ્યે આગ લાગવાના સમયે ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ પણ આગના સંકેતોને દૂર કરવા માટે કુલિંગ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ દુર્ઘટનામાં બે ફાયરજવાન ગૂંગળાયા અને એક ફાયર માર્શલ દાઝ્યા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આગના કારણે બિલ્ડિંગને થયેલા નુકસાનની તપાસ માટે હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ બિલ્ડિંગની મજબૂતી (સ્ટેબિલિટી) ચકાસશે. ખાસ કરીને B બ્લૉકના 5થી 7મા ફ્લોરની સ્થિતિ પર ધ્યાન આપવામાં આવશે, કારણ કે આ માળ પર આગ વધુ ફેલાઈ હતી. FSLની તપાસ પછી બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આગની…
શિક્ષણમાં ભ્રષ્ટાચાર,ક્યારે રોકશે સરકાર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
સુરતમાં 25થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં DEOની મિલિભગતથી શિક્ષણ જગતમાં ઉથલપાથલ શંકાના દાયરામાં DEO કર્મચારીઓ ખાનગી શાળાઓના રેકોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર ગેરરીતિઓ સામે આવતા શિક્ષણજગતમાં હાહાકાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ, 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ
મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ સતત ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરમાં હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદના કેડિલા ફ્લાયઓવર વિસ્તારમાં 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. 70 મીટર લાંબો અને 670 મેટ્રિક ટન વજનનો વિશાળ બ્રિજ આ સ્ટીલ બ્રિજ 70 મીટર લાંબો, 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. તેનો કુલ વજન લગભગ 670 મેટ્રિક ટન છે. નવસારી ખાતેની આધુનિક વર્કશોપમાં તેનું ફેબ્રિકેશન પૂર્ણ કર્યા બાદ તેને હેવી-ડ્યુટી ટ્રેલર્સ દ્વારા સુરક્ષિત રીતે નિર્માણ સ્થળે લાવવામાં આવ્યો હતો. બ્રિજને જમીનથી 16.5 મીટર ઊંચે ખાસ ડિઝાઇન કરાયેલા સ્ટીલ સ્ટેજિંગ પર એસેમ્બલ કરવામાં આવ્યો. તેની મજબૂતી સુનિશ્ચિત કરવા માટે આશરે 29,300 TTHS…
રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની રોટેશન યાદી અને અનામત વર્ગવાર બેઠક ફાળવણી યાદી પણ જાહેર કરી છે. કયા શહેરોમાં ફાળવણી થઈ? રાજ્ય ચૂંટણી આયોગે નીચેની 6 મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરી છે: – અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ – ભાવનગર – જામનગર તે ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા માટે પણ અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિગતવાર ફાળવણી અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. આ 192 બેઠકોમાંથી: – 133 બેઠકો અલગ-અલગ અનામત વર્ગોને ફાળવાઈ છે – 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી…
Surat: ₹202 કરોડના ખર્ચે તૈયાર થશે પીએમ એકતા મોલ, આ લોકોને થશે ફાયદો
આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિઝનને સાર્થક કરવા માટે નોંધપાત્ર પગલાં લઈ રહ્યું છે. આ પહેલના ભાગરૂપે, સુરતમાં ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. એકતા મોલનું નિર્માણ એ 2023-24ના કેન્દ્રીય બજેટમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ છે. વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ની મુહિમને સતત આગળ ધપાવતાં નાગરિકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. સુરતમાં નિર્માણાધીન એકતા મોલ આ ઝુંબેશને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલ ODOP (એક જિલ્લો, એક ઉત્પાદન), GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક…
Surat: બાળકને જન્મ આપી માતાએ હોસ્પિટલના જ કેમ્પસમાં કર્યો આપઘાત, બાળક સારવાર હેઠળ
રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આપઘાતનો એક હદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકને જન્મ આપી અને માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં મોરા ગામમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી લગ્નના 8 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ મહિલાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચ્યો છે. 10 દિવસ પહેલા જ યુવતી હોસ્પિટલમાં થઈ હતી દાખલ નવજાત બાળકની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તેમની માતાએ સિવિલ હોસ્પિટલના જ કેમ્પસમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. આપઘાત કરનાર યુવતી 10…
સુરત: મિશન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે
રાજ્યમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાને લઈને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતના અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 15 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ લાગવાને પગલે હોસ્પિટલમાં નાસભાગ અને દોડધામ મચી છે. આગની ઘટનાને લઈને હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.…
ઉનાળુ વેકેશનને લઈ એસ.ટી નિગમનો મહત્વનો નિર્ણય, ફરવા માટે કર્યું આ ખાસ આયોજન
રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે . નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 , દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ…
Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ
પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ મોત થયું હતું. જેમની અંતિમ યાત્રા આજે સવારે સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. શૈલેષ કળથિયાને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા હતા. મૃતકના પત્નીએ પાટીલને અનેક રજૂઆત કરી હતી અને પાટીલે તમામ રજૂઆત સાંભળી હતી. આતંકી હુમલામાં મૃતઉ પામેલ સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ ગઇકાલે સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શહીદ જેવું સન્માન આપવામાં આવ્યું હતું. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે શૈલેષ કળથિયા અંતિમ…
















