PMમોદીની AI CEOs અને નિષ્ણાંતો સાથે બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના સમયે લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કાર્યરત CEOs અને નિષ્ણાતો સાથે ઊંચા સ્તરીય બેઠક યોજી. આ બેઠકનો ઉદ્દેશ ફેબ્રુઆરીમાં યોજાનારી India-AI ઈમ્પેક્ટ સમિટ માટે તૈયારી, AIમાં વ્યૂહાત્મક સહયોગ વધારવો અને ભારતના AI મિશનના લક્ષ્યોને ઝડપી રીતે આગળ વધારવો હતો.

નવી ટેકનોલોજીના અસરકારક ઉપયોગ પર ભાર
બેઠક દરમિયાન CEOsએ ભારતને વૈશ્વિક સ્તરે AIમાં મોખરે મૂકવા માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને આત્મનિર્ભર બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ નવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અપનાવવાની અને તે દેશના વિકાસ માટે અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું પણ આહ્વાન કર્યું.

PM મોદીની અપીલ
વડાપ્રધાએ તમામ વ્યક્તિઓ અને કંપનીઓને સમિટનો સંપૂર્ણ લાભ લેવા, નવી તકો શોધવા અને વિકાસને વેગ આપવા વિનંતી કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત UPI દ્વારા વિશ્વને ટેકનોલોજીકલ કુશળતા બતાવી ચુક્યું છે, અને AI ક્ષેત્રમાં પણ આવા જ સિદ્ધિઓ શક્ય છે.

તેમણે ડેટા અને ટેકનોલોજીનો લોકશાહીકરણ, AIના નૈતિક ઉપયોગ અને AI પ્રતિભા વિકાસ પર ભાર મૂક્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનું AI ઈકોસિસ્ટમ દેશના મૂલ્યો અને ચારિત્ર્યને પ્રતિબિંબિત કરવું જોઈએ અને પારદર્શક, સુરક્ષિત અને ન્યાયી હોવું જરૂરી છે.

મોટી કંપનીઓ અને નિષ્ણાતો હાજર
ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક, ઝોહો કોર્પોરેશન, એલટીઆઈ માઇન્ડટ્રી, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, અદાણીકોનેએક્સ, નેક્સ્ટ્રા ડેટા અને નેટવેબ ટેકનોલોજીના CEOs હાજર રહ્યા. તેમજ IIT હૈદરાબાદ, IIT મદ્રાસ અને IIT બોમ્બેના નિષ્ણાતો પણ હાજર રહ્યા. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ચર્ચામાં જોડાયા.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક રાજદ્વારી સમીકરણો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. ગુરુવારે થયેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો, સુરક્ષા સ્થિતિ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ વાતચીતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલ પશ્ચિમ એશિયામાં અનેક પડકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવી રહ્યા છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ચાર મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…