20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster Risk Reduction – CBDRR) માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ₹507 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે. પંચાયત સ્તરે આપત્તિ વ્યવસ્થાપન મજબૂત બનશે ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં શરૂ કરાયેલું રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ હવે પંચાયત સ્તર સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિનો સામનો કરવા માટે સ્થાનિક સમુદાયોને સજ્જ બનાવવામાં આવે. ‘બોટમ-અપ’ અભિગમ પર ભાર આ કાર્યક્રમ હેઠળ નીચેથી ઉપરના અભિગમ (Bottom-up Approach) દ્વારા આપત્તિ જોખમ ઘટાડા (DRR)ની પ્રથાઓને શાસન માળખામાં એકીકૃત કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતો અને…
ચક્રવાત દિત્વાહ: 47 ફ્લાઇટ્સ રદ ટ્રેનો પણ બંધ; તમિલનાડુ–પુડુચેરીમાં હાઈ એલર્ટ, NDRF તૈનાત
ચક્રવાત દિત્વાહ આજે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું આજે જ ભૂમિ પર ત્રાટકવાની શક્યતા છે. હાલમાં તોફાન “ચક્રવાતી તોફાન” સ્તરે છે અને વધુ મજબૂત થવાના કોઈ સંકેત નથી. શ્રીલંકામાં ભારે વિનાશ – દિત્વાહ ભૂમિ સ્પર્શ કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કિનારે ભારે તબાહી મચાવી હતી. – અત્યાર સુધી 150 થી વધુ લોકોના મોત – અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન – હજારો લોકો બેસહારા – તમિલનાડુમાં રેડ અને ઓરેન્જ એલર્ટ IMD એ રાજ્ય માટે ગંભીર ચેતવણીઓ જાહેર કરી છે: – 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ – 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ – કેટલાક શહેરોમાં પહેલેથી જ ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યા છે. – IMD મુજબ, ચક્રવાત…
ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન
રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ઘટના : કૌડિયાલા નદીમાં હોડી પલટી, 20થી વધુ લોકો ગુમ
ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૌડિયાલા નદીમાં એક હોડી પલટી જતા 20થી વધુ લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. ઘટના બનતાની સાથે જ આસપાસના ગામોમાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં વહેતા લોકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ હોડીમાં સ્થાનિક ગામલોકો બજાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે હોડી અચાનક સંતુલન ગુમાવીને પલટી ગઈ. હોડીમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ 20થી વધુ લોકો ગુમ થયા છે અને કેટલાક લોકોને સ્થાનિક માછીમારો અને ગ્રામજનો દ્વારા બચાવાયા છે. સ્થાનિક વહીવટીતંત્રે ઘટના બાદ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દીધી છે, જ્યાં બચાવ કામગીરી ચાલી રહી…
વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત, 3 ઘાયલ
બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ ખાતે શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન એક દુ:ખદ ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, મંદિર સંકુલમાં તાજેતરમાં બનાવેલી દિવાલ ધરાશાયી થઈ, જેમાં 8 લોકો માર્યા ગયા અને 3 અન્ય ઘાયલ થયા. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી મંદિરમાં હાજર ભક્તોમાં ગભરાટ ફેલાઈ ગયો. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી સંભાળી અને ઘણા લોકોને બચાવ્યા. ભારે વરસાદ બાદ ભારે પવન ફૂંકાતા સિંહાચલમ ટેકરી પર રાત્રે લગભગ 2:15 વાગ્યે આ અકસ્માત થયો. આ દરમિયાન, 300 રૂપિયાની ટિકિટ માટે કતારમાં ઉભા રહેવા માટે બનાવેલી નવી દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી સાત…










