ભાડા કરાર વિના મકાન આપનાર માલિક-ભાડૂત પર પોલીસની નજર
– રાખીયાલમાં સ્મગલર ભાડે રહેતો મળી આવતા શહેરમાં ભાડૂત ચકાસણી અભિયાન તેજ બન્યું. – ભાડા કરાર વગર મકાન આપનાર માલિક અને ભાડૂત બંને સામે કાયદેસર કાર્યવાહી થશે. પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના રાખીયાલ વિસ્તારમાં ભાડે રહેતો એક શખ્સ આંતરરાજ્ય સ્તરે હથિયાર અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સંકળાયેલ હોવાની ઘટના બહાર આવતા શહેર પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાત ATS એ રહમત અલી શેખ નામના આરોપીને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે તે જે મકાનમાં રહેતો હતો તેના માટે પોલીસ પાસે કોઈ ભાડા કરાર નોંધાયેલો નહોતો. આ ઘટનાને પગલે શહેરની ક્રાઈમ બ્રાંચે ભાડૂતોની ચકાસણી માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. શહેરભરના પોલીસ સ્ટેશનોમાંથી ભાડા કરારની નકલો એકત્ર કરી તેને પોલીસ પાસે રહેલા આશરે એક લાખ ગુનેગારોના…
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…
સુપ્રીમ કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્ત્વનો નિર્ણય: નાડુ ખેંચવું, શરીરને સ્પર્શ કરવું હવે રેપમાં ગણાશે
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને રદ્દ કરતા કાયદામાં સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના 17 માર્ચ 2025ના ચુકાદામાં પાયજામાની દોરી ખોલવા જેવા કૃત્યને રેપની તૈયારી તરીકે ગણાવવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે આ ગુનાને રેપના પ્રયાસ હેઠળ ગણાવવાનું નક્કી કર્યું છે. CJIનું માર્ગદર્શન: કરુણા અને સંવેદનશીલતા CJI Surya Kantની અધ્યક્ષતામાંની બેન્ચે કહ્યું કે ન્યાયાધીશોને કાનૂની સિદ્ધાંતો લાગુ કરવા સાથે કરુણા અને માનવતા પ્રદર્શિત કરવી ખૂબ જરૂરી છે. બેન્ચે જણાવ્યું કે કરુણા અને સહાનુભૂતિ વિના ન્યાયિક પ્રોસેસ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. મહિલા પ્રત્યે વધુ સંવેદનશીલતા માટે NGOની અપીલ “વી ધ વુમન” નામની NGOની સ્થાપક પ્રમુખ અને વરિષ્ઠ વકીલ Shobha Guptaએ મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી. આ અપીલના આધારે કોર્ટે POCSO એક્ટ…
ધનવાડામાં ઘરેલું હિંસા સામે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો; ગ્રામિણ મહિલાઓને અધિકારો અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન
બાવળા તાલુકાના ધનવાડા ગામે સ્થાનિક મહિલાઓને કાયદાકીય રીતે સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે ઘરેલું હિંસા પ્રતિબંધક અધિનિયમ, 2005 અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ મહિલાઓને તેમના બંધારણીય અને કાયદાકીય અધિકારોથી વાકેફ કરી, હિંસા મુક્ત સમાજની દિશામાં જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાના કિસ્સામાં મળતી સરકારી સહાય અને કાયદાકીય પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બાવળા મફત કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ અને પ્રોટેક્શન ઓફિસર તન્વી ચાવડાએ ઘરેલું હિંસાની વ્યાખ્યા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, હિંસા માત્ર શારીરિક અત્યાચાર પૂરતી સીમિત નથી. માનસિક ત્રાસ, આર્થિક શોષણ કે અપશબ્દો બોલવા તે પણ કાયદાકીય રીતે ગુનો બને છે. તેમણે પીડિત…
‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ એ સાબિત કરે છે કે દેશના ન્યાયતંત્રમાં કાયદાની ઊંચી સ્થિતિ અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અખંડિત છે. CJI ગવઈ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ, વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ અને મુખ્ય ન્યાયાધીશ રેહાના મુંગલી ગુલબુલની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે “બુલડોઝર ન્યાય” એક ખતરનાક અભિગમ છે, જે કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરે છે અને બંધારણના કલમ 21 હેઠળ મળતા આશ્રયના હક્કનું ઉલ્લંઘન કરે છે. કાયદાનું શાસન – ન્યાયનો આધાર તેમણે ઉલ્લેખ કર્યો કે “રાજકીય ક્ષેત્રમાં કાયદાનું શાસન સુશાસન અને સામાજિક પ્રગતિના ધોરણ તરીકે…













