‘વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અપશબ્દો સ્વીકાર્ય નથી’: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા Gen-Z આંદોલનને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અને સરકાર કે કોઈ મુદ્દા સામે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો સંપૂર્ણ લોકતાંત્રિક અધિકાર છે. જોકે, વિરોધના નામે અભદ્ર ભાષા, ગાળાગાળી અથવા કોઈના પરિવારને નિશાન બનાવતી ટિપ્પણીઓ કરવી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને અનુરૂપ નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મધ્ય પ્રદેશના કટની જિલ્લાના પ્રવાસે છે. કટનીના કુઠલા વિસ્તારમાં તેમના શિષ્યો દ્વારા નિર્મિત નવા ‘બાગેશ્વર બાલાજી’ મઠના કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના વર્તમાન સામાજિક વાતાવરણ, યુવાનોની ભૂમિકા અને શાંતિપૂર્ણ વિરોધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિરોધ લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં દરેક વ્યક્તિને…
🙏 “હરિ સ્મરણમાં જ સાચી શાંતિ.”
🙏 હરિ સ્મરણમાં જ સાચી શાંતિ આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ શાંતિની શોધમાં છે. સંપત્તિ, પ્રતિષ્ઠા અને સફળતા મેળવવા માટે માણસ દિવસ-રાત મહેનત કરે છે, છતાં મનમાં સંતોષ અને શાંતિનો અભાવ અનુભવાય છે. આવી સ્થિતિમાં આપણાં ઋષિ-મુનિઓ અને સંતોએ એક સરળ માર્ગ બતાવ્યો છે – હરિ સ્મરણ. હરિ સ્મરણનો અર્થ માત્ર ભગવાનનું નામ ઉચ્ચારવું નથી, પરંતુ દરેક ક્ષણે તેમના અસ્તિત્વનો અનુભવ કરવો, તેમના પર વિશ્વાસ રાખવો અને પોતાના દરેક કાર્યને ઈશ્વરને સમર્પિત ભાવથી કરવું. જ્યારે મન ભગવાનના સ્મરણમાં લીન થાય છે, ત્યારે ચિંતા, ભય અને અશાંતિ ધીમે ધીમે દૂર થવા લાગે છે. સંતો કહે છે કે ભગવાનનું નામ જ સૌથી મોટું ઔષધ છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, જો મનમાં હરિનું સ્મરણ…
ભૂલો દરેકથી થતી હોય છે, મારાથી પણ થઇ છે, હું કોઇ દેવતા નથીઃ પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પહેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન તરીકેના તેમના જુદા જુદા કાર્યકાળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પ્રથમ કાર્યકાળમાં, લોકો મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હું દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજા કાર્યકાળમાં હું ભૂતકાળના પરિપ્રેક્ષ્યથી વિચારતો હતો. ત્રીજી ટર્મમાં મારી વિચારસરણી બદલાઈ ગઈ છે, મારું મનોબળ ઊંચું થયું છે અને મારા સપના મોટા થઈ ગયા છે. -> ‘સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ’ :- આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે – હું ઈચ્છું છું કે વિકસિત ભારત માટે 2047 સુધીમાં તમામ સમસ્યાઓનો ઉકેલ આવે, સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ. આ જ વાસ્તવિક સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતા છે. આની પાછળનું પ્રેરક બળ છે…
PM મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના, કહ્યું આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલી કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે ‘ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી ચાલ્યા આવે છે. -> પીએમ મોદી કુવૈતના ટોચના નેતૃત્વને મળશે :- વડાપ્રધાને લખ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને…










