1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, રેલવે લાવશે નવી ટોકન સિસ્ટમ

ટ્રેનમાં મુસાફરી માટે તત્કાલ ટિકિટ બુક કરાવનારા લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેના પશ્ચિમ મધ્ય રેલવે (WCR) ઝોન દ્વારા 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગની કાઉન્ટર સિસ્ટમમાં મોટા ફેરફારો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ રિઝર્વેશન કાઉન્ટર પર થતી ભીડ ઘટાડવાનો, દલાલો પર લગામ લગાવવાનો અને સામાન્ય મુસાફરોને વધુ પારદર્શક તથા સરળ સેવા આપવાનો છે. નવી ટોકન સિસ્ટમ હેઠળ હવે મુસાફરોને ટિકિટ કાઉન્ટર પર સીધા લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. અગાઉથી ટોકન આપવામાં આવશે અને તે મુજબ જ મુસાફરોને ક્રમવાર કાઉન્ટર પર બોલાવવામાં આવશે. 1 ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમો રેલવેના નવા નિયમો મુજબ 1 ઓગસ્ટથી કાઉન્ટર પરથી મળતી તત્કાલ ટિકિટ માટે ટોકન સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવશે. અત્યાર સુધી…

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વંદે ભારત, શતાબ્દી સહિત ટ્રેનો રદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું. પરિણામે વંદે ભારત, શતાબ્દી સહિત 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરી પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂર તપાસો.   દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદની સીધી અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે આવેલા પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં મુસાફરોની…

ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકો એકસાથે મેચનો આનંદ લઈ શકે છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને દેશભર તેમજ વિદેશમાંથી હજારો ચાહકો અમદાવાદ આવવાના હોવાથી રેલ્વેએ મુસાફરોને વધારાની સુવિધા…

“મારો ટાઈમ પૂરો, હવે ગાડી નહીં ચાલે!” – બિહારમાં ટ્રેન ઉભી રાખીને લોકો પાયલટ ઉતરી ગયો, 3 કલાક મુસાફરો અટવાયા

બિહારના કિશનગંજ જિલ્લામાં આવેલા ઠાકુરગંજ રેલ્વે સ્ટેશન પર એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનના લોકો પાયલટે પોતાની ડ્યુટી પૂર્ણ થતાં ટ્રેન આગળ ચલાવવા ઈનકાર કરી દીધો અને ટ્રેનને પ્લેટફોર્મ પર જ ઉભી રાખી દીધી. આ ઘટનાને કારણે સેંકડો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માલદા થી સિલિગુડી જતી DMU ટ્રેન નંબર 75719 બપોરે લગભગ ૨:૫૨ વાગ્યે ઠાકુરગંજ સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેન પહેલેથી જ લગભગ ૩ કલાક મોડે ચાલી રહી હતી. ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારબાદ લોકો પાયલટે અચાનક જાહેરાત કરી કે તેની ૯ કલાકની ડ્યુટી પૂર્ણ થઈ ગઈ છે અને હવે તે ટ્રેન આગળ નહીં ચલાવે. ત્યારબાદ તેણે પોતાનો સામાન લઈને ટ્રેનમાંથી ઉતરીને રવાના થઈ ગયો. આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર વેપારીઓ,…

વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર

ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે જમ્મુ સુધી લંબાવવામાં આવી છે. આ પગલાથી મુસાફરોને હવે જમ્મુથી સીધી શ્રીનગર સુધી ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે. લાંબા સમયથી ચાલી આવતી લોકમાગને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ મળશે. નવી વ્યવસ્થા મુજબ ટ્રેન સેવા 1 માર્ચથી શરૂ થશે. ટ્રેન નંબર અને રૂટ વિગતો ટ્રેન નં. 26401 – જમ્મુ તાવી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ – સવારે 6:15 વાગ્યે જમ્મુ તાવીથી પ્રસ્થાન કરશે. – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – સવારે 8:08 વાગ્યે – રિયાસી – સવારે 8:28 વાગ્યે – બનિહાલ –…

વંદે ભારત અને અમૃત ટ્રેનોમાં હવે ‘કન્ફર્મ’ બર્થ મળશે, રેલવેની નવી ઇમરજન્સી ક્વોટા સુવિધા

ભારતીય રેલવે મુસાફરો માટે સુવિધામાં વધારો કરતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં ‘ઇમરજન્સી ક્વોટા’ (EQ) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ ટ્રેનોમાં માત્ર મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે મર્યાદિત ક્વોટા જ ઉપલબ્ધ હતી. રેલવે બોર્ડના નવા આદેશ અનુસાર, હવે અચાનક મુસાફરી કરનારા મુસાફરોને પણ કન્ફર્મ બર્થ મળવાની શક્યતા વધશે. કયા મુસાફરો માટે લાભકારક? – તબીબી કટોકટીમાં મુસાફરી કરનારા – પરિવારમાં દુશ્ચટકિયા માટે તરત મુસાફરી કરવી પડતી સ્થિતિમાં રહેલા મુસાફરો – આગલા પલાન વગર મુસાફરી કરનારા ઇમરજન્સી ક્વોટા વિતરણ વંદે ભારત સ્લીપર ટ્રેન: – ફર્સ્ટ એસી: સામાન્ય દિવસોમાં 4 બર્થ, વીકએન્ડમાં 6 બર્થ – સેકન્ડ એસી: સામાન્ય દિવસોમાં 20 બર્થ, વીકએન્ડમાં 30 બર્થ – થર્ડ એસી: વીકએન્ડમાં…

રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી બેના મોત, એક ગંભીર

રાજકોટમાં બપોરના સમયે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા. આ ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલઘારી ફાટક નજીક બની હતી. મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે અફરાતફરી 2 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત ટ્રેન તેના નિયમિત સમય મુજબ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ત્રણ વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ…

રેલવે ગ્રુપ Dમાં 21,997 પદો માટે ભરતી શરૂ, 10મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ Dની 21,997 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં 10મું ધોરણ પાસ ઉમેદવારો ફોર્મ ભરવા માટે લાયક છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે, જે 31 જાન્યુઆરી 2026થી શરૂ થઈ અને 2 માર્ચ 2026 સુધી ચાલશે. એક જ ઝોન માટે અરજી ઉમેદવારો ફક્ત એક જ રેલવે ઝોન માટે અરજી કરી શકે છે. એકથી વધુ ઝોન પસંદ કરવાથી અરજી રદ કરવામાં આવશે. એક જ ઝોનમાં મલ્ટિપલ જગ્યાઓ માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. દરેક જગ્યાની પસંદગી એક જ ફોર્મમાં આપવી પડશે. ફોર્મ સબમિટ કર્યા પછી ઝોન બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ નહીં રહેશે. વય મર્યાદા અને છૂટછાટ – મિનિમમ ઉંમર: 18 વર્ષ – મૅક્સિમમ ઉંમર: 33 વર્ષ (1 જાન્યુઆરી 2026ના રોજ ગણવામાં આવશે)…

RailOne એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ, કઈ રીતે જાણો અહીં

ભારતીય રેલવે મુસાફરો માટે ડિજિટલ ટિકિટિંગને સરળ અને લાભદાયક બનાવવા માટે RailOne એપ નવા પ્રોમોશન સાથે આવી છે. 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી, RailOne એપ દ્વારા અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ બુક કરાવનાર મુસાફરોને 3% ડિસ્કાઉન્ટ મળશે. RailOne એપની લોકપ્રિયતા પૂર્વ મધ્ય રેલવેમાં RailOne એપ ઝડપથી લોકપ્રિય બની રહી છે. જાણકારી મુજબ, 14 થી 19 જાન્યુઆરી દરમિયાન 2 લાખથી વધુ મુસાફરોએ RailOne એપનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરી હતી. આથી પૂર્વ મધ્ય રેલવેને આશરે ₹20 લાખથી વધુ આવક મળી. ડિજિટલ પેમેન્ટ અને ડિસ્કાઉન્ટ RailOne એપ પર R-Wallet, UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવતા મુસાફરોને 3% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. R-Wallet વપરાશકર્તાઓ માટે 3% કેશબેક બોનસ પહેલેથી ઉપલબ્ધ છે, એટલે ટિકિટ બુક…

વંદે ભારત સ્લીપર ટ્રેન: ટિકિટ રદ અને RAC સુવિધામાં મોટા ફેરફાર, નવા રિફંડ નિયમ જાહેર

ભારત રેલ્વે દ્વારા હાવડા-કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે શરૂ કરવામાં આવેલી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન હવે મુસાફરો માટે નવા કડક નિયમો સાથે આવી છે. આ પ્રીમિયમ ટ્રેન ફ્લાઇટની સુવિધા અને સ્પીડ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયેલી છે, પરંતુ ટિકિટ રદ અને RAC (Reservation Against Cancellation) સુવિધામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટિકિટ રદ કરવા પર વિશેષ નિયમો નવા નોટિફિકેશન અનુસાર, ટિકિટ રદ કરવા માટે મુસાફરે નિર્ધારિત સમયગાળા (પ્રારંભિક 8 કલાક)માં જ રદ કરવાની રહેશે, નહીતર કોઈ રિફંડ નહીં મળે. આનો અર્થ એ છે કે, સમયપત્રક મુજબ રદ ન કરેલી ટિકિટ માટે સંપૂર્ણ ભાડું ગુમાવવું પડશે. RAC સુવિધા રદ સામાન્ય ટ્રેનોમાં RAC સુવિધા દ્વારા બોર્ડિંગની ગેરંટી આપવામાં આવતી હતી. વંદે ભારત સ્લીપર ટ્રેન માટે આ સુવિધા સંપૂર્ણ રીતે…