દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…

નાગાલેન્ડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, 8ના મોત; અનેક લોકો કાટમાળ નીચે હોવાની આશંકા

નાગાલેન્ડમાં સતત પડી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના મોન જિલ્લામાં રવિવારે સવારે થયેલા ભયાનક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 13 મકાનો સંપૂર્ણપણે કાટમાળ નીચે દબાઈ ગયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. આ દુર્ઘટના મોન જિલ્લાના ડિફેન્સ કોલોની વિસ્તારમાં બની હતી, જ્યાં ભારે વરસાદ બાદ અચાનક પહાડીનો મોટો ભાગ ધસી પડતાં રહેણાંક મકાનો ક્ષણોમાં જ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. SDRF, NDRF અને આસામ રાઇફલ્સ બચાવ કામગીરીમાં જોડાયા ભૂસ્ખલનની માહિતી મળતા જ SDRF, NDRF,…

વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત, 3 ઘાયલ

બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ ખાતે શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન એક દુ:ખદ ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, મંદિર સંકુલમાં તાજેતરમાં બનાવેલી દિવાલ ધરાશાયી થઈ, જેમાં 8 લોકો માર્યા ગયા અને 3 અન્ય ઘાયલ થયા. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી મંદિરમાં હાજર ભક્તોમાં ગભરાટ ફેલાઈ ગયો. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી સંભાળી અને ઘણા લોકોને બચાવ્યા. ભારે વરસાદ બાદ ભારે પવન ફૂંકાતા સિંહાચલમ ટેકરી પર રાત્રે લગભગ 2:15 વાગ્યે આ અકસ્માત થયો. આ દરમિયાન, 300 રૂપિયાની ટિકિટ માટે કતારમાં ઉભા રહેવા માટે બનાવેલી નવી દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી સાત…

પાકિસ્તાનમાં હાઇજેક કરાયેલી ટ્રેનના 104 બંધકોને મુક્ત કરાવાયા, 100થી વધુ હજુ બાનમાં

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઇજેક થયેલી ટ્રેનમાં બંધક બનાવવામાં આવેલા 100 થી વધુ લોકોના જીવ હજુ પણ જોખમમાં છે. ટ્રેનનું અપહરણ થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. બંધકોને મુક્ત કરાવવા માટે પાકિસ્તાન સુરક્ષા દળોનું બચાવ કાર્ય સતત ચાલુ છે. દરમિયાન, બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે બચાવ કામગીરીમાં અત્યાર સુધી મળેલી સફળતા વિશે માહિતી આપી છે. શાહિદ રિંદના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 80 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં ૧૦૪ બંધકોને મુક્ત કરવામાં આવ્યાનો ખુલાસો થયો છે :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં અપહરણ કરાયેલી ટ્રેનમાંથી 100 થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ૧૦૪ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, બલુચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ પર પાકિસ્તાનના વડા પ્રધાન…

બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા

-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે : -> ઘણા લોકોનો કોઇ પત્તો નથી :- હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 60 વર્ષીય પવન કુમાર, 70 વર્ષીય સુધીર મંડલ અને…