રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર: BSFએ પકડ્યા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક, સરહદ પર ચેતવણી વધારાઈ
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તાજેતરમાં રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરની સરહદ નજીક બે શંકાસ્પદ નાગરિકોને પકડી પાડ્યા છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં BSF જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, જ્યારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક અટકાવવામાં આવ્યો છે. જેસલમેરમાં પાકિસ્તાની નાગરિક પકડાયો જેસલમેર BSFના જવાનોએ પાકિસ્તાની નાગરિકને નાચના અને નોખ સેક્ટરમાંથી પકડ્યો. પ્રારંભિક તપાસ દરમિયાન, ઘુસણખોરે પોતાની ઓળખ રાણા મોહમ્મદ અસલમના પુત્ર ઇશરત (35) તરીકે આપી છે અને તે પાકિસ્તાનના પંજાબના સરગોધા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, શંકાસ્પદ નાગરિક માનસિક રીતે અસ્થિર હોવાની શંકા છે. તેની પાસેથી પાકિસ્તાની ચલણ, છરી અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને નોખ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. જમ્મુમાં બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ…
અમિત શાહે બંગાળ વિજય માટે કાર્યકરોને આપી બ્લૂપ્રિન્ટ: 5 મુખ્ય મુદ્દા અને બૂથ સ્તરે મજબૂત તૈયારી
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કર્યો અને ભાજપના સંગઠન સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ મુલાકાત માત્ર સામાન્ય કાર્યક્રમ નહીં, પરંતુ રાજ્યમાં સત્તા મેળવવા માટેની સંપૂર્ણ તૈયારી અને યોજના તરીકે જોવામાં આવી રહી છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, ભાજપનું લક્ષ્ય માત્ર વિજય મેળવવું નથી, પરંતુ 294 બેઠકોમાંથી લગભગ બે તૃતીયાંશનો હિસ્સો જીતવાનો છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમણે કાર્યકરોને સ્પષ્ટ દિશા અને ચૂંટણી યોજના આપી. પાંચ મુદ્દાઓ પર આધારિત ચૂંટણી અભિયાન અમિત શાહે પાર્ટીના ચૂંટણી અભિયાનને પાંચ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત રાખવાનું નક્કી કર્યું છે: – ઘૂસણખોરી – રાજ્યની સુરક્ષા માટે ઘૂસણખોરીને મોટો ખતરો માનીને, BJP સત્તામાં આવ્યા પછી તેને નિવારવાનો સંકલ્પ.…
જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં LPG સિલિન્ડર બ્લાસ્ટની ઘટના, 4–5 મકાન બળીને થયા ખાખ
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગની ઘટના બની છે. સિલિન્ડર વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 4થી 5 મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, દછન વિસ્તાર પર્વતીય હોવાથી ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ હિંમત દાખવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી આગ પર કાબુ ઘટનાની જાણ થતા કિશ્તવાડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લેવા કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે અનેક પરિવારોને ભારે આર્થિક નુકસાન થયું છે. આગમાં ઘર બળીને ખાખ…
અમદાવાદ એરપોર્ટ પર DRIનો મોટો સપાટો, રૂ.8 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત
ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેને અટકાવી સઘન તપાસ હાથ ધરી હતી. 7.71 કિલો હાઈગ્રેડ કેનાબીસ ઝડપાયો મુસાફરના બેગેજનું સ્કેનિંગ અને તપાસ કરતા તેમાં પ્રોફેશનલી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાંથી કુલ 7.71 કિલોગ્રામ હાઈગ્રેડ હાઈબ્રિડ કેનાબીસ (ગાંજો) મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે રૂ.8 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ડ્રગ્સ નેટવર્ક…
શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો? EDના સત્તાવાર નિવેદન મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ-અલગ ઓફિસો શરૂ કરી હતી. અહીં કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ તપાસમાં ખુલ્યું છે કે રોકાણકારોની રકમ હકીકતમાં શેરબજારમાં ક્યાંય રોકવામાં આવતી નહોતી. આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના વ્યક્તિગત…
