ભૂલો દરેકથી થતી હોય છે, મારાથી પણ થઇ છે, હું કોઇ દેવતા નથીઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પહેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન તરીકેના તેમના જુદા જુદા કાર્યકાળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પ્રથમ કાર્યકાળમાં, લોકો મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હું દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજા કાર્યકાળમાં હું ભૂતકાળના પરિપ્રેક્ષ્યથી વિચારતો હતો. ત્રીજી ટર્મમાં મારી વિચારસરણી બદલાઈ ગઈ છે, મારું મનોબળ ઊંચું થયું છે અને મારા સપના મોટા થઈ ગયા છે.

-> ‘સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ’ :- આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે – હું ઈચ્છું છું કે વિકસિત ભારત માટે 2047 સુધીમાં તમામ સમસ્યાઓનો ઉકેલ આવે, સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ. આ જ વાસ્તવિક સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતા છે. આની પાછળનું પ્રેરક બળ છે – AI- ‘એસ્પિરેશનલ ઈન્ડિયા’. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે વધુને વધુ યુવાનોએ રાજકારણમાં જોડાવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે રાજકારણમાં મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે આવવું જોઈએ.

-> અમે તટસ્થ નથી, અમે શાંતિના પક્ષમાં છીએ – PM મોદી :- વડા પ્રધાને આ પોડકાસ્ટમાં વિશ્વની વર્તમાન પરિસ્થિતિ અને તેમના વ્યક્તિગત દૃષ્ટિકોણ તેમજ વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. રાજકારણમાં પોતાના અનુભવો શેર કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં એક ભાષણ આપ્યું હતું જેમાં મેં કહ્યું હતું કે ભૂલો થાય છે, એવું નથી કે ભૂલો થતી નથી. દરેકને થાય છે, મારાથી પણ થાય છે. હું દેવતા નથી. સમગ્ર વિશ્વમાં યુદ્ધની સ્થિતિ પર તેમણે કહ્યું કે યુદ્ધની આ સ્થિતિમાં હું હંમેશા કહેતો આવ્યો છું કે અમે તટસ્થ નથી, પરંતુ શાંતિના પક્ષમાં છીએ.

Related Posts

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *