ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની મોટી કાર્યવાહી, વધુ એક આરોપી ઝડપાયો; કુલ 28 આરોપી જેલહવાલે

ભાવનગરમાં સામે આવેલા ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ યથાવત્ છે. કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે. SMCની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ટીમે ભચાઉ ખાતે દરોડો પાડ્યો હતો. અહીંથી કેસમાં સંડોવાયેલા હોવાના આરોપસર ઇશ્વરભા દેવરાજભા ગઢવીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભચાઉથી આરોપીની ધરપકડ SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ભચાઉમાં કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ઇશ્વરભા દેવરાજભા ગઢવી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ધરપકડ બાદ આરોપીને જરૂરી કાયદાકીય પ્રક્રિયા માટે ભાવનગર ખાતે લાવવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીની પૂછપરછ દ્વારા…

લાઠીચાર્જ અને પેલેટ ગન મુદ્દે સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો, રાહુલ ગાંધીના ગંભીર સવાલ

દિલ્હીમાં તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહી, કથિત લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગને લઈને રાજકીય તણાવ વધુ ઘેરો બન્યો છે. મંગળવારે ગૃહ બાબતોની સંસદીય સમિતિની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચાની માંગને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હોવાનો અહેવાલ છે. વિપક્ષી સભ્યોએ જંતર-મંતર અને સંસદ તરફના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી અંગે સમિતિમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષે ખાસ કરીને વિદ્યાર્થી સાહિલ લોચબને થયેલી પેલેટ ઈજાઓ અને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમિતિના અધ્યક્ષ તથા ભાજપના સાંસદ રાધામોહન દાસે આ મુદ્દાઓને બેઠકના એજન્ડામાં સામેલ કરીને ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આ બાબતે બેઠકમાં વાતાવરણ ગરમાયું હતું અને વિપક્ષી…

દિલ્હી : જંતર-મંતર વિવાદમાં રાજકીય ઘમાસાણ, કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર

દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેનો રાજકીય વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પોલીસ કાર્યવાહીને યોગ્ય ગણાવતા ગંભીર ઈજા કે જાનહાનિ ન થઈ હોવાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ રિજિજુના નિવેદનને પડકારતાં વિદ્યાર્થીઓ પર કથિત રીતે થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે સવાલો ઉઠાવ્યા અને સરકાર પર સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો. આ સમગ્ર મામલો હવે સંસદથી લઈને રાજકીય મંચ સુધી ચર્ચાનો વિષય બન્યો છે. જંતર-મંતર વિવાદમાં કિરેન રિજિજુએ શું કહ્યું? કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જંતર-મંતર પર થયેલા મોટા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને દિલ્હી પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીનો બચાવ…

NEET મુદ્દે સંસદમાં ઘમાસાણ: કિરેન રિજિજુનો વિપક્ષ પર ગંભીર આક્ષેપ, અમિત શાહ ચર્ચા માટે તૈયાર

NEET પરીક્ષા સાથે જોડાયેલા વિવાદ, કથિત પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈને સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેનો ટકરાવ યથાવત્ છે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરી રહ્યો છે, જ્યારે સરકારનું કહેવું છે કે તે સંસદમાં આ મુદ્દે ખુલ્લી અને વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષ પર ચર્ચાથી દૂર ભાગવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પોતાના લાંબા રાજકીય જીવનમાં તેમણે આવી સ્થિતિ પહેલીવાર જોઈ છે, જેમાં સરકાર પોતે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચા કરવા તૈયાર નથી. ‘હું ખૂબ નિરાશ છું’ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકાર NEET પરીક્ષા…

પશ્ચિમ બંગાળમાં લાઉડસ્પીકર વિવાદે પકડ્યું જોરઃ ટિટાગઢમાં મસ્જિદોના માઈક હટાવાયા, પોલીસ કાર્યવાહી સામે સવાલ

પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ટિટાગઢ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા કેટલીક મસ્જિદો પરથી લાઉડસ્પીકર અને માઈક્રોફોન હટાવવામાં આવ્યા હોવાના અહેવાલ બાદ સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. મસ્જિદ સમિતિઓ અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ પોલીસની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે, જ્યારે પોલીસ અને વહીવટીતંત્રનું કહેવું છે કે કાર્યવાહી ધ્વનિ પ્રદૂષણના નિયમોના અમલ માટે કરવામાં આવી રહી છે. આ મામલો હવે કલકત્તા હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવાની મંજૂરી મળ્યા બાદ સમગ્ર કાર્યવાહી કયા નિયમો હેઠળ કરવામાં આવી અને પોલીસને કયા આધારે લાઉડસ્પીકર હટાવવાની સત્તા મળી તે મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. ટિટાગઢમાં મસ્જિદો પરથી…

