Loheshwar Mahadev Patan 2026: જ્યાં ભીમે સ્થાપ્યું હતું શિવલિંગ, પાટણના એ લોહેશ્વર મહાદેવ ધામની પૌરાણિક કથા.. Spiritual Sanctity..
Patanના મુજપુર નજીક આવેલું લોહેશ્વર મહાદેવ ધામ: મહાભારતકાળની ગાથા આજે પણ જીવંત પાંડવોના વનવાસ સાથે જોડાયેલી છે પૌરાણિક માન્યતા; ભીમસેને શિવલિંગ સ્થાપ્યું હોવાની લોકવાયકા, પાંડવકુંડ અને પાંડવોના પગલાં આસ્થાનું કેન્દ્ર રિપોર્ટ : અનિલ રામાનુજ, Patan Patan: ગુજરાતની ધરતી પર અનેક એવા પૌરાણિક અને ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યાં આજે પણ પ્રાચીન કથાઓ, લોકમાન્યતાઓ અને ધાર્મિક પરંપરાઓ જીવંત જોવા મળે છે. ઉત્તર ગુજરાતના Patan જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક સ્થિત શ્રી લોહેશ્વર મહાદેવ ધામ પણ આવું જ એક પવિત્ર તીર્થસ્થાન છે. મહાભારતકાળ સાથે જોડાયેલી વિવિધ પ્રચલિત માન્યતાઓને પોતાના હૃદયમાં સાચવીને ઊભેલું આ ધામ વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. લોહેશ્વર મહાદેવ ધામ સાથે પાંડવોના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાનના રોકાણની પૌરાણિક ગાથા…







