કરોડોની ભીડ દ્વારા નદીમાં સ્નાન છતા મહાકુંભમાં નથી ફેલાઇ બીમારી, ન્યુક્લિઅર ટેક્નોલોજીને જાય છે શ્રેય

અત્યાર સુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે, પરંતુ અત્યાર સુધી મહાકુંભમાં કોઈ પણ પ્રકારની બીમારી ફેલાવાના કોઈ સંકેત નથી. આ આંકડો અમેરિકા અને રશિયાની સંયુક્ત વસ્તી કરતાં પણ વધુ છે. દેશના વિજ્ઞાન મંત્રીએ આનો શ્રેય પરમાણુ ટેકનોલોજીના ચમત્કારને આપ્યો. કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ’50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે અને છતાં સ્વચ્છતા સંબંધિત કોઈ સમસ્યા કે રોગચાળાના ભયના કોઈ સંકેત નથી.’ રવિવારે તેમણે સંગમમાં સ્નાન કર્યું. -> પરમાણુ ટેકનોલોજીનો ચમત્કાર :- કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એક મોટી વાત છે અને આ અનોખી સિદ્ધિ પરમાણુ ટેકનોલોજી પર આધારિત ગટર શુદ્ધિકરણ પ્લાન્ટને કારણે શક્ય બની છે. આ પ્લાન્ટ મુંબઈ સ્થિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને કલ્પક્કમ…