CJPના અલ્ટીમેટમ બાદ સરકારે પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી અંગે કેન્દ્રે મંગાવી વિગતો

NEET સહિત વિવિધ મુદ્દાઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને લઈને મહત્વપૂર્ણ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર એવા રાજ્યો પાસેથી માહિતી મંગાવી રહી છે જ્યાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારનું કહેવું છે કે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ નોંધાવનાર નાગરિકો સામે કોઈપણ પ્રકારની અન્યાયપૂર્ણ કાર્યવાહી થવી જોઈએ નહીં. આ ઘટનાક્રમ બાદ ફરી એકવાર વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહીનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો બાદ અનેક જગ્યાએ અટકાયત, FIR અને પોલીસ કાર્યવાહી અંગેના દાવાઓ…

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો, જંતર-મંતર પાસે પથ્થરમારામાં અનેક પોલીસ કર્મી ઘાયલ

દિલ્હી NEET મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન તણાવભરી સ્થિતિ દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ છે. NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટૉલ્સ્ટૉય માર્ગ અને જંતર-મંતર નજીક અચાનક હિંસા ફાટી નીકળ્યાનો પોલીસનો દાવો છે. મળતી માહિતી અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ઉગ્ર બન્યા હતા અને સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ તથા રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસ અને RAF જવાનો પર પથ્થરો અને લાકડીઓથી હુમલાનો આરોપ પોલીસના જણાવ્યા મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા…

NEET પરીક્ષા મામલો: દિલજીત દોસાંઝે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉઠાવ્યો અવાજ

દિલ્હીમાં NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જ બાદ હવે મનોરંજન જગતમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓને ખુલ્લો ટેકો આપતાં સરકારને તેમની માંગણીઓ સાંભળવાની અપીલ કરી છે. NEET પરીક્ષા મામલે દિલજીત દોસાંઝે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે વિદ્યાર્થીઓ સાથે જે બન્યું તે યોગ્ય નથી અને તેમના અવાજને દબાવવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર લોકશાહી માટે યોગ્ય સંદેશ આપતો નથી. દિલજીતે સત્તાધીશોને અપીલ કરી કે તેઓ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો સંવાદ દ્વારા ઉકેલ લાવે. NEET મામલે પોસ્ટમાં દિલજીતે અગાઉના ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું…

NEET પેપર લીક મુદ્દે PM મોદીનો સંદેશ: ‘ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશે, દોષિતોને કડક સજા મળશે’

સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET પેપર લીકનો મુદ્દો ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સરકાર તરફથી આ મુદ્દે સ્પષ્ટ વલણ રજૂ કરતાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ગોટાળાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સંપૂર્ણપણે ફૂલ-પ્રૂફ પરીક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. NEET પરીક્ષામાં ગોટાળાની માહિતી કિરેન રિજિજૂએ જણાવ્યું કે NEET પરીક્ષામાં ગોટાળાની માહિતી મળ્યા બાદ કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 13 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે…

ભાડા કરાર વિના મકાન આપનાર માલિક-ભાડૂત પર પોલીસની નજર

– રાખીયાલમાં સ્મગલર ભાડે રહેતો મળી આવતા શહેરમાં ભાડૂત ચકાસણી અભિયાન તેજ બન્યું. – ભાડા કરાર વગર મકાન આપનાર માલિક અને ભાડૂત બંને સામે કાયદેસર કાર્યવાહી થશે. પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના રાખીયાલ વિસ્તારમાં ભાડે રહેતો એક શખ્સ આંતરરાજ્ય સ્તરે હથિયાર અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સંકળાયેલ હોવાની ઘટના બહાર આવતા શહેર પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાત ATS એ રહમત અલી શેખ નામના આરોપીને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે તે જે મકાનમાં રહેતો હતો તેના માટે પોલીસ પાસે કોઈ ભાડા કરાર નોંધાયેલો નહોતો. આ ઘટનાને પગલે શહેરની ક્રાઈમ બ્રાંચે ભાડૂતોની ચકાસણી માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. શહેરભરના પોલીસ સ્ટેશનોમાંથી ભાડા કરારની નકલો એકત્ર કરી તેને પોલીસ પાસે રહેલા આશરે એક લાખ ગુનેગારોના…