નાંદોદમાં બે અકસ્માત: એકનું મોત, એકને ગંભીર ઇજા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક વ્યક્તિના મોત નીપજ્યા અને બીજી વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. પોલીસએ બંને મામલામાં ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 1: શહેરાવગામમાં અકસ્માત અંકિતભાઈ ધીરુભાઈ તેજાણી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, શહેરાવગામ ગામના રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે અંકિતભાઈના માતા પિતા ઉપર ટક્કર મારી હતી. આ ઘટના દરમિયાન પિતાજી ધીરુભાઈ મોહનભાઈ તેજાણીને ગંભીર ઇજા પહોંચી અને સારવાર દરમિયાન સુરત એઈમ્સ હોસ્પિટલમાં મોત નીપજ્યું. માતા ઉર્મીલાબેનને પણ ઇજા પહોંચી હતી. આ મામલે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 2: કુમસગામના ત્રણ રસ્તા પર બીજો અકસ્માત કુમસગામના ત્રણ રસ્તા પર થયો. મિતેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 18) અને અલ્પેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 20) પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ પર અંકલેશ્વર તરફ…

વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…

નાંદોદના આમલેથામાં બે જુદી જુદી હત્યાઓથી ચકચાર, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે એક જ દિવસે બે અલગ અલગ હત્યાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ બંને ઘટનાઓમાં એક સ્થળ પર કુટુંબ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો તો બીજી ઘટના ગંભીર હત્યાનું શંકાસ્પદ કૌભાંડ દર્શાવે છે. ઘટના-1: ટાંકીનું પાણી છોડવાની બાબતે હત્યા આમલેથા ગામની સીમમાં પાણીની મોટી ટાંકી પાસે એક ખેતર નજીકના ઘર પાસે રહેતા જગદિશભાઈ કંથરભાઈ વસાવા (ઉ.વ. 50) એ તેમના દીકરા સુરેન્દ્ર જગદિશ વસાવાને ટાંકીનું પાણી છોડવા માટે કહ્યું. ત્યારે સુરેન્દ્ર ઉશ્કેરાઈ જતા તેણે લાકડું ઉઠાવીને પોતાના પિતાને માથાના પાછળના ભાગે આઘાત કર્યો. ફટકાથી જગદિશભાઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા અને સારવાર પહેલા જ તેમનું મોત નીપજ્યું. હાજર અન્ય લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરેન્દ્રે તેમને પણ ધમકી આપી…