કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે. બજેટમાં નાણામંત્રીએ નીચેની મુખ્ય જાહેરાતો કરી છે: 1. રમતગમતના સાધનો સસ્તા થશે – ભારતમાં સ્પોર્ટ્સ હબ બનાવવા માટે, સરકાર રમતગમતના સાધનોના ઉત્પાદનમાં પ્રોત્સાહન આપશે અને ખેલાડીઓ માટે સાધનોના ભાવમાં ઘટાડો લાવશે. 2. રિસર્ચ અને ઉત્પાદન – હાઈ-ક્વોલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ઉત્પાદન અને સંશોધન (R&D) માટે નવી પહેલ. – ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બને તેવી દિશામાં કામ. 3. ખેલો ઇન્ડિયા મિશન – નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ થશે. – ટેલેન્ટ ડેવલપમેન્ટ: પ્રતિભાઓને ત્રણ સ્તરે (ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ, એલિટ) તાલીમ આપવામાં આવશે. – સ્પોર્ટ્સ…

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર ભારતને સેમીકન્ડક્ટર હબ બનાવવા માટે ₹40,000 કરોડ ફાળવી રહી છે. તેમણે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરવાની પણ જાહેરાત કરી. આ મિશન હેઠળ: ટેકનોલોજી અને કુશળ કામદારોની તાલીમ માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ તૈયાર કરવામાં આવશે. ભારતીય IP અને ઉપકરણો/સામગ્રીના ઉત્પાદન માટે સંપૂર્ણ સ્કેલ પાઇપલાઇન વિકસાવવામાં આવશે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બજેટ રજૂ થવાના પહેલા કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નાણામંત્રી…

PMમોદીની AI CEOs અને નિષ્ણાંતો સાથે બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના સમયે લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કાર્યરત CEOs અને નિષ્ણાતો સાથે ઊંચા સ્તરીય બેઠક યોજી. આ બેઠકનો ઉદ્દેશ ફેબ્રુઆરીમાં યોજાનારી India-AI ઈમ્પેક્ટ સમિટ માટે તૈયારી, AIમાં વ્યૂહાત્મક સહયોગ વધારવો અને ભારતના AI મિશનના લક્ષ્યોને ઝડપી રીતે આગળ વધારવો હતો. નવી ટેકનોલોજીના અસરકારક ઉપયોગ પર ભાર બેઠક દરમિયાન CEOsએ ભારતને વૈશ્વિક સ્તરે AIમાં મોખરે મૂકવા માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને આત્મનિર્ભર બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ નવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અપનાવવાની અને તે દેશના વિકાસ માટે અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું પણ આહ્વાન કર્યું. PM મોદીની અપીલ વડાપ્રધાએ તમામ વ્યક્તિઓ અને કંપનીઓને સમિટનો સંપૂર્ણ લાભ લેવા, નવી…

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ASML મુખ્યાલયની મુલાકાતે, જાણો વિગત

વેલ્ડહોવન, નેધરલેન્ડ: ભારતના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નેધરલેન્ડના વેલ્ડહોવન ખાતે ASMLના મુખ્યાલયની મુલાકાત માટે પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ભારતની નવી સેમિકન્ડક્ટર ઉદ્યોગની પ્રગતિ અને લિથોગ્રાફી ક્ષેત્રમાં તેનો મહત્વ વિશદ કર્યો. મંત્રીએ જણાવ્યું કે લિથોગ્રાફી, જેમાં વેફર પર સર્કિટ છાપવાનું કાર્ય થાય છે, તે સેમિકન્ડક્ટર ઉત્પાદન ચેઇનમાં સૌથી જટિલ અને ચોકસાઈભર્યું સ્ટેજ છે. તેમણે ઉમેર્યું કે ASML વિશ્વમાં લિથોગ્રાફિક સાધનોનો અગ્રણી પ્રદાતા છે અને લગભગ દરેક ચિપની ઉત્પત્તિમાં ASMLના સાધનોનો ઉપયોગ થાય છે. “ધોલેરામાં અમારી ફેબ ASML સાધનોનો ઉપયોગ કરશે. હું અહીં તેમની ટેકનોલોજી જોઈને સમજી શકું તે માટે આવ્યો છું,” મંત્રીએ જણાવ્યું. ASMLનો ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ વૈશ્વિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ વિકાસ ગણાય છે. મંત્રીએ નોંધ્યું કે વિશ્વના વિવિધ સાધન ઉત્પાદકો…

રાફેલ જેટ્સ: કેન્દ્રને 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી, CCS અંતિમ મંજૂરી આપશે

ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાના દિશામાં મોટા પગલામાં, કેન્દ્ર સરકારે 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મંજૂરી સંરક્ષણ પ્રાપ્તિ બોર્ડ (DAB) દ્વારા આપવામાં આવી છે, અને હવે પ્રસ્તાવ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદમાં લઈ જાશે. અંતે, સોદાને કેબિનેટ સમિટી ફોર સિક્યુરિટી (CCS) દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવશે. ભારત-ફ્રાન્સ વચ્ચે બેઠકમાં થશે અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ સૂત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ફેબ્રુઆરીમાં યોજાનારી બેઠક દરમિયાન આ મહત્વપૂર્ણ સંરક્ષણ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આથી ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગને નવી ગતિ મળશે. ભારતીય વાયુસેનાની ક્ષમતા વધશે 114 નવા રાફેલ વિમાનોની ખરીદી સાથે, ભારતીય વાયુસેના: – ફાયરપાવર અને વ્યૂહાત્મક શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે – વર્તમાન…

