આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફી માટે થઈ શકે છે ભારતીય ટીમની જાહેરાત, જાણો ક્યાં ખેલાડીઓને મળશે તક!

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવા માટે 12 જાન્યુઆરી અંતિમ તારીખ છે, પરંતુ હજુ સુધી ભારતે ટીમની જાહેરાત કરી નથી. હવે રિપોર્ટ્સમાં ટીમની જાહેરાતને લઈને એક નવી વાત સામે આવી રહી છે. યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પહેલીવાર ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. યુવા ખેલાડી વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. ટીમની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.BCCI સિલેક્ટર્સ ઈંગ્લેન્ડ સામેની ઘરેલું સીરિઝ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે બેઠક કરશે. જે 19મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર ટીમની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.

હવે ટીમની જાહેરાત 17-18 જાન્યુઆરીએ કરવામાં આવી શકે છે. આ અંગે બીસીસીઆઈએ આઈસીસીને ખાસ વિનંતી કરી છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ સીરિઝ સમાપ્ત થવાને કારણે BCCIએ ICC પાસે થોડો વધુ સમય માંગ્યો છે. જોકે, હવે બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે પછી કેટલીક મહત્વની સ્પષ્ટતા ટીમ જાહેરાતને લઈને થઈ શકે છે. આ સાથે નવા ખેલાડીઓને વનડેમાં ડેબ્યુ કરવાની તક પણ મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પહેલીવાર ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 23 વર્ષીય યશસ્વીએ જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યા બાદ 19 ટેસ્ટ અને 23 T20 મેચ રમી છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે. જયસ્વાલની સાથે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

સુંદરે ઓગસ્ટ 2024માં શ્રીલંકા સામે ભારતની છેલ્લી ODI સીરિઝની ત્રણેય મેચ રમી હતી. તેમની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ભારત માટે ત્રણ T20 અને પાંચ ટેસ્ટ મેચમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. પરંતુ તેની વનડે ટીમમાં પસંદગી થવાની શક્યતા ઓછી છે. જો કે તે ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝ માટે પોતાનું સ્થાન પાક્કું કરી શકે છે. જે 22મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની ODI અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મજબૂત ઉમેદવાર છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, શમીને બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સની સ્પોર્ટ્સ સાયન્સ વિંગ તરફથી મંજૂરી મળી ગઈ છે. તેણે અત્યાર સુધી 101 ODI મેચમાં 195 વિકેટ લીધી છે.

Related Posts

Nadiad Accident News 2026: એક્ટિવા સ્લીપ થતાં નહેરમાં તણાયા પતિ-પત્ની..

ખેડા-Nadiad બ્રેકિંગ: Nadiad નજીક મોટી નહેરમાં ગર્ભવતી મહિલા અને પતિ એક્ટિવા સાથે ખાબક્યા સુરાશામળ ગરનાળા પાસે અકસ્માતથી ચકચાર; હોસ્પિટલથી પરત ફરી રહેલા દંપતી સાથે બની દુર્ઘટના, સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી રીપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા ખેડા જિલ્લાના Nadiad નજીકથી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરાશામળ ગરનાળા નજીક એક દંપતી એક્ટિવા સાથે મોટી નહેરમાં ખાબકતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સમયે એક્ટિવા પર પતિ-પત્ની બંને સવાર હતા અને મહિલા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દંપતીને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. Nadiad Accident News:મળતી માહિતી મુજબ, Nadiad નજીક આવેલા ચલાલી ગામના શક્તિનગર મોટા મંદિર…

Jamnagarમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું: ₹30 લાખના ખર્ચે તૈયાર થયેલી ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’થી વિદ્યાર્થીઓને મળશે અભ્યાસની સુવિધા Monumental Milestone

Jamnagarમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું: ₹30 લાખના ખર્ચે તૈયાર થયેલી ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’થી વિદ્યાર્થીઓને મળશે અભ્યાસની સુવિધા Jamnagarમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધામાં વધુ એક મહત્વનો ઉમેરો થયો છે. શહેરમાં વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. Jamnagarના ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે ₹30 લાખના ખર્ચે નિર્માણ પામેલી આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઉપયોગી બનશે. લાઇબ્રેરી શરૂ થવાથી વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેઓને ઘરે અભ્યાસ માટે પૂરતી જગ્યા કે અનુકૂળ વાતાવરણ મળતું નથી, તેમના માટે આ પ્રકારની જાહેર લાઇબ્રેરી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. -> ₹30 લાખના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ : વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરીના નિર્માણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *