NEET પેપર લીક મામલે મૌન કેમ રહ્યા? રાઘવ ચઢ્ઢા, કહ્યું- હવે માત્ર પ્રશ્ન નહીં પરંતુ….
NEET પેપર લીક મામલે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાનું મૌન તોડ્યું છે. એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે ઘણા લોકો તેમને સતત પૂછતા હતા કે તેઓ NEET પેપર લીક જેવા ગંભીર મુદ્દે કેમ બોલ્યા નહોતા. NEET મામલે રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પોતાના મૌન પાછળનું કારણ સમજાવતા કહ્યું કે અગાઉ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે સરકારને પ્રશ્ન પૂછવાની જવાબદારી તેમની હતી, પરંતુ હવે તેઓ સત્તા પક્ષની ટ્રેઝરી બેન્ચનો ભાગ છે. તેથી તેમની ભૂમિકા માત્ર પ્રશ્નો ઉઠાવવાની નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં સહયોગ કરવાની છે. માત્ર નિવેદન નહીં, ઉકેલ સાથે વાત કરવા માંગતા હતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે NEET પેપર લીક જેવા મુદ્દે તેઓ માત્ર…
CJPના અલ્ટીમેટમ બાદ સરકારે પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી અંગે કેન્દ્રે મંગાવી વિગતો
NEET સહિત વિવિધ મુદ્દાઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને લઈને મહત્વપૂર્ણ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર એવા રાજ્યો પાસેથી માહિતી મંગાવી રહી છે જ્યાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારનું કહેવું છે કે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ નોંધાવનાર નાગરિકો સામે કોઈપણ પ્રકારની અન્યાયપૂર્ણ કાર્યવાહી થવી જોઈએ નહીં. આ ઘટનાક્રમ બાદ ફરી એકવાર વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહીનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો બાદ અનેક જગ્યાએ અટકાયત, FIR અને પોલીસ કાર્યવાહી અંગેના દાવાઓ…