ભારત ઉર્જા ક્ષેત્રે બનશે ‘આત્મનિર્ભર’: DVC સાથે ત્રણ કોલસા બ્લોક પર ઐતિહાસિક સમજૂતી

ભારત સરકારના કોલસા મંત્રાલયે દેશની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટું પગલું ભર્યું છે. મંત્રાલયે દામોદર વેલી કોર્પોરેશન (DVC) સાથે ત્રણ મુખ્ય વાણિજ્યિક કોલસા બ્લોક્સના વિકાસ માટે કરાર કર્યો છે. આ પ્રોજેક્ટ્સ ભારતમાં કોલસા ઉદ્યોગને સ્વાવલંબી બનાવવામાં ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે. પ્રોજેક્ટ વિગતો: ત્રણ બ્લોક્સ: ધુલિયા ઉત્તર, મંદાકિની બી અને પીરપૈંટી બારાહટ કુલ સંચિત ક્ષમતા: વાર્ષિક 49 મિલિયન ટન કોલસા હરાજી કરાયેલા બ્લોક્સ: 13મા રાઉન્ડ હેઠળ આર્થિક અને રોજગારી લાભ: વાર્ષિક આવક: ₹4621 કરોડ રોકાણનું આકર્ષણ: ₹7350 કરોડ રોજગારી: 66000થી વધુ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ અવસર આત્મનિર્ભર ભારત તરફનો પગલું: કોલસા મંત્રાલયનું કહેવું છે કે આ પ્રોજેક્ટ વિદેશી કોલસા પરની નિર્ભરતા ઘટાડશે અને સ્થાનિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે. આગળ ચાલી આ પ્રોજેક્ટ્સ દેશની વીજળીની વધતી માંગ…

ભારત ખરીદશે 114 રાફેલ ફાઈટર જેટ્સ, ફ્રાન્સ સાથે થશે આ અઠવાડિયે મહત્વની ચર્ચા

ભારતીય વાયુસેનાની લડાકુ ક્ષમતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત સરકાર ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવાની તૈયારીમાં છે. આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના આ વિશાળ સોદા પર આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં વિગતવાર ચર્ચા થવાની શક્યતા છે. મોટાભાગના રાફેલ ભારતમાં બનશે આ સોદાની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં આત્મનિર્ભર ભારત અભિયાનને ખાસ પ્રોત્સાહન મળશે. મળતી માહિતી અનુસાર, 114 રાફેલ વિમાનોમાંથી મોટાભાગના વિમાનોનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. તેમાં લગભગ 30 ટકા સુધીના ઘટકો અને ટેકનોલોજી સ્વદેશી હશે, જે ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા સીધી ડિલિવરી સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 12થી 18…

પીએમ મોદી બે દિવસીય આંધ્ર અને ઓડિશાની મુલાકાતે, 2 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને બંને રાજ્યો માટે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં પુડીમાડકામાં ગ્રીન હાઇડ્રોજન હબના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારત માટે આ એક મોટી પહેલ માનવામાં આવી રહી છે. ગ્રીન હાઇડ્રોજન હબમાં મોટું રોકાણ પુડીમાડકામાં નિર્માણ થનારા ગ્રીન હાઇડ્રોજન હબમાં અંદાજે 1.85 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ પ્રોજેક્ટ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા ઉત્પાદન તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ રોજગારીના નવા અવસર…

ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો: અંજદીપ નામનું સબમરીન વિરોધી યુદ્ધ જહાજ કાર્યરત

ભારતીય નૌકાદળના સબમરીન વિરોધી યુદ્ધ જહાજ, છીછરા પાણીના યાનમાં ત્રીજું જહાજ અંજદીપ કાર્યરત થઈ ગયું છે. આ જહાજની લંબાઈ આશરે 77 મીટર છે અને તેને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અંજદીપની વિશેષતા એ છે કે તે વોટરજેટ દ્વારા સંચાલિત છે અને હળવા વજનના ટોર્પિડો અને સ્વદેશી ડિઝાઇન કરાયેલ એન્ટિ-સબમરીન રોકેટથી સજ્જ છે, જે પાણીની અંદરની જોખમો શોધવા અને તેનો સામનો કરવા સક્ષમ બનાવે છે. અંજદીપ જહાજ નૌકાદળની સબમરીન વિરોધી, દરિયાકાંઠાની દેખરેખ અને ખાણ-નિકાલ ક્ષમતાઓને મજબૂત બનાવશે. તેનું નામ કર્ણાટકના કારવાર નજીક આવેલા અંજદીપ ટાપુ પરથી લેવામાં આવ્યું છે, જે તેના વિશાળ દરિયાઈ ક્ષેત્રનું રક્ષણ કરવા નૌકાદળની શક્તિને પ્રતિબિંબિત કરે છે. આ જહાજ 80% થી વધુ સ્વદેશી ઘટકો સાથે બનાવવામાં આવ્યું…

GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’

વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં વૃદ્ધિ ઘટાડાની ચિંતામાં છે, ત્યાં ભારત 8% થી વધુ GDP વૃદ્ધિ દર સાથે સ્થિરતા અને વિશ્વાસના મજબૂત સ્તંભ તરીકે ઉજાગર થયું છે. લાંબા ગાળાના રિફોર્મ પર ભાર PM મોદી મુજબ આજે ભારતની નીતિઓ પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આગામી પેઢીના GST, ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર, નાના ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારણા અને ઘણા ઉત્પાદનોને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણમાંથી મુક્તિ જેવા પગલાંને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. ‘ગુલામી માનસિકતા’માંથી મુક્ત થવાની અપીલ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બ્રિટિશ…