જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરશે મગફળીના બિયારણનું વેચાણ, આજથી આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન નોંધણી

આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળીના બિયારણનું વેચાણ ચાલુ કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની GJG-22 અને OJG-32 તેમજ સોયાબીનની GS-4 ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી આજથી શરુ થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર 27/03/2025 થી 7/04/2025 સુધી નોંધણી કરાવી શકાશે. ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જ જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી જરૂરી છે. એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે. તે જ પાક અને જાતનું બિયારણ મળવાનું રહેશે. જેમની અરજી મંજૂર થશે, તેમને અરજીમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ અથવા વિતરણ અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. બિયારણ લેવા માટે ખેડૂતમિત્રોએ સીડ હબ ગોડાઉન (યુનિવર્સિટી ગેટ નંબર-3), બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ,…

દિલ્હીની મહિલાઓ માટે આવી ગઇ ખુશખબર, આ તારીખથી શરૂ થશે માસિક રૂપિયા 2500ની સહાય યોજના

દિલ્હીમાં ભાજપ સરકારની ‘મહિલા સમૃદ્ધિ યોજના’ 8 માર્ચથી શરૂ થવાની ધારણા છે. ગુરુવારે સૂત્રોએ આ માહિતી આપી. દિલ્હીમાં 21-60 વર્ષની વય જૂથની મહિલાઓ જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તેમને યોજનાના પ્રસ્તાવ હેઠળ માસિક 2,500 રૂપિયાની સહાય મળશે. આ યોજના સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્ય સચિવની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પાત્રતા માપદંડો પર ચર્ચા કરવામાં આવી હતી. આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત ભાજપનું ચૂંટણીમાં મુખ્ય વચન હતું વિધાનસભા ચૂંટણીમાં આ યોજના ભાજપનું એક મુખ્ય ચૂંટણી વચન હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, “મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ નોંધણી માટે લાયક મહિલાઓની આવક મર્યાદા 2.5 લાખ રૂપિયા હશે. અમે આ યોજનાનો…