કૈલાશ માનસરોવરમાં ડૂબકીને લઇ જાણો ચીનના નિયમ પાછળનું કારણ
કૈલાશ માનસરોવર યાત્રામાં બદલાયો સ્નાનનો નિયમ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રા સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવના પવિત્ર ધામની યાત્રા કરવા માટે પહોંચે છે. માન્યતા અનુસાર માનસરોવર ઝીલમાં સ્નાન કરવાથી આધ્યાત્મિક શુદ્ધિ મળે છે અને ભક્તો માટે આ યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. જોકે, હવે શ્રદ્ધાળુઓ માનસરોવર ઝીલમાં સીધી ડૂબકી લગાવી શકતા નથી. વર્ષ 2018થી ચીન સરકાર દ્વારા માનસરોવર ઝીલમાં ઉતરીને સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે, શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને ઝીલના પાણીથી બહાર રહીને સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે યાત્રાળુઓ એક ડોલમાં પાણી ભરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરે છે. ચીન સરકારે કેમ લગાવ્યો કૈલાશ માનસરોવરમાં સ્નાનનો પ્રતિબંધ? માનસરોવર…
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક: ધાર્મિક સમિતિનું પુનર્ગઠન થયું
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, મંદિરના ધાર્મિક સંચાલન અને વહીવટી સુધારાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટે મંદિરના સંચાલનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. અયોધ્યા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન, સંતોના માર્ગદર્શન હેઠળ થશે તમામ ધાર્મિક કાર્યો બેઠકમાં મંદિરના તમામ ધાર્મિક કાર્યોની પવિત્રતા જળવાઈ રહે તે માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંદિરની પૂજા-અર્ચના, ધાર્મિક વિધિઓ અને પરંપરાગત કાર્યક્રમો સંતોના માર્ગદર્શન હેઠળ સંચાલિત થશે. અયોધ્યા ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી…
સોમનાથ ખાતે મહાશિવરાત્રીએ ભક્તિ-સેવાનો સુભગ સંયોગ; CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ₹1.08 કરોડનો ચેક અર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની તાજેતરની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રીએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ રચાયો હતો. દેશના અસ્તિત્વ અને ગૌરવનું પર્વ તથા આપણી હજાર વર્ષની યાત્રાનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પર્વમાં દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દેશના ખૂણે-ખૂણેથી વિશેષ ટ્રેન અને બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. સૌ યાત્રિકોને રેલ્વે સ્ટેશનથી લઈને મંદિર સુધી પહોંચવાની તમામ વ્યવસ્થાઓ તથા ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉદારતાથી કરવામાં આવી હતી. 1951માં સોમનાથ મંદિરનું પુન: નિર્માણ થયું ત્યારે નવનિર્મિત સોમનાથ મંદિર સામે ભક્તોને ભોજન પ્રસાદ પિરસવાનો પડકાર હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ સાથે સોમનાથ મંદિરના પુન:…
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન
જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 30-01-2026 થી તા. 01-02-2026 (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026′ નું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ 2008માં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી 2014માં થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.…
મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાસાગર, પ્રયાગરાજ સંગમ ખાતે 4.36 કરોડ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા ઐતિહાસિક માઘ મેળામાં મૌની અમાવસ્યાના પાવન અવસરે આસ્થાનો અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો. રવિવારે બ્રહ્મમુહૂર્તથી જ સંગમના ઘાટો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 4.36 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું, જે વહીવટીતંત્રના અંદાજ કરતા ઘણી વધુ સંખ્યા છે. સ્નાનનો ક્રમ વહેલી સવારથી શરૂ થયો હતો. સવારે 4 વાગ્યા સુધીમાં 50 લાખ, 6 વાગ્યા સુધીમાં 75 લાખ અને 7 વાગ્યા સુધીમાં 1 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. સવારે 8 વાગ્યા સુધીમાં આ આંકડો 1.3 કરોડને પાર ગયો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં 3.15 કરોડ, સાંજે 4 વાગ્યા સુધીમાં 3.82 કરોડ અને સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 4.36 કરોડ ભક્તોએ સ્નાન પૂર્ણ કર્યું હતું. ગત…
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે. …
અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…
DASHERA 2025: જાણો રાવણ દહન અને પૂજાના શુભ સમયની વિગત
દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર પૈકી એક છે. આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુરનો વિનાશ કર્યો હતો – આ બંને ઘટનાઓ ઉજવીને દશેરા મનાવવામાં આવે છે. દશેરા માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે એટલું જ નહીં, પણ આ દિવસ એ નવો આરંભ કરવાનો, શસ્ત્ર પૂજા, વાહન પૂજા અને નોકરી-ધંધામાં પ્રગતિ માટે શુભ દિવસ માનવામાં આવે છે. દશેરા 2025 ક્યારે છે? હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાની શુક્લ પક્ષ દશમી તિથિ: પ્રારંભ: 1 ઓક્ટોબર 2025, બુધવાર – સાંજે 7:01 કલાકે સમાપ્તિ: 2 ઓક્ટોબર 2025, ગુરુવાર – સાંજે 7:10 કલાકે ઉદયાતિથિ મુજબ દશેરા 2 ઓક્ટોબર…















