DASHERA 2025: જાણો રાવણ દહન અને પૂજાના શુભ સમયની વિગત

દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર પૈકી એક છે. આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુરનો વિનાશ કર્યો હતો – આ બંને ઘટનાઓ ઉજવીને દશેરા મનાવવામાં આવે છે.

 

દશેરા માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે એટલું જ નહીં, પણ આ દિવસ એ નવો આરંભ કરવાનો, શસ્ત્ર પૂજા, વાહન પૂજા અને નોકરી-ધંધામાં પ્રગતિ માટે શુભ દિવસ માનવામાં આવે છે.

 

દશેરા 2025 ક્યારે છે?

હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાની શુક્લ પક્ષ દશમી તિથિ:

પ્રારંભ: 1 ઓક્ટોબર 2025, બુધવાર – સાંજે 7:01 કલાકે

સમાપ્તિ: 2 ઓક્ટોબર 2025, ગુરુવાર – સાંજે 7:10 કલાકે

ઉદયાતિથિ મુજબ દશેરા 2 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે.

 

દશેરા 2025ના મુખ્ય શુભ મુહૂર્ત

– શ્રી રામ પૂજા મુહૂર્ત

સવાર 11:46 થી બપોરે 12:34 વાગ્યા સુધી

આ અભિજિત મુહૂર્ત દરમિયાન શ્રી રામ અને માતા સીતાની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.

 

– શસ્ત્ર પૂજા મુહૂર્ત

બપોરે 1:21 થી 3:44 વાગ્યા સુધી

વિજય મુહૂર્ત: બપોરે 2:09 થી 2:56 વાગ્યા સુધી

શસ્ત્ર પૂજા, વાહન પૂજા અથવા નવો વેપાર શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે.

 

– રાવણ દહન મુહૂર્ત

સાંજે 6:05 વાગ્યે

પ્રદોષ કાળ દરમ્યાન રાવણ દહન કરવું ઉત્તમ માનવામાં આવે છે. આ સમય ભગવાન શિવને અર્પિત છે અને રાવણ પણ શિવનો ભક્ત હતો, તેથી આ સમય વિશેષ પવિત્ર ગણાય છે.

 

દશેરા 2025નું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ

દશેરાનો દિવસ અબુજ મુહૂર્ત હોય છે – એટલે કે કોઈ પણ શુભ કાર્ય માટે પંડિતની સલાહ વગર પણ શરૂઆત કરી શકાય છે. શમી વૃક્ષની પૂજા અને પાન વિતરણ કરવાની પરંપરા સુખ-સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. આ દિવસે શત્રુઓ પર વિજય, કાર્યક્ષેત્રમાં સફળતા અને ઘરેલુ સુખ-શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે.  શસ્ત્ર અને સાધનોની પૂજા કરીને પોતાના વ્યવસાય અથવા કારકિર્દીમાં નવી ઊંચાઈએ પહોંચવાના સંકલ્પ લેવાય છે.

 

દશેરા 2025ના શુભ કામો:

નવા ઘરની સ્થાપના

વાહન ખરીદી

વ્યવસાય શરૂ કરવો

જમીન કે મિલકત ખરીદવી

સાધન સમાન અથવા શસ્ત્રોની પૂજા

 

દશેરા એ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, ધર્મ અને શૂરવીરતાનું પ્રતિક છે. વર્ષ 2025માં આ તહેવાર ગુરુવાર, 2 ઓક્ટોબરના રોજ ઉજવાશે. જીવનમાં નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે આ દિવસ શ્રેષ્ઠ અવસર છે. શ્રી રામ અને દેવી દુર્ગાની કૃપાથી દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસે – એવી શુભકામનાઓ.

Related Posts

શ્રીકૃષ્ણની એ 5 ગામોની માંગ અને દુર્યોધનની હઠ: જાણો મહાભારતનું આ અણજાણ્યું સત્ય.

મહાભારતનું ઐતિહાસિક તથ્ય: શ્રીકૃષ્ણે પાંડવો માટે માંગ્યા હતા જે 5 ગામ, આજે કયા શહેરો તરીકે ઓળખાય છે? મહાભારતના યુદ્ધને ટાળવા માટે ભગવાન શ્રીકૃષ્ણે શાંતિદૂત બનીને હસ્તિનાપુર જઈને દુર્યોધન પાસે પાંડવો…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *