DASHERA 2025: જાણો રાવણ દહન અને પૂજાના શુભ સમયની વિગત

દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર પૈકી એક છે. આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુરનો વિનાશ કર્યો હતો – આ બંને ઘટનાઓ ઉજવીને દશેરા મનાવવામાં આવે છે.

 

દશેરા માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે એટલું જ નહીં, પણ આ દિવસ એ નવો આરંભ કરવાનો, શસ્ત્ર પૂજા, વાહન પૂજા અને નોકરી-ધંધામાં પ્રગતિ માટે શુભ દિવસ માનવામાં આવે છે.

 

દશેરા 2025 ક્યારે છે?

હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાની શુક્લ પક્ષ દશમી તિથિ:

પ્રારંભ: 1 ઓક્ટોબર 2025, બુધવાર – સાંજે 7:01 કલાકે

સમાપ્તિ: 2 ઓક્ટોબર 2025, ગુરુવાર – સાંજે 7:10 કલાકે

ઉદયાતિથિ મુજબ દશેરા 2 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે.

 

દશેરા 2025ના મુખ્ય શુભ મુહૂર્ત

– શ્રી રામ પૂજા મુહૂર્ત

સવાર 11:46 થી બપોરે 12:34 વાગ્યા સુધી

આ અભિજિત મુહૂર્ત દરમિયાન શ્રી રામ અને માતા સીતાની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.

 

– શસ્ત્ર પૂજા મુહૂર્ત

બપોરે 1:21 થી 3:44 વાગ્યા સુધી

વિજય મુહૂર્ત: બપોરે 2:09 થી 2:56 વાગ્યા સુધી

શસ્ત્ર પૂજા, વાહન પૂજા અથવા નવો વેપાર શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે.

 

– રાવણ દહન મુહૂર્ત

સાંજે 6:05 વાગ્યે

પ્રદોષ કાળ દરમ્યાન રાવણ દહન કરવું ઉત્તમ માનવામાં આવે છે. આ સમય ભગવાન શિવને અર્પિત છે અને રાવણ પણ શિવનો ભક્ત હતો, તેથી આ સમય વિશેષ પવિત્ર ગણાય છે.

 

દશેરા 2025નું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ

દશેરાનો દિવસ અબુજ મુહૂર્ત હોય છે – એટલે કે કોઈ પણ શુભ કાર્ય માટે પંડિતની સલાહ વગર પણ શરૂઆત કરી શકાય છે. શમી વૃક્ષની પૂજા અને પાન વિતરણ કરવાની પરંપરા સુખ-સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. આ દિવસે શત્રુઓ પર વિજય, કાર્યક્ષેત્રમાં સફળતા અને ઘરેલુ સુખ-શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે.  શસ્ત્ર અને સાધનોની પૂજા કરીને પોતાના વ્યવસાય અથવા કારકિર્દીમાં નવી ઊંચાઈએ પહોંચવાના સંકલ્પ લેવાય છે.

 

દશેરા 2025ના શુભ કામો:

નવા ઘરની સ્થાપના

વાહન ખરીદી

વ્યવસાય શરૂ કરવો

જમીન કે મિલકત ખરીદવી

સાધન સમાન અથવા શસ્ત્રોની પૂજા

 

દશેરા એ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, ધર્મ અને શૂરવીરતાનું પ્રતિક છે. વર્ષ 2025માં આ તહેવાર ગુરુવાર, 2 ઓક્ટોબરના રોજ ઉજવાશે. જીવનમાં નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે આ દિવસ શ્રેષ્ઠ અવસર છે. શ્રી રામ અને દેવી દુર્ગાની કૃપાથી દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસે – એવી શુભકામનાઓ.

Related Posts

રાશિફળ/01 ઓગષ્ટ 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં (રાશિફળ) જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. આજે તમારા ભાઈ બહેનો તમારા થી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ માં આવી શકો છો. જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે. તમને કોઈક સારા સમચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મુકશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી…

અંક જ્યોતિષ/01 ઓગષ્ટ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *