આસામમાં ભાજપને લાગ્યો મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધરી દીધું રાજીનામું
આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે 17 અન્ય સભ્યો પણ જોડાયા છે. રાજેન ગોહૈને રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાને લખેલા પત્રમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદ અને પાર્ટીની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામું આપનારા મોટાભાગના સભ્યો ઉપલા અને મધ્ય આસામના છે. પત્રકારો સાથે વાત કરતા, રાજેન ગોહૈને કહ્યું કે ભાજપ આસામના લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ અને સ્થાનિક સમુદાયો સાથે દગો કર્યો, જ્યારે બહારના લોકોને રાજ્યમાં સ્થાયી થવા દીધા.” ગોહૈનનું જાણો રાજકીય કરિયર રાજેન ગોહૈન…







