Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 19 માર્ચે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાર બાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ગતરાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું.અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે. આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે,આરોપીઓનો વરઘોડા કાઢવામાં આવે અને જો આ વાતનું શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવશે. સગીર પર હુમલાને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. પોલીસ સામે પાટીદાર…

Gandhinagar : ગાંધીનગરમાં ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું- ‘આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી’

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ‘હડતાળ કરીને તંત્રને બાનમા લેવું યોગ્ય નથી’. આરોગ્ય કર્મચારીઓ પોતાની હડતાળ નહીં સમેટે તો સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. ગાંધીનગર ખાતે વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર,વેપારીઓના 100 કરોડથી વધારે રૂપિયા અટવાયા હડતાળ ગેરવ્યાજબી :- વધુમાં તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે.…

પાકિસ્તાન ટીમને શું જોઈએ છે? શાહિદ આફ્રિદીના નિવેદનથી ખળભળાટ મચ્યો

હાલ પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 16 માર્ચે હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. અહીં ગ્રીન ટીમ 59 બોલ બાકી રહેતા નવ વિકેટે હારી ગઈ હતી. પાકિસ્તાની ટીમ હજુ આ મોટી હારમાંથી બહાર નીકળી નહોતી કે બીજી T20 મેચમાં પણ તેને 11 બોલ બાકી રહેતા પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પણ વાચો :- ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ, આ યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ જે બાદ તે દરેકના નિશાના પર છે. જોકે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ખેલાડીઓનો બચાવ કર્યો છે અને રાષ્ટ્રીય ટીમની પસંદગીની નીતિઓની ટીકા કરી છે. આફ્રિદીનું કહેવું છે કે, ખેલાડીઓ સાથે અંડર-14 સ્તરના ખેલાડીઓની જેમ…

Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે,ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ BJPની નીતિ છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા તેઓએ જણાવ્યું હતું કે, સરકારે કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કર્યું. ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપ્યું. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. તો બીજી તરફ અભિનેતા વિક્રમ ઠાકોરને લોકગાયક કીર્તિદાન ગઢવીનું સમર્થન મળ્યું છે. તેઓએ વિધાનસભામાં વિઝિટ માટે ન બોલાવતા વિક્રમ ઠાકોરની નારાજગીને…

gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે

ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ના બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી. આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે :- લોકગાયક કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે,વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી. કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે તો વિધાનસભામાં કોઈને આમંત્રણ ન હતુ. સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા. કલાકારોના અલગ અલગ ગ્રુપ બની…

‘ તે અદ્ભુત છે…’, રોહિત શર્માની કેપ્ટનશિપે બ્રાયન લારાને આશ્ચર્યચકિત કરી દીધું, નિવેદને હંગામો મચાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભારતે ખિતાબ જીત્યો હતો. ભારતની જીતમાં રોહિત શર્માએ 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અને પોતાની ટીમને જીત તરફ લઈ જવામાં સફળ રહ્યો હતો. રોહિતે કેપ્ટન તરીકે પણ પોતાની વ્યૂહરચનાથી વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. હવે વેસ્ટ ઈન્ડિઝના મહાન દિગ્ગજ બ્રાયન લારાએ રોહિતની કેપ્ટનશિપને લઈને નિવેદન આપ્યું છે અને તેણે રોહિતની કેપ્ટનશિપને અદ્ભુત ગણાવી છે. આ સિવાય લારાએ ભારતની વર્તમાન ODI ટીમની સરખામણી 1970-80ની વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે કરી છે. આ પણ વાંચો :- પાકિસ્તાન યજમાન હતું, પરંતુ ભારતની જીત બાદ દુબઇમાં કેમ કોઇ સમારોહમાં હાજર નહોતું: વસિમ અકરમ બ્રાયન લારાએ ભારતીય ટીમ વિશે કહ્યું, “આ ભારતીય ટીમ 1970-80ના દાયકાની વેસ્ટ ઈન્ડિઝની ટીમની યાદ અપાવે છે.” બ્રાયન લારાએ…

‘હું નહીં તો…’, કિંગ કોહલીએ પોતે કહ્યું ટીમમાં તેનું સ્થાન કોણ લઈ શકે છે, આ નિવેદને વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવ્યો

ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમને 252 રનનો ટાર્ગેટ આસાન જણાતો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ સતત ફટકો મારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. જોકે, રોહિતે 83 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે બાદ શ્રેયસ અય્યર (48) અને કેએલ રાહુલ (અણનમ 34)ની શાનદાર બેટિંગે એક ઓવર બાકી રહેતા ભારતને જીત અપાવી હતી. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેની શાનદાર બેટિંગના કારણે જ ટીમે રનનો પીછો કર્યો અને ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ પણ વાંચો :- Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કહ્યું :- ચેમ્પિયન બેટ્સમેન વિરાટ કોહલીએ…

Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું

સુરતમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલીગેન્સ રેસીડેન્સીમાં ડી-બિલ્ડીંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલીયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન…

‘જો તમારે ભારતને હરાવવા હોય તો…’, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શોએબ અખ્તર અને શોએબ મલિકના નિવેદને હંગામો મચાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમને ફાઇનલમાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમનો ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે સારો રેકોર્ડ છે. ન્યૂઝીલેન્ડે 2000 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 ODI વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જેવી તમામ મોટી મેચોમાં ભારતને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં તેઓ ફરી એક વખત મોટો અપસેટ ખેંચવાનો પ્રયાસ કરશે. આ પણ વાંચો :- ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…” શોએબ અખ્તર…

ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…”

ચેમ્પિયન્સ ટ્રોફીમાં મંગળવારે ટીમ રોહિતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને શાનદાર અંદાજમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ અનુભવી સુનીલ ગાવસ્કરે મેગા ફાઈનલ પહેલા એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, “ફાઈનલમાં પહોંચવા છતાં, ભારતીય ટીમ હજુ પણ 100 ટકા નથી રમી રહી, જ્યારે તેની અગાઉની મેચમાં ગાવકરની ટીમનું પ્રદર્શન 100 ટકા જીતી ગયું છે ભારત અસરકારક રહ્યું છે, ગાવસ્કર માને છે કે આ પ્રદર્શન દોષરહિત નથી અને છેલ્લી કેટલીક મેચોમાં, કેપ્ટન અને ઉપ-કેપ્ટન રોહિત અને ગિલ બંનેમાં સાતત્યનો અભાવ છે, સનીનું માનવું છે કે ભારતને પ્રથમ દસ ઓવરમાં વધુ વિકેટ લેવાની જરૂર છે. “ઘણા ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે” :- સનીએ કહ્યું, “ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન દોષરહિત નથી. જ્યારે તમે ઓપનરોને જુઓ છો, તેમણે ટીમને એવી શરૂઆત આપી નથી…