ચમોલીમાં મોટો અકસ્માત: THDCની નિર્માણાધીન ટનલમાં બે લોકોમોટિવ ટ્રેનો અથડાયા, 60થી વધુ ઘાયલ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. THDC દ્વારા નિર્માણાધીન વિષ્ણુગઢ–પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલની અંદર બે લોકોમોટિવ ટ્રેનો સામસામે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં આશરે 60 કામદારો અને કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘટના રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ બની હતી. અલકનંદા નદી પર બની રહેલા 444 મેગાવોટના આ જળવિદ્યુત પ્રોજેક્ટ માટે લગભગ 13 કિલોમીટર લાંબી ટનલનું કામ ચાલી રહ્યું છે. અકસ્માત સમયે ટનલની અંદર 100થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને મજૂરો હાજર હતા. કામ ઝડપથી પૂર્ણ કરવા માટે ટનલમાં ભારે મશીનરી અને લોકોમોટિવ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેમાંથી બે ટ્રેનો અથડાતા આ દુર્ઘટના બની. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર અને પોલીસ અધિક્ષક સુરજીત સિંહ…
જામનગર: કોર્પોરેટર અસલમ ખીલજી પર અજાણ્યા શખ્સોનો હુમલો,, જાણો વિગત
જામનગર મહાનગરપાલિકા ખાતે સક્રિય રાજકારણમાં જાણીતા કોર્પોરેટર અસલમ ખીલજી પર મોડી સાંજે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. તેમને લોહીનું ઘાટ પહોંચાડવામાં આવ્યું અને તાત્કાલિક જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલનાં અધિકારીઓએ જણાવ્યું છે. પક્ષપલટા બાદ હુમલો અસલમ ખીલજી અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચુક્યા છે. પરંતુ તાજેતરમાં તેમણે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાનું નિર્ણય લીધું હતું. પક્ષપલટા બાદ જ થયેલો આ હુમલો રાજકીય અદાવતના સંકેત રૂપે જોવાયો છે. પોલીસ તપાસ અને પગલાં હુમલાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. પોલીસ ગુનો નોંધતાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને હુમલાખોરોની ઓળખ માટે ગુપ્ત જાણકારી…
લઘુમતીઓ અંગેની ટિપ્પણી પર MEAનો જડબાતોડ જવાબ, કહ્યું – પાકિસ્તાન પહેલા પોતાનો રેકોર્ડ જોઈ લે
ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ કડક પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા પાકિસ્તાનને આત્મમંથન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત પર આક્ષેપો કરવા પહેલા પોતાના દેશમાં લઘુમતીઓની હાલત પર નજર કરવી જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ કેટલી ગંભીર છે અને પાકિસ્તાન પોતાનું સત્ય છુપાવી શકતું નથી. પાકિસ્તાનની ટિપ્પણીઓ પર ભારતની સ્પષ્ટતા હકીકતમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાય સામે હિંસા વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ…
સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી કેસની થશે સુનાવણી, જાણો વિગત
સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા સંબંધિત વિવાદની સુનાવણી આગામી સમયમાં કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ, જેમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે, આ મામલાની સુનાવણી કરશે. 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની સમાન વ્યાખ્યાને મંજૂરી આપી હતી. આ વ્યાખ્યા અનુસાર, અરવલ્લી પર્વતમાળા એવી જમીન ગણાશે જેની ઊંચાઈ આસપાસના વિસ્તારમાંથી 100 મીટર કે તેથી વધુ હોય, અને જો બે કે તેથી વધુ ટેકરીઓ 500 મીટરના અંદર આવેલ હોય, તો તેને અરવલ્લી પર્વતમાળામાં સમાવિષ્ટ ગણવામાં આવશે. વ્યાખ્યામાં ટેકરીઓ, તેમના ઢોળાવ, આસપાસની જમીન અને સંબંધિત ભૂમિ સ્વરૂપોનો સમાવેશ થશે. આ નિર્ણય અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા અને તેનું સંરક્ષણ વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. Follow us On Social…
















