Junagadh: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આરટીઓ કચેરી ખાતે રક્તદાન તથા નિદાન કેમ્પનું આયોજન

MEET BUDDHBHATTI, Junagadh / માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ આરટીઓ કચેરી ખાતે આજે રક્તદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરટીઓ કચેરી ખાતે આવનાર નાગરિકો માટે ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ અન્ય સામાન્ય રોગોની મફત તપાસ કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતના કેસોમાં જરૂરી રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે રક્તદાન કરવાથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી, પરંતુ તે અનેક જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી વધુમાં વધુ લોકોએ રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ. આ પ્રસંગે આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે જ…