આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફી માટે થઈ શકે છે ભારતીય ટીમની જાહેરાત, જાણો ક્યાં ખેલાડીઓને મળશે તક!
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવા માટે 12 જાન્યુઆરી અંતિમ તારીખ છે, પરંતુ હજુ સુધી ભારતે ટીમની જાહેરાત કરી નથી. હવે રિપોર્ટ્સમાં ટીમની જાહેરાતને લઈને એક નવી વાત સામે આવી રહી છે. યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પહેલીવાર ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. યુવા ખેલાડી વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. ટીમની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.BCCI સિલેક્ટર્સ ઈંગ્લેન્ડ સામેની ઘરેલું સીરિઝ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે બેઠક કરશે. જે 19મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર ટીમની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે. હવે ટીમની જાહેરાત 17-18 જાન્યુઆરીએ કરવામાં આવી શકે છે. આ અંગે બીસીસીઆઈએ આઈસીસીને ખાસ વિનંતી કરી છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ સીરિઝ સમાપ્ત થવાને…







