મલેશિયામાં ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત, UPI થી સીમલેસ પેમેન્ટ શરૂ
મલેશિયામાં મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે મોટી રાહત મળી છે. ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે મલેશિયામાં સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા, NIPL દ્વારા શરૂ કરાયેલી આ સેવા સાથે, મલેશિયા UPI અપનાવનાર વિશ્વનો નવમો દેશ બની ગયો છે. આ નવી સુવિધાથી પ્રવાસીઓને મલેશિયામાં ખરીદી કરવા માટે કરન્સી બદલવાની ઝંઝટ નહીં કરવી પડશે. તેઓ ફક્ત પોતાની પસંદગીની UPI એપ્સ (જેમ કે Google Pay, PhonePe, Paytm)નો ઉપયોગ કરીને સ્થાનિક વેપારીઓને ચુકવણી કરી શકશે. આ સુવિધા રેઝરપે કર્લેક (Razorpay Curlec) પ્લેટફોર્મ દ્વારા કાર્યરત રહેશે. માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ મલેશિયાના સ્થાનિક વેપારીઓ માટે પણ આ સીમલેસ ચુકવણી લાભદાયક સાબિત થશે. ભારતીય પ્રવાસીઓની સરળ ચુકવણી દ્વારા ખરીદીમાં વધારો…
મલેશિયાના પૂર્વ PM અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે. અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024 ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ન્યુમોથોરેક્સ નામની બીમારીથી પીડાતા હતા. મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન “પાક લાહ” તરીકે પણ જાણીતા હતા. અબ્દુલ્લાને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં કુઆલાલંપુરના સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તમામ પ્રયાસો છતાં, તેમનું સોમવારે સાંજે 7:10 વાગ્યે અવસાન થયું. 22 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપ્યા બાદ અનુભવી નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા. અબ્દુલ્લા અહમદ બદાવીના પિતા મલેશિયાના…
મલેશિયામાં 130 વર્ષ જુના મંદિરને તોડીને બનાવાશે મસ્જિદ, દેશમાં લઘુમતીઓના અધિકારોને લઇને ચિંતા વધી
મલેશિયાના કુઆલાલંપુરમાં ૧૩૦ વર્ષ જૂના દેવી શ્રી પત્થરકાલીયમ્માન મંદિરને તોડીને મસ્જિદ બનાવવાની યોજનાએ વિવાદ ઉભો કર્યો છે. આ મંદિર શહેરના ફ્લેટ અને કાપડની દુકાનોની વચ્ચે આવેલું છે. તાજેતરમાં, મલેશિયાની અગ્રણી કાપડ કંપની જેકેલને આ જમીનના માલિકી હકો મળ્યા છે. આ પછી કંપનીએ અહીં એક મસ્જિદ બનાવવાની યોજના બનાવી છે. જોકે, આ નિર્ણયથી મલેશિયામાં ધાર્મિક અસમાનતા અને લઘુમતી અધિકારો અંગે ચિંતા વધી ગઈ છે. કુઆલાલંપુરમાં મસ્જિદ ઇન્ડિયાની બાજુમાં આવેલું મંદિર ૧૩૦ વર્ષ જૂનું છે. આ મંદિર ૧૪૦ વર્ષ જૂની તમિલ મુસ્લિમ મસ્જિદની નજીક આવેલું છે. તે મસ્જિદના નિર્માણના 10 વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું. જે જમીન પર મંદિર અને મસ્જિદ આવેલી છે તે જમીન 2014 માં જેકલ કંપનીને વેચી દેવામાં આવી હતી અને કંપની અહીં એક મસ્જિદ…









